Connect with us

વલસાડ

??????????????? ??????????????? ?????????????????? ?????????????????????????????????????????? ???????????? ???????????????????????? ??????????????????

Published

on

??????????????? : ??????????????? ???????????????????????? ??????????????? ???????????? ??????????????? ??????????????? ????????????????????? ???????????????????????? ?????????????????????????????????????????? ???????????????????????? ??????????????????????????? ??????????????? ??????????????? ??????????????? ??????????????? ??????????????????????????? ??????????????? ????????????, ????????? ????????? ??????????????????????????? ????????? ????????????????????????????????? ????????????????????? ??????????????? ?????????. ??????????????? ?????????????????? ?????????????????? ??????????????? ???????????????????????????????????? ?????????????????? ?????????????????? ??????????????????????????? ????????????????????? ???????????? ?????????, ??????????????? ?????????????????? ??????????????? ??????????????? ?????????. ???????????? ??? ?????????????????? ???????????? ????????? ???????????????????????? ????????? ?????????????????? ????????????. ?????????????????? ?????????????????? ??????????????? ??????????????? ??????. ???????????????????????? ??????????????????????????? ???????????? ??????????????????????????? ????????????????????? ???????????????????????? ????????? ??????????????? ???????????? ??????????????????, ?????????????????????????????? ????????? ????????????????????? ?????????????????? ????????????????????? ?????????????????? ??????????????? ?????????. ?????????????????? ???????????????????????? ??????????????????????????????????????? ????????????????????? ???????????????????????? ????????? ?????????????????????????????????????????? ????????? ?????????????????? ???????????? ????????????????????? ?????????????????????????????? ?????????????????? ???????????? ????????? ??????????????????????????????????????????????????? ?????????????????? ????????????????????? ??????????????????????????? ?????????. ?????????????????? ?????????????????????????????? ??????????????? ????????? ??????????????????????????????????????? ??????????????? ??? ???????????? ?????????????????? ??????????????????????????? ???????????? ?????????.

ચુંટણી

વલસાડ લોકસભા ભાજપ ટાર્ગેટ મતોથી જીતશે – યશવંત દેશમુખ

Published

on

By

ભાજપ અને કોંગ્રેસની પાછલી ચુંટણીની ટકાવારી પણ ભાજપની જીત તરફ કરે છે ઇશારો

વલસાડ : લોકસભા ચુંટણી 2024 ના સાતેય તબકકાનું મતદાન પૂર્ણ થયુ છે અને 4 જૂને મત ગણતરી થશે. પરંતુ એ પૂર્વે જાહેર થયેલા એક્ઝીટ પોલમાં મોટાભાગનાએ ગુજરાતમાં ભાજપ 26 બેઠકો કબ્જે કરશેનું આકલન કર્યુ છે. જેમાં પણ C Voter ના સ્થાપક યશવંત દેશમુખનાં આકલન પ્રમાણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની બેઠકો સૌથી વધુ માર્જીનથી ભાજપનાં ખોળે જઈ રહી હોય એવું લાગી રહ્યુ છે, જેમાં વલસાડ લોકસભા બેઠક પણ ભાજપ ટાર્ગેટ મતોથી જીતશે. જોકે પાછલી ચુંટણીઓની ટકાવારીને જોવામાં આવે, તો પણ કોંગ્રેસ અને ભાજપને મળેલા મતોની ટકાવારી પણ વલસાડ લોકસભામાં ભાજપની જીત તરફ ઇશારો કરે છે.

વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ સાથે રસાકસી ખરી, પણ ભાજપ બાજી મારશે

લોકસભા ચુંટણી 2024 માં વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે આદિવાસીઓના નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલને ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. કારણ ગત વર્ષોમાં અનંત પટેલે વિવિધ આંદોલનો થકી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં લોકચાહના બનાવી હતી. સામે ભાજપે પણ જુના મહારથીઓને બાજુએ મુકી આદિવાસીઓને જાણનારા અને રાષ્ટ્રીય સ્તરે ભાજપના નેતૃત્વ સાથે ઘડાયેલા ધવલ પટેલને પોતાના યોદ્ધા તરીકે ઉતાર્યા હતા. બંને વચ્ચે ભારે રસાકસી રહી અને જેના પરિણામ સ્વરૂપ મતદાનમાં મતદારોએ પણ આકરા તાપમાં 72.71 ટકા મતદાન કરી, રાજકિય પંડિતોને પણ ચોંકાવી દીધા હતા. પરંતુ પાછલા વર્ષોની ચુંટણીઓના પરિણામોને જોતા ભાજપ વલસાડ લોકસભા બેઠક ઉપર મજબૂત લાગી રહી હતી. જેમાં પણ જયારે લોકસભા ચુંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે અને દેશની મોટાભાગની એજન્સીઓએ પોતાના સંશોધન બાદ જાહેર કરેલા એક્ઝીટ પોલમાં ગુજરાતમાં ભાજપ 26 બેઠકો જીતશેનો દાવો કર્યો છે. જેમાં પણ C Voter નું ચુંટણી પરિણામને લઇને થતુ આંકલન વાસ્તવિક મતદાનની નજીક અને ચોક્કસ માનવામાં આવે છે. ત્યારે C Voter ના સ્થાપક યશવંત દેશમુખે Hexilon News સાથે કરેલી વિશેષ વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ભાજપ 26 બેઠકો મેળવશે, જોકે બે ત્રણ બેઠકો ઉપર થોડી દ્વિઘા છે. પરંતુ દક્ષિણ ગુજરાતની બેઠકોમાં ભાજપ સૌથી વધુ મતોની લીડ મેળવશે. જેમાં રસાકસી ભરેલી વલસાડ બેઠક ઉપર ભાજપ પોતાના 5 લાખના ટાર્ગેટ નજીક રહેશે એવી સંભાવના દેખાઈ રહી છે.

1998 થી 2019 સુધીમાં ભાજપનો વોટ શેર 14 ટકા વધ્યો, એક આકલન મુજબ ધવલ પટેલ 3 લાખથી વધુની લીડથી જીતશે

વલસાડ લોકસભાની એક ખાસિયત રહી છે કે, અહીંથી જે પણ પક્ષનો ઉમેદવાર જીતે, કેન્દ્રમાં એજ પક્ષની સરકાર બને છે. ત્યારે પાછલા વર્ષોની ચુંટણીના આંકડાઓ ઉપર નજર કરીએ તો વર્ષ 1998 માં થયેલી લોકસભા ચુંટણીમાં ભાજપના મણી ચૌધરીએ 2,90,312 મતો અને તેમની સામે કોંગ્રેસના ઉત્તમ પટેલે 2,73,036 મેળવ્યા હતા. જેમાં ભાજપના મણી ચૌધરી 17,276 મતોની લીડથી જીત્યા હતા. ત્યારબાદ 1999 માં ફરી ચુંટણી થઇ અને ત્યારે પણ ભાજપના મણી ચૌધરીને 3,00,195 મતો અને સામે કોંગ્રેસના ઉત્તમ પટેલ 2,73,409 મતો મળ્યા હતા. જેમાં કોંગ્રેસના ઉત્તમ પટેલને 1998 માં મળેલા મતોમાં ફક્ત 373 મતો વધુ મળ્યા હતા અને ભાજપના મણી ચૌધરી 26,788 મતની લીડથી જીત્યા હતા. જોકે 2004 માં વલસાડની હવા બદલાઇ, જેમાં કોંગ્રેસના કિશન પટેલ સામે મણી ચૌધરી 44,486 મતોની લીડથી હાર્યા હતા. પરંતુ પાંચ વર્ષો બાદ મતદારોનો મિજાજ થોડો બદલાયો, જેમાં 2009 માં કોંગ્રેસના કિશન પટેલ સામે ભાજપના ડૉ. ડી. સી. પટેલ ફક્ત 7,169 મતોથી જ હાર્યા હતા. જેથી ભાજપ 2009 માં જ ફરી મજબૂત થઇ હતી, ત્યારબાદ વર્ષ 2014 માં ભાજપના ડૉ. કે. સી. પટેલે કોંગ્રેસના કિશન પટેલને 2,08,004 મતોની લીડથી માત આપી હતી. જેમાં વર્ષ 2019 ની લોકસભા ચુંટણીમાં અંદાજે 75 ટકાનો વધારો થયો અને ભાજપના ડૉ. કે. સી. પટેલે કોંગ્રેસના જીતુ ચૌધરીને 3,54,132 મતોની લીડથી હરાવ્યા હતા. જેથી ગત લોકસભા ચુંટણીઓના આંકડાઓ પ્રમાણે 1998 માં ભાજપની મતોની ટકાવારી 47.20 ટકા હતી, જે 21 વર્ષોમાં એટલે 2019 માં 14.05 ટકા વધીને 61.25 ટકા થઇ હતી. જેથી કોંગ્રેસના અનંત પટેલ માટે ભાજપની 61 ટકાથી વધુની લોકચાહના તોડવી લોઢાના ચણા ચાવવા બરાબર છે. બીજી તરફ અનંત પટેલની લોકચાહના સામે ભાજપની સંગઠનાત્મક રણનીતિ અને નરેન્દ્ર મોદી પ્રત્યેની લોકોમાં લાગણી જોતા ભાજપના ધવલ પટેલની 3 લાખથી વધુ મતોથી જીતવાની સંભાવના વધી જાય છે.

Continue Reading

અપરાધ

મહારાષ્ટ્રની શકિત મલ્ટીપર્પસ કો ઓપરેટીવ સોસાયટીએ કોરોડોનું રોકાણ કરાવી હાથ ઉંચા કર્યા

Published

on

By

એજન્ટો અને રોકાણકારોએ કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલને મળી માંગી મદદ

નવસારી : મહારાષ્ટ્રની શકિત મલ્ટીપર્પસ કો. ઓપરેટીવ સોસાયટીને ગુજરાતમાં શરૂ થતા તેના સેંકડો એજન્ટોએ હજારો લોકો પાસેથી કરોડો રૂપિયા રોકાણ કરાવ્યા, પણ ગુજરાતના ડીરેકટરો દ્વારા બેથી ચાર વર્ષમાં જ કરોડો રૂપિયાનું કૌભાંડ કરી ખાનગી ફાયનાન્સ સંસ્થા બંધ કરી હાથ ઉંચા કરી દેતા, અનેક ઠેકાણે રજૂઆતો કરી થાકેલા નવસારી, સુરત અને વલસાડના પીડિતોએ આજે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરી, મદદ માંગી હતી.

શક્તિ મલ્ટીપર્પસના સંચાલકોએ બેંક કરતા ઉંચું વ્યાજ આપવાની લાલચે મેળવ્યું કરોડોનું રોકાણ  

લોન આપવા કે રોકાણના બદલામાં ઉંચા વ્યાજની લાલચે અનેક ખાનગી ફાયનાન્સ સંસ્થાઓની હાટડી ખુલી જાય છે અને એમાં એજન્ટો રોકીને હજારો લોકોના કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને સંસ્થાના સંસ્થાપકો ગાયબ થઇ જતા હોય છે. આવી અનેક ઘટનાઓ સમયાંતરે મીડિયામાં આવ્યા બાદ પણ પોતાની મહેનતના રૂપિયા આવી ખાનગી સંસ્થામાં રોકીને છેતરાવા વાળા અનેક લોકો છે. આવું જ કંઈ મુળ વર્ષ 2015 માં મહારાષ્ટ્રના કલ્યાણની શકિત કો. ઓપરેટીવ સોસાયટીને ગુજરાતમાં લાવીને તેના સંચાલકોએ કૌભાંડ કર્યું છે. શક્તિ મલ્ટીપર્પસ કો. ઓ. સોસાયટીમાં 9.5 ટકાથી 14.5 ટકાના ઉંચા વ્યાજે ગુજરાતના સંચાલકોએ દક્ષિણ ગુજરાતના શહેરો અને ગામડાઓમાં એજન્ટો મારફતે 15 હજારથી વધુ ગ્રાહકોનાં 20 કરોડથી વધુનું રોકાણ મેળવ્યું હતું. બેથી ત્રણ વર્ષો સુધી સંચાલકોએ લોકોને રોકાણનું રીફંડ આપ્યુ અને 2017 બાદ રોકાણનાં બદલામાં વ્યાજ સાથેનું વળતર આપવામાં ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. દરમિયાન એજન્ટોને સમજાવીને રોકાણ પણ મેળવતા રહ્યા હતા. પરંતુ 4 વર્ષ અગાઉ શક્તિ મલ્ટીપર્પસ કો. ઓપરેટીવ સોસાયટીના ડીરેક્ટર પૈકી કલ્પેશ રમણ પટેલ, પંકજ પટેલ, રાજેન્દ્ર ચૌહાણ સહિત અન્ય 4 કમિટી સભ્યોએ રોકાણકારો અને એજન્ટોને ઉડાઉ જવાબ આપીને મહારાષ્ટ્રથી રૂપિયા આવશે તો આપીશું કહીને હાથ ઊંચા કરી દીધા હતા. જેથી 15 હજારથી વધુ રોકાણકારોમાં નિરાશા વ્યાપી હતી. જોકે પોતાના રૂપિયા મેળવવા માટે રોકાણકારોએ સ્થાનિક પોલીસ મથકો સહિત સામાજિક અને રાજકીય આગેવાનોને રજૂઆતો કરી છતાં કોઈ પરિણામ મળ્યું નથી.

4 વર્ષના પ્રયાસો છતાં હજી સંચાલકો સામે પોલીસ ફરિયાદ ન થતા આક્રોશ

શક્તિ મલ્ટીપર્પસ કો. ઓપરેટીવના સંચાલકો દ્વારા કરોડો રૂપિયા ઉસેટી લીધા બાદ હાથ ઊંચા કરી દેવાતા રોકાણકારોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરતા, તેમના દ્વારા સીઆઈડી તપાસની વાત કરી હતી. પરતું આજ દિન સુધી કોઈ નક્કર પરિણામ ન આવતા આજે નવસારી, સુરત, વલસાડ સહિતના જિલ્લાના રોકાણકારોએ નવસારી ખાતે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલને મળીને પોતાની વેદના ઠાલવી હતી. જેમને સાંભળ્યા બાદ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા એકજૂથ થઇને આંદોલન છેડવાની તૈયારી દર્શાવી હતી. સાથે જ પોલીસ ફરિયાદ થઇ હોય, તો અત્યારે શું સ્થિતિ છે.. ? એની માહિતી જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા કલેકટરને મળીને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.

અનેક ખાનગી ફાયનાન્સ સંસ્થાઓ ઉંચા વ્યાજને નામે છેતરપીંડી કરે, છતાં લોકોમાં સુધારવાનું નામ નહીં.!!

ગુજરાતમાં શક્તિ મલ્ટીપર્પસ કો ઓપરેટીવ લાવ્યાના 4 વર્ષે બંધ થઇ અને છેલ્લા 4 વર્ષોથી રોકાણકારો રૂપિયા પરત મળે એના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ ગુજરાતના સંચાલકો શાંતિની ઉંઘ સાથે નવી ફાયનાન્સ સંસ્થા ચલાવી રહ્યા હોવાની ચર્ચા પણ છે, ત્યારે લોકો જ આવી ફાયાનાન્સીયલ સંસ્થાઓથી ચેતે એજ તેમની આર્થિક સુરક્ષા માટે જરૂરી છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

વાપીની માનસી મહેતાએ મહેંદી મિનીએચર આર્ટમાં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાપ્યો વિશ્વ વિક્રમ

Published

on

By

હથેળીમાં મહેંદીથી પોઈટ્રેટ અને મિનીએચર આર્ટમાં માનસીએ કેળવી છે માસ્ટરી

વલસાડ : કોરોનાએ અનેક લોકોની જિંદગીના દરવાજા બંધ કર્યા, પણ ઘણા એવા પણ છે, જેમણે કોરોનાનાં વિકટ સમયમાં પોતાની જાતને કેળવી જીવનમાં નવી કેડી કંડારી છે. જેમાં ઘરમાં ટાઈમ પાસ માટે શરૂ કરેલ મહેંદી શીખવાનું વાપીની માનસી મહેતાને આજે વૈશ્વિક ઓળખ અપાવી ગયુ છે. માનસીએ મહેંદીમાં મિનીએચર આર્ટમાં માસ્તરી મેળવી અને 30 મિનીટમાં 8 આંગળીના ટેરવા પર મહેંદી મુકી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મેળવી વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. સાથે જ જીનીયસ ઇન્ડિયન એચિવર એવોર્ડ 2023 પણ માનસીએ પોતાને નામે કર્યો છે.

ટાઈમ પાસ માટે શરૂ કરેલ મહેંદીને પેશન બનાવી મેળવી વૈશ્વિક ઓળખ

મહિલાઓ માટે હાથોમાં મહેંદી મુકવી દરેક પ્રસંગમાં સામાન્ય હોય છે, પરંતુ મહેંદી મુકવી પણ એક કળા છે. જેમાં બહુ ઓછા લોકો એક પ્રોફશનલ ટચ આપી શક્યા છે. વલસાડ જિલ્લાના વાપી શહેરમાં રહેતી માનસી મહેતાએ કોરોનાં કાળમાં લોક ડાઉન દરમિયાન ઘરમાં બેસીને ટીવી કે મોબાઈલ પર ટાઈમ પાસ કરવાને બદલે પોતાના સમયનો સદુપયોગ કર્યો અને બહેનપણી સાથે મહેંદી મુકવાની શીખવાનું શરૂ કર્યુ હતુ. માનસીએ ટાઈમ પાસ માટે શરૂ કરેલી મહેંદી આજે તેનું પેશન છે અને મહેંદીએ જ માનસીને વૈશ્વિક ઓળખ અપાવી છે.

પ્રોફેશનલ તાલીમ મેળવ્યા બાદ પોઈટ્રેટ મહેંદીમાં મેળવી મહારથ

કોરોના કાળમાં શરૂ કરેલ મહેંદીમાં થોડી હથોટી મેળવ્યા બાદ માનસીએ મહેંદીમાં જાણીતા 4 કલાકારો પાસે પ્રોફેશનલ તાલીમ લીધી હતી. જેના દ્વારા માનસી ટ્રેડિશનલ મહેંદી સાથે જ હથેળીમાં મહેંદીથી પોઈટ્રેટ બનાવતી થઈ છે. હથેળી પર આબેહૂબ ચહેરો બનાવવો ઘણું મુશ્કેલ હોય છે, પણ માનસીની પોતાની મહેનત અને મહેંદી પ્રત્યેની લગનને કારણે પોઈટ્રેટ બનાવવામાં તેણે મહારથ કેળવી છે. માનસીએ અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત બોલીવુડ અભિનેતા સલમાન ખાન, રણવીર સિંહ, ઈરફાન ખાન, વિકી કૌશલ, જુ. NTR, રામચરણ સહિત અભિનેત્રી આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, શ્રધ્ધા કપૂર, સોનાક્ષી સિંહા, હેમામાલિની જેવા અનેક સેલબ્સના આબેહૂબ પોઇટ્રેટ હાથની હથેળી પર બનાવી ચુકી છે.

મહેંદીના પેશને અપાવ્યું વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન 

 

પોઈટ્રેટ સાથે જ માનસીએ મિનીએચર આર્ટ ઉપર હાથ અજમાવ્યો, જેમાં સફળ થઈ અને આંગળીના ટેરવા પર દુલ્હા, દુલ્હન સહિત લગ્નની પરંપરાઓ જેવી વિવિધ ડિઝાઇન બનાવવામાં સરળતાથી બનાવી લે છે. પોતાની આજ કળાને માનસીએ વૈશ્વિક ફલક પર મુકવા ગત 25 નવેમ્બર, 2022 ના રોજ વર્લ્ડ ઇન્ડિયા રેકોર્ડમાં નામાંકન કરી, માત્ર 30 મિનીટમાં હાથની 8 આંગળીઓના ટેરવાઓ પર મિનીએચર આર્ટ કરીને પ્રથમ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવામાં સફળતા મેળવી છે. જેની સાથે જ માનસીએ જીનીયસ ઇન્ડિયન એચીવર એવોર્ડ 2023 પણ મેળવી ભારત સાથે વિશ્વ સ્તરે પોતાનું, માતા પિતા, વાપી અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Continue Reading
Advertisement

Trending