Connect with us

મારું ગામ

???????????? ???????????? ?????????i?????????t?????? ?????????????????? ???????????? ??????????????? ?????????t????????? ???????????????????????? ???????????????

Published

on

??????????????? : ??????????????? ?????????????????? ???????????????????????? ???????????? ???????????? ???????????????????????? ??????????????????????????? ??????????????? ??????????????? ??????????????? ??????????????? ???????????????????????? ?????????????????? ???????????? ?????????????????? ????????? ????????????????????? ?????????????????? ????????????. ??????????????????????????? ?????????????????????????????? ??????????????? ???????????? ?????????????????? ???????????? ????????? ????????? ??????????????? ??? ????????? ??? ?????????????????? ??????????????? ?????????????????? ?????????????????? ??????????????? ?????????????????? ??????????????????????????? ???????????????????????? ????????? ?????????. ??????????????? ???????????? ?????????????????????????????? ????????????????????? ??????????????? ?????????????????? ?????????????????? ??????????????? ?????? ?????????????????? ?????????. ???????????????????????????????????? ???????????????????????? ????????? ?????????????????????????????? ???????????????????????? ????????? ???????????? ?????????. ??????????????? ?????????????????? ?????????????????? ?????????????????????????????? ?????????????????????????????? ??????????????? ???????????? ??? ?????????????????? ??????????????? ?????????????????? ?????? ??????????????? ?????????. ??? ??????????????? ?????????????????? ??????????????? ??????????????????????????? ????????????, ????????????????????? ???????????? ????????????, ?????????????????? ??????????????? ??????????????? ????????????????????? ???????????? ??????????????? ???????????????????????? ??????????????? ?????????????????? ???????????????????????? ?????????????????? ???????????? ???????????????, ????????????????????? ????????? ???????????? ???????????????????????? ????????????????????? ??????????????? ?????????.

દક્ષિણ-ગુજરાત

વાંસદાના ધાકમાળ ગામે દીપડાનો બાળક ઉપર હુમલો

Published

on

By

ગંભીર રીતે ઘવાયેલા બાળકને નજીકની હોસ્પિટલમાં ખસેડાયો

નવસારી : નવસારીના વાંસદાના ધાકમાળ ગામે ખેતર નજીક રમી રહેલા 8 વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયો હતો, જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા વાંસદા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને દીપડાને પકડવા પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.

ધાકમાળ ગામ નજીક ગાઢ જંગલ વિસ્તાર, નેશનલ પાર્ક પણ નજીક

નવસારી જિલ્લો દીપડાનું અભયારણ્ય બની રહ્યો છે, ગામડાઓમાં દેખા દેતા દીપડાઓ શહેર નજીક પણ નજરે ચડે છે. જયારે છેલ્લા થોડા મહિનાઓમાં વાંસદા તાલુકામાં સાંજના સમયમાં દીપડાઓના નાના બાળકો અને યુવાનો ઉપર હુમલાના બનાવો પણ વધ્યા છે. ત્યારે આજે ફરી વાંસદા તાલુકાના પૂર્વ પટ્ટીના ધાકમાળ ગામે ઘર અને ખેતર નજીક રમી રહેલા 8 વર્ષીય આરવ મહાકાલ ઉપર દીપડાએ હુમલો કર્યો અને તેને ગળામાંથી દબોચી લીધો હતો. આરવને દબોચીને દીપડો જંગલ તરફ જતો હતો, ત્યારે તેની બુમો સાંભળી તેના કાકાએ દોડીને દીપડાનું પુછળું પકડી તેને ખેંચ્યો હતો, જેથી આરવ દીપડાની ચુંગાલમાંથી છૂટી ગયો હતો. બાદમાં તરત જ ગંભીર રીતે ઘવાયેલા આરવને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેના ગળાના ભાગે તેમજ છાતીના ભાગે દીપડાના પંજાને કારણે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં ગળાના ભાગે ટાંકા લેવા પડ્યા હતા. બીજી તરફ દીપડાના હુમલાની જાણ થતા જ વાંસદા વન વિભાગના અધિકારીઓ ટીમ સાથે ધાકમાળ ગામે પહોંચ્યા હતા. જ્યાં ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ દીપડાને પકડવા હાલ ઘટના સ્થળ આસપાસ ત્રણ પાંજરા મુક્યા છે. સાથે જ હોસ્પિટલ પહોંચી ઘાયલ આરવના ખબર અંતર જાણી, તેને યોગ્ય અને ઝડપી સારવાર મળી રહે એ માટેની વ્યવસ્થા ગોઠવી છે. ઉલ્લેખનિય છે કે, ધાકમાળ ગામ નજીક ગાઢ જંગલ વિસ્તાર આવેલો છે, સાથે જ વાંસદા નેશનલ પાર્ક પણ નજીક હોય દીપડો જંગલ અથવા પાર્કમાંથી આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.

વાંસદામાં છેલ્લા થોડા મહિનાઓમાં 6 લોકો ઉપર થયા દીપડાના હુમલા

નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો જંગલ અને પર્વતીય વિસ્તાર ધરાવે છે. સાથે જ વાંસદા નેશનલ પાર્ક પણ દીપડાઓ માટે રક્ષિત છે. એક અનુમાન પ્રમાણે વાંસદામાં દીપડાઓની સંખ્યા વધી છે અને શેરડીની કાપણી બાદ દીપડાઓ ગામડાઓમાં દેખાવાની ઘટના સામાન્ય થતી હોય છે. ત્યારે વાંસદામાં છેલ્લા થોડા મહિનાઓમાં માનવ ઉપર દીપડાના હુમલા વધ્યા છે, જેમાં અગાઉ અત્યાર સુધીમાં બે બાળકીઓ સહિત 4 બાળકો અને 2 યુવાનો ઉપર દીપડાએ હુમલા કર્યા છે. જોકે સદ્દનસીબે કોઈ જાનહાની થઇ નથી.

Continue Reading

દક્ષિણ-ગુજરાત

વાંસદાના આંબાબારી ગામે 6 વર્ષીય બાળક ઉપર દીપડાનો હુમલો

Published

on

By

ઘાયલ બાળકને વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

નવસારી : નવસારી જિલ્લામાં છેલ્લા થોડા મહિનાઓથી દીપડાઓની સંખ્યા વધી છે અને વાંસદા તાલુકામાં ત્રણ મહિનામાં માણસ ઉપર ચોથો હુમલો દીપડા દ્વારા કરવામાં આવ્યો છે. વાંસદાના આંબાબારી ગામે કુદરતી હાજતે ગયેલા 6 વર્ષીય બાળક ઉપર આજે સવારે દીપડાએ હુમલો કરી, શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પરિવારની હિંમતને કારણે બાળક બચી ગયુ હતું, જેને ગંભીરાવ્સ્થામાં વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયુ છે, દીપડાના હુમલાની ઘટના સામે આવતા જ નેશનલ પાર્ક તેમજ વાંસદા વન વિભાગના અધિકારીઓ દોડતા થયા છે, સાથે જ ગામમાં દીપડાને પકડવા પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.

વાંસદા નેશનલ પાર્કના RFO એ આંબાબારી ગામમાં પાંજરા ગોઠવવાની કરી શરૂઆત

નવસારી જિલ્લો દીપડાઓનું અભયારણ્ય બની રહ્યું છે. વન વિભાગની વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરીમાં નવસારીમાં 70 થી વધુ દીપડા હોવાની પુષ્ટિ થઇ હતી. ત્યારે છેલ્લા થોડા મહિનાઓમાં નવસારીના એનક ગામડાઓમાં દીપડાઓ દેખાયા હોવાની ફરિયાદો થઇ રહી છે. જેમાં પણ ગત ત્રણ મહિનાઓમાં દીપડાઓએ 3 લોકો ઉપર હુમલો કર્યો હતો. દરમિયાન આજે સવારે ફરી દીપડાએ વાંસદા નેશનલ પાર્ક નજીકના આંબાબારી ગામે કુદરતી હાજતે ગયેલા 6 વર્ષીય દીક્ષિત ચૌહાણ ઉપર હુમલો કરતા ગંભીર રીતે ઘવાયો હતો. દીપડાના હુમલાને જોતા જ બાળકના માતા પિતા દોડી આવ્યા હતા અને બાળકને દીપડાથી બચાવી લીધો હતો. જયારે દીપડો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા દીક્ષિતને તાત્કાલિક વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેને જમણા ગાલ, ગળા અને માથામાં દીપડાનાં નખને કારણે ગંભીર ઈજા હોવાથી ડ્રેસિંગ કરવામાં આવ્યુ હતું. બીજી તરફ ઘટનાની જાણ થતા જ વાંસદા નેશનલ પાર્ક સહીત વાંસદા પૂર્વ વન વિભાગના અધિકારીઓએ હોસ્પિટલમાં ઘાયલ બાળકની મુલાકાત લઇ, તેના ખબર અંતર જાણ્યા હતા. સાથે જ આંબાબારી ગામની મુલાકાત લઇ, દીપડો ક્યાંથી આવ્યો હશે, કેવી રીતે હુમલો કર્યો એ વિષેની માહિતી મેળવી, દીપડાના જ્યાંથી આંટાફેરા રહે છે એ સ્થળે તેમજ બાળકના ઘર નજીક એમ અલગ અલગ સ્થળોએ 4 પાંજરા ગોઠવવામાં આવ્યા છે.

સપ્ટેમ્બર – ઓક્ટોબર મહિનામાં પણ દીપડાએ માણસો પર કર્યો હતો હુમલો

વાંસદા તાલુકામાં જંગલ વિસ્તાર વધુ છે. બીજું વાંસદા નેશનલ પાર્ક પણ વાંસદા અને ડાંગના વઘઇની સરહદ ઉપર બનાવવામાં આવ્યુ છે. નેશનલ પાર્કમાં ફરતા દીપડાઓ તેના સરહદી ગામડાઓમાં પણ જઈ ચઢતા હોય છે. જેમાં નેશનલ પાર્કની દીવાલ પાસે બેઠેલા દીપડાએ કુદરતી હાજતે ગયેલા બાળક ઉપર દીપડાએ હુમલો કરતા વાંસદામાં ગત મહિનાઓમાં થયેલા હુમલાઓ પણ લોકોને યાદ આવી ગયા છે. ગત 26 સપ્ટેમ્બરના રોજ વાંસદાના મોટી વાલઝર ગામે બાળકી ઉપર હુમલો કર્યો હતો, જેના બે કે ત્રણ દિવસોમાં જ દીપડાએ નજીકના ઉપસળ ગામે પણ બાળકી ઉપર હુમલો કર્યો હતો. જેમાં બંને બાળકીઓ ગંભીર રીતે ઘવાતા તેમની યોગ્ય સારવાર કરાવવામાં આવી હતી. જયારે જેના અઠવાડીયા બાદ જ વાંસદાના ઉપસળ ગામના એક ઘરમાં પ્રવેશેલા દીપડાએ ઘરના યુવાન ઉપર હુમલો કરતા, યુવાનને પણ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

Continue Reading

દક્ષિણ-ગુજરાત

ચીખલીના રાનકુવા ગામે સોસાયટીમાં દીપડાની લટારથી ગ્રામજનોમાં ભય

Published

on

By

દીપડાની લટાર સીસીટીવી કેમેરામાં થઇ કેદ

નવસારી : નવસારી જિલ્લો દીપડાઓ હવે શહેરઅને ગામડાઓના રહેણાક વિસ્તારોમાં આવતા થયા છે. ગત રાતે નવસારીના રાનકુવા ગામની સોસાયટીમાં દીપડાનાં આંટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ બન્યો છે. દીપડાની લટાર મુદ્દે ચીખલી વન વિભાગને જાણ કરવામાં આવી છે.

દીપડાની લટાર મુદ્દે ચીખલી વન વિભાગને જાણ કરવામાં આવી

નવસારી જિલ્લો દીપ્દાઓનું અભયારણ્ય બની રહ્યો હોય એવી સ્થિતિ બની રહી છે. કારણ જંગલ વિસ્તારમાં જ દેખાતા દીપડાઓ હવે શહેર અને ગામડાઓના રહેણાંક વિસ્તારોમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગામડાઓમાં પાલતું પશુઓને શિકાર બનાવવાની લાલચે દીપડાઓ ગામના ફળિયાઓ સુધી પહોંચી જતા હોય છે. ગત રાત્રીએ ચીખલી તાલુકાના રાનકુવા ગામની શિવ દર્શન સોસાયટીમાં દીપડો આવી ચઢ્યો હતો. સોસાયટીની ગલીઓમાં દહાડ સાથે આરામથી ટહેલતો દીપડો એક ઘરના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. સોસાયટીમાં દીપડો આંટાફેરા મારતો હોવાની જાણ થતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ બન્યો છે. ઘટનાની જાણ ચીખલી વન વિભાગને કરવામાં આવી છે.

બે દિવસ અગાઉ નોગામા ગામે પણ દીપડો જોવાયો હતો

ચીખલીના નોગામા ગામે પણ બે દિવસ અગાઉ દીપડો દેખાયો હતો. નોગામાના ધોડિયાવાડમાં નિકુંજ પટેલનાં મરઘા ફાર્મ આસપાસ આંટાફેરા મારતો દીપડો ફાર્મના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. બીજી તરફ ચીખલીના જોગવાડ ગામે કોયા ફળિયામાં રહેતા વિપુલ હળપતિના ઘર પાસેથી દીપડો પાસાર થતા જોવાયો હતો. સમગ્ર મુદ્દે ચીખલી વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.

Continue Reading
Advertisement

Trending