Connect with us

રાજકારણ

મહારાષ્ટ્રમાં રાજ રમત, ભાજપે અન્યો પક્ષોને પછાડી મેળવી સત્તા !!

Published

on

મહારાષ્ટ્રમાં ફરી દેવેન્દ્રનું રાજ, અજીત પવાર ઉપમુખ્યમંત્રી

મુંબઇ : મહારાષ્ટ્રની રાજગાદી માટેની રાજકીય પક્ષોની લડાઈની ચરમસીમા વચ્ચે જ્યાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધન મજબુત કરવાના પ્રયાસોમાં હતા, ત્યાં જ ભાજપે અડધી રાતે રાજ રમતનો માસ્તર સ્ટ્રોક મારીને આજે ફરી મહારાષ્ટ્રનું રાજ દેવેન્દ્ર ફડવનીસને સોંપ્યું છે. જયારે એનસીપીના અજિત પવારને ઉપમુખ્યમંત્રી બનાવી શિવસેનાનાં સપના પર પાણી ફેરવ્યુ છે. જોકે ભાજપ સાથેનાં એનસીપીના ગઠબંધનવાળી સરકાર મુદ્દે એનસીપી સુપ્રીમો શરદ પવારે ભાજપ સાથેનાં સંબંધનો નિર્ણય અજિત પાવરનો વ્યક્તિગત નિર્ણય હોવાની માહિતી ટ્વીટ કરી હતી. ઉલ્લેખનીય છે કે હજુ વિધાનસભામાં ભાજપે ફ્લોર ટેસ્ટમાં ૧૪૫ ની સંખ્યા એટલે કે બહુમતી મેળવવી પડશે.

હિન્દુત્વના વિચાર સાથે મહારાષ્ટ્રમાં મજબુત પકડ ધરાવતી શિવસેના સાથે ભાજપની વર્ષોની મિત્રતા વિધાનસભા ચુંટણી બાદ સત્તાનાં સુકાનને લઇને વિવાદમાં આવી હતી. મહારાષ્ટ્રમાં ભાજપ ફરી દેવેન્દ્રને રાજ સોંપવા માંગતું હતું અને તેની જાહેરાત ભાજપના ચાણાકય ગણાતા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પહેલા જ કરી ચુક્યા હતા. પરંતુ શિવસેનાએ આ વખતે મુખ્યમંત્રી શિવસેનાનો જ હોવાની જીદ પકડતા મુખ્યમંત્રીનું કોકડું ગુચવાયું હતું. જેમાં પણ બંને પક્ષોએ એક બીજાને દગાબાજ ગણાવી સરકાર રચવા મુદ્દે વિરોધી પક્ષો તરફ નજર માંડી હતી. અંતે ભાજપે થોડા સમય માટે પીછે હટ કરી અને શિવસેનાએ સરકાર બનાવવા માટે ભાજપથી અલગ જઇ રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે મંત્રણાઓ શરૂ કરી હતી. જોકે મહારાષ્ટ્રમાં એક પણ પક્ષે સ્પષ્ટ બહુમત ન હોવાને કારણે સરકાર બનાવવામાં અસમર્થ રહેતા મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગાવી દેવામાં આવ્યું હતું. દરમિયાન શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સત્તાની વહેંચણી મુદ્દે બેઠકોનો દોર શરૂ થયો હતો, જેનો અંત શુક્રવારે સાંજે આવ્યો હોય એવું જણાયું અને બેઠકને અંતે એનસીપી સુપ્રીમો શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હશેની વાત કરી હતી. જયારે શિવસેના સુપ્રીમો ઉદ્દ્ધાવ ઠાકરેએ પણ આનંદિત સ્વરમાં મહારાષ્ટ્રની સરકાર શિવસેનાના દમ પર બનવાના સંકેત આપી હજુ વાતચીત ચાલુ હોવાનું જણાવ્યું હતું. જોકે રાત પડતા જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપે માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. રાજ રમતનો એવો દાંવ ભાજપે લગાવ્યો કે અડધી રાતે જ મહારાષ્ટ્રના ગઠબંધનના તમામ સમીકરણો બદલાયા અને આજે શનિવારે વહેલી સવારે મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન હટી પણ ગયું અને સવારે ભાજપ અને એનસીપીના ગઠબંધનમાં નવી સરકારે શપથ વિધિ પણ આટોપી લીધી. જેમાં મહારાષ્ટ્રમાં ફરી એકવાર ભાજપનાં દેવેન્દ્ર ફડનવીસનું રાજ સ્થપાયું. જેમાં એનસીપી સુપ્રીમો શરદ પવારના ભત્રીજા અજિત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જોકે ભાજપના ૧૦૫ ધારાસભ્યો સાથે અજિત પવાર તેમજ તેમના સમર્થક ધારાસભ્યો મળીને પણ સરકાર બનાવવા માટેની બહુમતી મેળવી શક્યા નથી. જેથી વિધાન સભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન ભાજપે બહુમતી મેળવવા માટે હજુ ઘણા દાંવ ખેલવા પડશે…

મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીનાં સહકારથી રચાયેલી નવી સરકારે સવાર સવારમાં જ શિવસેનાનું મુખ્યમંત્રીનું સપનું તોડી નાખ્યું હતું. સાથે જ ભાજપ-એનસીપી યુતિથી કોંગ્રેસ પણ અચંભામાં મુકાઈ ગઈ હતી. જોકે સમગ્ર મુદ્દે એનસીપી સુપ્રીમો શરદ પવારે ટ્વીટ કરીને જણાવ્યુ કે અજિત પાવરનો ભાજપને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા સમર્થનનો નિર્ણય તેમનો વ્યક્તિગત નિર્ણય છે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી) નો નથી. અમે એમના નિર્ણયને સમર્થન નથી કરતા.

બીજી તરફ ભાજપના દેવેન્દ્ર ફડનવીસ મુખ્યમંત્રી બનતા શિવસેનાએ પણ આકરા પ્રહારો કર્યા હતા. શિવસેનાનાં સંજય રાઉતે પત્રકારોને સંબોધતા જણાવ્યુ કે ભાજપે રાત્રી દરમિયાન જે પાપ કર્યું છે, એ મહારાષ્ટ્રના લોકતંત્ર માટે શરમજનક વાત છે. આ રાત્રી દરમિયાન ચોરી અને લૂટ ચલાવવા બરાબર છે. ભાજપના સમર્થન મુદ્દે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે વાત થઇ છે અને બંને નેતાઓ આ મુદ્દે મળી પણ શકે છે અને કદાચ પત્રકારોને પણ સંયુક્ત પણે સંબોધન કરી શકે છે.

ગુજરાત

નવસારીમાં 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી

Published

on

જિલ્લામાં 1.08 લાખ મતદારો 22 જૂને મતદાન કરી ચુંટશે ગ્રામ્ય સરકાર

નવસારી : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચુંટણીનું બ્યુગલ વાગી ચુક્યુ છે અને ચુંટણી મેદાનમાં ઉતરનારા મહારથીઓ પણ સજ્જ થઇ ચુક્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ 56 માંથી 11 ગ્રામ પંચાયતો સમરસ થતા હવે 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાંથી 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી, આગામી 22 જૂન, 2025 ના રોજ યોજાશે.

સામાન્ય ચુંટણીમાં 126 ઉમ્દેવારો સરપંચ અને 433 ઉમેદવારો સભ્યની ચુંટણી લડશે

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન હતુ. પરંતુ હવે ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ ગામ સરકાર રચાશે. ગ્રામ પંચાયતોની જાહેરાત થયા બાદ જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતાના સમર્પિત ઉમેદવારોને ચુંટણી મેદાનમાં ઉતારવા થનગની રહ્યા હતા. જેમાં જિલ્લાના 5 તાલુકાઓની 56 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી યોજવાની ઘોષણા થઇ હતી. ઉમેદવારીપત્રો ભરાયા બાદ અનેક કારણોમાં સામાન્ય ચુંટણીમાં સરપંચ માટે 183 ઉમેદવારોએ 184 ફોર્મ ભર્યા હતા. જયારે સભ્ય પદ માટે 700 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી સરપંચમાં 1 અને સભ્યમાં 16 ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને 45 સરપંચ ઉમેદવારોએ અને 23 સભ્ય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. જયારે 11 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. જેથી હવે જિલ્લામાં 45 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે 126 ઉમેદવારો અને સભ્ય પદ માટે 433 ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. આગામી 22 જૂને, 45 ગામોના 53,410 પુરૂષ અને 55,276 મહિલા મતદારો મળીને કુલ 108686 મતદારો પોતાના ભાવી સરપંચ અને વોર્ડ સભ્યોને ચુંટશે.

14 ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમાં 26,441 મતદારો કરશે મતદાન

બીજી તરફ જિલ્લામાં 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી પણ જાહેર થઇ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ચુંટણી જંગ લડવા તૈયાર થયા હતા. જેમાં સરપંચ માટે 28 ઉમેદવારો અને સભ્ય માટે 85 ઉમેદવારોએ ચુંટણી જંગમાં ઝંપલાવવા કમર કસી હતી. પરંતુ 2 સભ્ય પદ માટેના ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને સરપંચના 8 અને સભ્યના 8 ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતા. જેમાં 1 સરપંચ અને 42 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જેથી હવે 14 ગ્રામ પંચાયતોમાં 19 ઉમેદારો સરપંચ પદ માટે અને ૩૩ ઉમેદવારો સભ્ય પદ માટે ચુંટણી જંગ ખેલશે. પેટા ચુંટણીમાં 13,241 પુરૂષ અને 13,200 મહિલા મતદારો મળીને કુલ 26,441 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જે ગામોમાં સામાન્ય ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : દંડેશ્વર અને નવા તળાવ

જલાલપોર : સિસોદ્રા પારડી (આરક) જૂથ, પનાર, કણીયેટ ચોરમલા ભાઠા, માછીવાડ, માછીવાડ (દીવાદાંડી), આસણા, દાંતી, કૃષ્ણપુર અને ઓન્જલ

ગણદેવી : પીપલધરા, સરીબુજરંગ, તલોધ, અંચેલી, તોરણ ગામ, એંધલ, પીંજરા, વેગામ અને અમલસાડ

ચીખલી : કણભઈ, સતાડીયા, રૂમલા, આંબાપાડા, સ્યાદા, તલાવચોરા, બારોલીયા મંદિર ફળિયા,

વાંસદા : મહુવાસ, અંકલાછ/કામળઝરી જૂથ, લાકડબારી, ગંગપુર, ઉમરકુઇ, મીંઢાબારી, કુકડા, કુરેલિયા, ગોધાબારી, ચોંઢા, કાવડેજ, પીપલખેડ, રવાણીયા, વાઘાબારી, પાલગભાણ, કંબોયા, પ્રતાપનગર અને વાંદરવેલા

જે ગામોમાં પેટા ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : નસીલપોર/વીરવાડી જૂથ, વાડા (અદડા) અને પરતાપોર

જલાલપોર : સાગરા

ગણદેવી : આંતલિયા, માસા, ઉંડાચ લુહાર ફળિયા અને વડસાંગળ

ચીખલી : ઘેકટી, નોગામા, સાદકપોર, ઢોલુમ્બર, સોલધરા અને આમધરા

Continue Reading

ગુજરાત

ધરમપુર શહેર કોંગ્રેસના પ્રમુખ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

Published

on

By

વાંસદાના લોકદરબારમાં સાંસદ ધવલ પટેલે ભગવો ખેસ પહેરાવી આવકાર્યા

નવસારી : વલસાડના ધરમપુર શહેર કોંગ્રેસમાં આજે મોટુ ગાબડું પડ્યુ હતું. કારણ ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ આજે પોતાના સમર્થકો સાથે વાંસદા ખાતે સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલના હસ્તે ભગવો ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

ધરમપુરનાં વિકાસને ધ્યાને રાખી ભાજપમાં જોડાયા – મુકેશ આહીર

રાજકારણમાં પક્ષ પલટો સામાન્ય બનતો જાય છે. જ્યાં વિચારધારાની લડાઇ કહેવામાં આવે છે, પરંતુ ક્યારેક લાંબા સમય સુધી પોતાના વિસ્તારોમાં અટકેલા કાર્યો પૂર્ણ થતા ન હોય અથવા રાષ્ટ્રીય કક્ષાએ પક્ષનાં નિર્ણયથી વિચલિત થઇ ઘણા નાના કાર્યકરો પક્ષ પલટો કરતા હોય છે. ત્યારે આજે વલસાડ જિલ્લાના ધરમપુર શહેર કોંગ્રેસના પ્રમુખ મુકેશ આહીર પોતાના 80 થી વધુ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. નવસારીના વાંસદા ખાતે વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલનો લોકદરબાર હતો, જ્યાં ધરમપુર કોંગ્રેસ પ્રમુખ મુકેશ આહિરે સાંસદ ધવલ પટેલના હાથે ભગવો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. મુકેશ આહીર ધરમપુર નગરપાલિકામાં બે ટર્મ નગરસેવક પણ રહ્યા હતા. પરંતુ ગત પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસનાં સુપડાસાફ થયા હતા. જેમાં ભાજપના ફાળે 20 બેઠકો અને 4 અપક્ષો ઉપર ધરમપુર શહેરનાં મતદારોએ વિશ્વાસ મુક્યો હતો. બીજી તરફ ધરમપુર શહેરના વિકાસ કાર્યો લાંબા સમયથી અટક્યા હતા, ત્યારે ગુજરાત અને કેન્દ્ર બંનેમાં ભાજપ સરકાર હોય, ધરમપુરના વિકાસને ધ્યાને રાખી ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ આહીર પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. જેમને સાંસદ ધવલ પટેલે સહર્ષ આવકાર્યા હતા.

Continue Reading

ગુજરાત

ED સામેના કોંગ્રેસના વિરોધને ભાજપે વખોડી, સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ

Published

on

By

નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં રાહુલ – સોનિયા ગાંધી સામે ED એ ચાર્જશીટમાં લગાવ્યા આરોપ

નવસારી : નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં ED દ્વારા ચાર્જશીટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ઉપર આરોપ મઢતા, કોંગ્રેસે ષડયંત્રના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે કરેલા વિરોધને ભાજપે વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. નવસારી જિલ્લા ભાજપ યુવા મોર્ચાએ પણ શહેરના જુનાથાણા સર્કલ પાસે કોંગ્રેસના વિરોધને ખોટો ગણાવી, તેની સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહયોગ કરવો જોઈએ – ભાજપ

નેશનલ હેરાલ્ડ કૌભાંડ પ્રકરણમાં ED દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે આરોપ મઢેલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે આગામી 25 એપ્રિલે સુનવણી આપી છે. ED એ સોનિયા અને રાહુલ ગાંધી સામે આરોપ મઢતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ બની છે, કોંગ્રેસે ઉગ્રતાથી સમગ્ર પ્રકરણમાં બદલાની ભાવનાથી કાર્યવાહી થતી હોવાના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેની સામે ભાજપે પણ ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખો સૂર સાથે કોંગ્રેસના વિરોધને વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં નવસારી જિલ્લા યુવા મોર્ચાએ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની આગેવાનીમાં નવસારી શહેરના જુનાથાણા સર્કલ પાસે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી, વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહકાર આપવો જોઈએની વાત કરી કોંગ્રેસના વિરોધને વખોડી કાઢ્યો હતો.

 

Continue Reading
Advertisement

Trending