Connect with us

મારું ગામ

???????????? ???????????? ?????????i?????????t?????? ?????????????????? ???????????? ??????????????? ?????????t????????? ???????????????????????? ???????????????

Published

on

??????????????? : ??????????????? ?????????????????? ???????????????????????? ???????????? ???????????? ???????????????????????? ??????????????????????????? ??????????????? ??????????????? ??????????????? ??????????????? ???????????????????????? ?????????????????? ???????????? ?????????????????? ????????? ????????????????????? ?????????????????? ????????????. ??????????????????????????? ?????????????????????????????? ??????????????? ???????????? ?????????????????? ???????????? ????????? ????????? ??????????????? ??? ????????? ??? ?????????????????? ??????????????? ?????????????????? ?????????????????? ??????????????? ?????????????????? ??????????????????????????? ???????????????????????? ????????? ?????????. ??????????????? ???????????? ?????????????????????????????? ????????????????????? ??????????????? ?????????????????? ?????????????????? ??????????????? ?????? ?????????????????? ?????????. ???????????????????????????????????? ???????????????????????? ????????? ?????????????????????????????? ???????????????????????? ????????? ???????????? ?????????. ??????????????? ?????????????????? ?????????????????? ?????????????????????????????? ?????????????????????????????? ??????????????? ???????????? ??? ?????????????????? ??????????????? ?????????????????? ?????? ??????????????? ?????????. ??? ??????????????? ?????????????????? ??????????????? ??????????????????????????? ????????????, ????????????????????? ???????????? ????????????, ?????????????????? ??????????????? ??????????????? ????????????????????? ???????????? ??????????????? ???????????????????????? ??????????????? ?????????????????? ???????????????????????? ?????????????????? ???????????? ???????????????, ????????????????????? ????????? ???????????? ???????????????????????? ????????????????????? ??????????????? ?????????.

દક્ષિણ-ગુજરાત

દેવધા સ્થિત દેવસરોવર ડેમના 20 દરવાજા ખોલાયા, 20 બાકી

Published

on

By

અંબિકા નદી કિનારાનાં 16 ગામોને કરાયા એલર્ટ

નવસારી : નવસારીના ગણદેવી તાલુકાના દેવધા ગામ પાસે અંબિકા નદી ઉપર બનેલ દેવ સરોવર ટાઇડલ ડેમના 40 માંથી 20 દરવાજાને આજે અધિકારીઓની ઉપસ્થિતિમાં ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલતા પૂર્વે અંબિકા કિનારાના 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

ગણદેવી અને બીલીમોરા શહેર અને 20 થી વધુ ગામો માટે દેવ સરોવર ડેમ જીવાદોરી સમાન

નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકો નંદનવન તરીકે ઓળખાય છે. કારણ અહીં ચીકુ અને આંબાવાડીઓ મોટા પ્રમાણ છે, સાથે જ ડાંગર તેમજ શેરડી સાથે જ અન્ય બાગાયતી પાકોનું ઉત્પાદન પણ ગણદેવીમાં થાય છે. ત્યારે ગણદેવી અને બીલીમોરા શહેર તેમજ અંબિકા નદીના કિનારાના 20 થી વધુ ગામોને પીવાના પાણી સાથે જ સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે એ હેતૂથી તાલુકાના દેવધા ગામ નજીક અંબિકા ઉપર દેવ સરોવર ટાઇડલ ડેમ (દેવધા ડેમ) બનાવવામાં આવ્યો હતો. અંબિકા નદીમાં ચોમાસા પૂર્વે પાણીની આવક વધતા ડેમના દરવાજા ડ્રેનેજ વિભાગ દ્વારા ખોલી નાંખવામાં આવે છે. નવસારીના ઉપરવાસના જિલ્લા ડાંગમાં ગત મે મહિનાથી સારો વરસાદ વરસતા અંબિકા નદી બે કાંઠે વહેતી થઇ હતી. જેમાં જૂનના મધ્યથી વરસાદની શરૂઆત થતા, આજે ડ્રેનેજ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ખુશ્બુ પટેલની ઉપસ્થિતિમાં દેવ સરોવર ડેમના 40 માંથી 20 દરવાજાને રૂટીન પ્રક્રિયા હેઠળ ખોલવામાં આવ્યા હતા. નદીમાં પાણીની આવક વધુ થશે, તો બાકીના 20 દરવાજાઓને પણ ખોલી દેવામાં આવશે. ડેમના દરવાજા ખોલવા પૂર્વે તંત્ર દ્વારા અંબિકા નદીના કિનારાના 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલાતા જ પશ્ચિમ તરફનો નજારો આહ્લાદક બન્યો હતો. ડેમના દરવાજા ખુલતા માછીમારો પણ કિનારેથી અને નદીમાં હોડકા લઇ માછલી પકડતા પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દેવધાનો દેવ સરોવર ટાઇડલ ડેમ તાલુકાના બે શહેરો અને 20 થી વધુ ગામડાઓ માટે જીવાદોરી સમાન છે.

Continue Reading

ગુજરાત

નવસારીમાં 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી

Published

on

જિલ્લામાં 1.08 લાખ મતદારો 22 જૂને મતદાન કરી ચુંટશે ગ્રામ્ય સરકાર

નવસારી : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચુંટણીનું બ્યુગલ વાગી ચુક્યુ છે અને ચુંટણી મેદાનમાં ઉતરનારા મહારથીઓ પણ સજ્જ થઇ ચુક્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ 56 માંથી 11 ગ્રામ પંચાયતો સમરસ થતા હવે 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાંથી 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી, આગામી 22 જૂન, 2025 ના રોજ યોજાશે.

સામાન્ય ચુંટણીમાં 126 ઉમ્દેવારો સરપંચ અને 433 ઉમેદવારો સભ્યની ચુંટણી લડશે

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન હતુ. પરંતુ હવે ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ ગામ સરકાર રચાશે. ગ્રામ પંચાયતોની જાહેરાત થયા બાદ જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતાના સમર્પિત ઉમેદવારોને ચુંટણી મેદાનમાં ઉતારવા થનગની રહ્યા હતા. જેમાં જિલ્લાના 5 તાલુકાઓની 56 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી યોજવાની ઘોષણા થઇ હતી. ઉમેદવારીપત્રો ભરાયા બાદ અનેક કારણોમાં સામાન્ય ચુંટણીમાં સરપંચ માટે 183 ઉમેદવારોએ 184 ફોર્મ ભર્યા હતા. જયારે સભ્ય પદ માટે 700 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી સરપંચમાં 1 અને સભ્યમાં 16 ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને 45 સરપંચ ઉમેદવારોએ અને 23 સભ્ય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. જયારે 11 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. જેથી હવે જિલ્લામાં 45 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે 126 ઉમેદવારો અને સભ્ય પદ માટે 433 ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. આગામી 22 જૂને, 45 ગામોના 53,410 પુરૂષ અને 55,276 મહિલા મતદારો મળીને કુલ 108686 મતદારો પોતાના ભાવી સરપંચ અને વોર્ડ સભ્યોને ચુંટશે.

14 ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમાં 26,441 મતદારો કરશે મતદાન

બીજી તરફ જિલ્લામાં 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી પણ જાહેર થઇ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ચુંટણી જંગ લડવા તૈયાર થયા હતા. જેમાં સરપંચ માટે 28 ઉમેદવારો અને સભ્ય માટે 85 ઉમેદવારોએ ચુંટણી જંગમાં ઝંપલાવવા કમર કસી હતી. પરંતુ 2 સભ્ય પદ માટેના ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને સરપંચના 8 અને સભ્યના 8 ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતા. જેમાં 1 સરપંચ અને 42 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જેથી હવે 14 ગ્રામ પંચાયતોમાં 19 ઉમેદારો સરપંચ પદ માટે અને ૩૩ ઉમેદવારો સભ્ય પદ માટે ચુંટણી જંગ ખેલશે. પેટા ચુંટણીમાં 13,241 પુરૂષ અને 13,200 મહિલા મતદારો મળીને કુલ 26,441 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જે ગામોમાં સામાન્ય ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : દંડેશ્વર અને નવા તળાવ

જલાલપોર : સિસોદ્રા પારડી (આરક) જૂથ, પનાર, કણીયેટ ચોરમલા ભાઠા, માછીવાડ, માછીવાડ (દીવાદાંડી), આસણા, દાંતી, કૃષ્ણપુર અને ઓન્જલ

ગણદેવી : પીપલધરા, સરીબુજરંગ, તલોધ, અંચેલી, તોરણ ગામ, એંધલ, પીંજરા, વેગામ અને અમલસાડ

ચીખલી : કણભઈ, સતાડીયા, રૂમલા, આંબાપાડા, સ્યાદા, તલાવચોરા, બારોલીયા મંદિર ફળિયા,

વાંસદા : મહુવાસ, અંકલાછ/કામળઝરી જૂથ, લાકડબારી, ગંગપુર, ઉમરકુઇ, મીંઢાબારી, કુકડા, કુરેલિયા, ગોધાબારી, ચોંઢા, કાવડેજ, પીપલખેડ, રવાણીયા, વાઘાબારી, પાલગભાણ, કંબોયા, પ્રતાપનગર અને વાંદરવેલા

જે ગામોમાં પેટા ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : નસીલપોર/વીરવાડી જૂથ, વાડા (અદડા) અને પરતાપોર

જલાલપોર : સાગરા

ગણદેવી : આંતલિયા, માસા, ઉંડાચ લુહાર ફળિયા અને વડસાંગળ

ચીખલી : ઘેકટી, નોગામા, સાદકપોર, ઢોલુમ્બર, સોલધરા અને આમધરા

Continue Reading

અપરાધ

પેટના દુઃખાવાને તાંત્રિક વિધિથી દૂર કરવા ગયેલા ભગતને મળ્યું મોત, LCB એ હત્યાનો ભેદ ઉકેલ્યો

Published

on

By

હત્યાના ગણતરીના કલાકોમાં પોલીસે હત્યારાની કરી ધપરકડ

નવસારી : પેટના દુઃખાવાનો ઉપચાર નહીં, પણ તાંત્રિક વિધિ કરાવવા વાઘાબારીના ભગત પાસે પહોંચેલો ગામનો દર્દી જ હત્યારો નીકળતા ચકચાર મચી જવા પામી છે. વાંસદાના વાંદરવેલા ગામેથી નદી કિનારે માથું છે છૂંદાયેલી હાલતમાં મળેલ ભગતની હત્યાનો ભેદ નવસારી LCB પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલીને, હત્યારાને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

ધીરૂ પટેલની અંધશ્રદ્ધા : પેટનો દુઃખાવો દૂર કરવા દવા નહીં, પણ તાંત્રિક વિધિ કરાવી

જિલ્લાના આદિવાસી પટ્ટામાં અંધશ્રદ્ધાને કારણે લોકો નાની-મોટી બીમારીઓમાં દવાખાને જવાને બદલે તાંત્રિક વિધિ કરનારા ભગતો પાસે જતા હોય છે. આવી જ એક ઘટનામાં નવસારીના વાંસદા તાલુકાના વાઘાબારી ગામના ધીરૂ મિઠ્ઠલ પટેલ છેલ્લા કેટલાક દિવસથી પેટના દર્દથી પીડાતો હતો. જેણે પેટના દુઃખાવાની યોગ્ય દવા કરાવવાને બદલે, તાંત્રિક વિધિ કરતાં ગામના જ ભગત ઝીણા પટેલનો સંપર્ક કર્યો હતો. ઝીણા પટેલે ધીરૂને તાંત્રિક વિધિથી દુઃખાવો મટાડી આપવાનું આશ્વાસન આપતા ધીરૂ તેની પાસે વિધિ કરાવવા તૈયાર થયો હતો.

વિધિમાં ઝીણા ભગતે ધીરૂને પીઠમાં ધબાટ મારતા થઈ માથાકૂટ અને ઝીણા ભગતને મોત મળ્યું

ઝીણા ભગતે ગઈ કાલે રાત્રે વાંસદાના વાંદરવેલા ગામે ગીતામણી નદીના કિનારે પીપળાના ઝાડ નીચે વિધિ કરવાનું નક્કી કર્યુ હતું. જેથી ઝીણા ભગત અને ધીરૂ પટેલ બંને ત્યાં પહોંચ્યા હતા. વિધિ ચાલી રહી હતી તે દરમિયાન ઝીણા ભગતે અચાનક ધીરૂની પીઠ પર ધબાટ મારતા ધીરૂ અકળાયો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડામાં ધીરૂ પટેલે આવેશમાં આવી ઝીણા ભગતના માથામાં પથ્થર મારી, તેમનું માથું છુંદી નાખ્યું હતું. એટલું જ નહીં, ઓળખ છુપાવવા માટે આરોપીએ ભગતના ચહેરાને સળગાવી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આજે સવારે જ્યારે ગ્રામજનોએ નદી કિનારે મૃતદેહ જોતા તાત્કાલિક વાંસદા પોલીસને જાણ કરી હતી. વાંસદા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક ઝીણા પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાંસદા રેફરલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

ઝીણા ભગતના સંપર્કમાં આવેલા લોકોના નિવેદન અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી હત્યારો ધીરૂ પકડાયો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક અને ઇન્ચાર્જ પોલીસ વડા ભગીરથસિંહ ગોહિલ અને નવસારી LCB પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી. ઘટનાસ્થળેથી પોલીસને નારિયેળ, લીંબુ અને પૂજાનો અન્ય સામાન મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે પ્રાથમિક તારણ કાઢ્યું કે ઝીણા ભગત કોઈકની સાથે વિધિ કરવા આવ્યા હતા અને બાદમાં તેમની હત્યા થઈ છે. જેથી નવસારી LCB પોલીસે ઝીણા ભગત સાથે સંકળાયેલા લોકોના નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું. જેમાં ઝીણા ભગત છેલ્લે ધીરૂ પટેલ સાથે ગયા હોવાનું જાણવા મળ્યુ અને પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી હત્યારા ધીરૂનું પગેરું શોધી કાઢ્યું હતું. પોલીસે ધીરૂની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે ઝીણા પટેલની હત્યાની કબૂલાત કરી હતી. જેથી નવસારી LCB પોલીસે ગણતરીના કલાકોમાં જ ભગતના હત્યારા ધીરૂ પટેલની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઉલ્લેખનિય છે કે, ઝીણા ભગતની હત્યાની ઘટનાએ અંધશ્રદ્ધામાં ગુનાખોરી તરફ જતા વાર નથી લાગતીના તર્કને ફરી એકવાર સમર્થન આપ્યુ છે.

Continue Reading
Advertisement

Trending