Connect with us

ધર્મ

મકરસંક્રાંતિના પાવન પર્વે ગાયોને હજારો લાડૂનું દાન

Published

on

નવસારીના જૈન મિત્ર મંડળ દ્વારા લાડૂ અને રોટલી બનાવી પાંજરાપોળમાં ગાયોને ખવડાવવાનું આયોજન

નવસારી : ભારતીય શાસ્ત્રોનુસાર દાન-પુણ્ય માટે મકરસક્રાંતિ શ્રેષ્ઠ દિવસ ગણાય છે. આજના દિવસે લોકો દાન-પુણ્ય કરવા તત્પર રહે છે. જેમા નવસારીના જૈન મિત્ર મંડળ દ્વારા હજારો કિલો લાડુ બનાવી નવસારી આસપાસની પાંજરાપોળમાં જઇ ગાયોને ખવડાવીને ધન્યતા અનુભવી હતી.

હિંદુ માન્યતાનુસાર જ્યારે ભગવાન સુર્ય મકરસ્થ થાય છે, ત્યારે સમગ્ર દિવસ અને સમય શુભ હોય છે અને આ સમયે દાન-પુણ્ય કરવુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રોક્ત મહિમાને કારણે ઉત્તરાયણના દિવસે લોકો મોટા પ્રમાણમા અબોલ પશુઓ સહિત પોતાની પરંપરા પ્રમાણે દાન કરતા હોય છે. જેમા ગાયોને દાનનુ પણ મહાત્મ્ય છે. ઉત્તરાયણના પર્વે નવસારીના જૈન યુવાનો દ્વારા છેલ્લા 10 વર્ષોથી નવસારી આસપાસના પાંજરાપોળમાં જઇ ખોડા ઢોરોને લાડુ, રોટલા અને ઘાસચારાનુ દાન કરવામાં આવે છે. આજે પણ જૈન મિત્ર મંડળના યુવાનો દ્વારા અંદાજે 2 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 22 કિલો લાડૂ, 500 કિલો રોટલા અને ઘાસચારા સાથે નવસારીના ખડસુપા સ્થિત ભગવાન મહાવીર પાંજરાપોળ તેમજ છાપરા ગામે, પુર્ણેશ્વર વિસ્તાર તેમજ શહેરની આસપાસ આવેલી પાંજરાપોળમાં જઇ ગાયોને લાડુ અને રોટલા પોતાના હાથે ખવડાવી ધન્યતા અનુભવી હતી.

દક્ષિણ-ગુજરાત

બીલીમોરાને આંગણે આવ્યો હરખનો પ્રસંગ, નૂતન મંદિરમાં બિરાજશે ભગવાન શ્રી સ્વામિનારાયણ

Published

on

By

પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે બીલીમોરામાં નીકળી ભવ્ય નગરયાત્રા

નવસારી : બીલીમોરા શહેરના આંગણે હરખનો પ્રસંગ આવ્યો છે, કારણ શહેરમાં નૂતન સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રીહરિ બિરાજિત થશે, જે પૂર્વે ભારતીય સંસ્કૃતિ અનુસાર ભગવાન સ્વામિનારાયણ સહિત અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓની ભવ્ય નગરયાત્રા નીકળી હતી, જેના થકી નગરજનોએ ભગવાનના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

સંતો અને આગેવાનોએ શ્રીફળ વધેરી નગરયાત્રાને પ્રસ્થાન કરાવ્યુ

બીલીમોરા શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે મૂર્તિઓની નગરમાં ભવ્ય નગર યાત્રા નીકળી હતી. નગરયાત્રામાં સૌ પ્રથમ ઠાકોરજીનું પૂજન પૂ. પુરુષોત્તમચરણ સ્વામી,પૂ. ધર્મચરણસ્વામી, પૂ. નારાયણચરણસ્વામી, પૂ. પૂર્ણકામસ્વામી, પૂ. નંદકિશોરસ્વામી તેમજ પૂ. જ્ઞાનવર્ધનસ્વામી વગેરે સંતોએ કર્યું હતું જેની સાથે જ પૂ. આનંદકિશોરસ્વામીએ વૈદિક વિધિ કરાવી હતી. ધારાસભ્ય નરેશ પટેલ સાથે અનેક મહાનુભાવો અને અગ્રગણ્ય હરિભક્તોનું સંતોએ ચાંદલો કરી અને હાર પહેરાવી સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ મહાનુભાવોએ સંતો સાથે શ્રીફળ વધેરી નગરયાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ નગરયાત્રામાં બીલીમોરા, નવસારી, ચીખલી, ગણદેવી તથા આજુબાજુ ગામડાના હજારો હરિભક્તો ભક્તિભાવ પૂર્વક જોડાયા હતા.

નગરયાત્રામાં શ્રીહરિની પ્રતિમા અને ગુણાતીત ગુરૂ પરંપરાની મૃતિઓ રહી આકર્ષણનું કેન્દ્ર

નગરયાત્રામાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી શિવ પાર્વતી શ્રી સીતારામ, શ્રી ગણપતિજી અને શ્રી હનુમાનજીની મૂર્તિઓ શોભી રહી હતી. સાથે ગુણાતીત ગુરુ પરંપરાની મૂર્તિઓ પણ શોભાયાત્રામાં હરિભક્તોની આસ્થાનું કેન્દ્ર બની રહી હતી. આતલિયા વિસ્તારમાંથી શરૂ થયેલી નગરયાત્રા દેસરા રોડ પર આવેલ નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરે વિરામ પામી હતી. જ્યાં સદગુરૂ સંતો પૂ. ભક્તિપ્રિયદાસસ્વામી (કોઠારી સ્વામી) તથા પૂ. વિવેકસાગરદાસસ્વામીએ નગરયાત્રાનું સ્વાગત કરી, ઠાકોરજીની આરતી ઉતારી નગરયાત્રાની સમાપ્તિ કરાવી હતી.

4 જાન્યુઆરીએ થશે ભગવાન સ્વામિનારાયણની પ્રાણ પ્રતિષ્ઠા

ત્રણ જાન્યુઆરીએ સવારમાં વિશ્વ શાંતિ મહાયાગ થશે અને સાંજે 6 થી 8 “કહાની કિસ્મત કી”  સંવાદ (નાટક) BAPS ના બાળકો યુવાનો રજૂ કરશે. 4 જાન્યુઆરીએ સવારમાં 09 થી 12 ભવ્ય અને દિવ્ય નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરમાં સદગુરૂ સંત પૂ. ભક્તિપ્રિયદાસસ્વામી (કોઠારી સ્વામી) સદગુરૂ સંત પૂ. વિવેકસાગરદાસસ્વામી હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે.

Continue Reading

તહેવાર

ઉર્જા બદલાતી નથી, એનું સ્વરૂપ બદલાય છે, વિજ્ઞાનનો સિદ્ધાંત હજારો વર્ષો પૂર્વે ગીતાએ દર્શાવ્યો

Published

on

By

મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુળમાં ગીતા જયંતીની થઇ ભવ્ય ઉજવણી

નવસારી : ભારતીય સંસ્કૃતિમાં અનેક ધર્મગ્રંથોએ જીવન સરળતાથી જીવવાના મુલ્યો શીખવે છે. જેમાં પણ શ્રીમદ્દ ભગવદ ગીતા હજારો વર્ષો વીતવા છતાં પણ આજે પણ એટલી જ ઉપયોગી છે. ત્યારે નવસારીના સુપા ગામે આવેલ મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુળમાં ભ્રહ્મચારીઓએ ગીતાના શ્લોકોનું પઠન કરી ભવ્ય રીતે ગીતા જયંતીની ઉજવણી કરી હતી. જેમાં યજ્ઞની રુચાઓથી સમગ્ર આશ્રમનું પ્રાંગણ ગુંજી ઉઠ્યુ હતુ.

ગીતા જીવન જીવવાની કળા શીખવે છે : ડો. ચંદ્રગુપ્ત

નવસારી જિલ્લામાં વર્ષોથી વૈદિક કાળની જેમ આશ્રમ પ્રથાથી શિક્ષણ આપતા મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુળ ખાતે આજે હર્ષોલ્લાસ સાથે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂકુળ, જે શતાબ્દી જૂની આર્ય સંસ્કૃતિ અને આધુનિક શિક્ષણનો સમન્વયને આધારે બાળકોને સનાતન ધર્મની પરંપરા સાથે જ આધુનિક શિક્ષણ આપે છે, ત્યારે ગીતા જયંતીના પવિત્ર દિવસે શ્રીમદ્દ ભગવદ ગીતા અને તેના જીવન મુલ્યોએ સૌને પ્રેરિત કર્યા હતા. આ ઉજવણીમાં ગુરૂકુળના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. ચંદ્રગુપ્તે જીવનમાં ગીતા અધ્યાયના પઠનનું મહત્વ સમજાવ્યુ હતુ. સાથે જ તેમણે શાસ્ત્રીય ઉદાહરણ સાથે આધુનિક વિજ્ઞાન અને ગીતાના ઊર્જા-સિદ્ધાંત વચ્ચેના સંબંધોને રેખાંકિત કરતા જણાવ્યુ હતુ કે, ઊર્જા અમર છે અને તેનું માત્ર સ્વરૂપ બદલી શકાય છે. આ વિજ્ઞાનના સિદ્ધાંતો ગીતા દ્વારા હજારો વર્ષ પહેલાં રજૂ કરાયા હતા. જીવનના દરેક તબક્કામાં અને આજના પરિપ્રેક્ષ્યમાં આવતા તમામ કામોમાં ગીતા જીવન જીવવાની કળા શીખવે છે. 

સંસ્કૃત પાઠશાળાના બ્રહ્મચારીઓએ ગીતાના શ્લોકોનું પઠન કરી, સંસ્કૃતિને ઉજાગર કરી

ગુરૂકુળના સહ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ રત્નાણીએ ગીતાને જીવન બદલવાની જડીબુટ્ટી તરીકે વર્ણવી, વિદ્યાર્થીઓને નિયમિત ગીતા પઠન કરવાની સલાહ આપી હતી. જયારે ગુરુકુળના સંસ્કૃત પાઠશાળાના બ્રહ્મચારીઓએ શ્રીમદ્દ ભગવદ ગીતાના શ્લોકોનું પઠન કરી આ દિવસે સનાતન સંસ્કૃતિને ઉજાગર કરી હતી. જેમાં વિધિવત યજ્ઞ-હવન સાથે આ ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. યજ્ઞમાં ગુરુકુળના આચાર્ય દીપેશજી, આચાર્ય વિવેકાનંદજી, આચાર્ય પ્રતીકજી અને શ્રદ્ધાનંદ આશ્રમના ગૃહપતિઓએ પણ ભાગ લીધો.

જિલ્લા શિક્ષણાધિકારીએ સાંસ્કૃતિક ધરોહર અને તેની જાળવણી માટે આપી શુભેચ્છા

ગીતા જયંતીની ઉજવણીમાં ગુજરાત ગુરૂકુળ સભાના પદાધિકારીઓએ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી હતી. સંસ્થાના મંત્રી પંકજસિંહ ઠાકોરે આશ્રમ દ્વારા ઉંચા શિક્ષણ સાથે વધુ તકો પૂરી પાડવામાં આવી રહી હોવાના વખાણ કર્યા કરી, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા  હતા. જયારે નવસારી જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરીએ સંસ્થાની સાંસ્કૃતિક ધરોહર અને તેની જાળવણી માટે શુભેચ્છા આપી હતી.

Continue Reading

ગુજરાત

આદિવાસી સંસ્કૃતિનું જતન : સાંસદ ધવલ પટેલના ઘરે વિરાજમાન શ્રીજીનું કરાયું વિસર્જન

Published

on

By

વિવિધ આદિવાસી નૃત્યો, પહેરવેશ અને વિવિધ યોજનાઓની થીમ સાથે કરાયુ ગણેશ વિસર્જન

સુરત : લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલના સુરતના નિવાસ સ્થાને  આયોજિત પાંચમા ગણેશોત્સવમાં દોઢ દિવસ સુધી શ્રીજીની ભક્તિભાવથી આરાધના કર્યા બાદ આજે ભારી હૈયે પટેલ પરિવારે વિઘ્નહર્તાને વિદાય આપી હતી. સાંસદ ધવલ પટેલે વિસર્જન યાત્રામાં સુરતીઓને આદિવાસી સંસ્કૃતિની ઝલક દેખાડી હતી.

વિસર્જન યાત્રામાં ડાંગી, ઘેરિયા, તુર, તારપો, ટીમલી જેવા નૃત્યોએ જમાવ્યું આકર્ષણ

વલસાડ લોકસભાના યુવા સાંસદ અને લોકસભાનાં દંડક ધવલ પટેલના સુરત ખાતેના ઘરે દોઢ દિવસના ગજાનનની વિધિવિધાન સાથે સ્થાપના કરવામાં આવી હતી. દોઢ દિવસ બાપ્પાની શ્રદ્ધાથી આગતા સ્વાગતા કર્યા બાદ આજે સાંસદ ધવલ પટેલ અને તેમના પરિવારે વિઘ્નહર્તાને વિદાય આપી હતી. સાંજે 5 વાગ્યા બાદ નીકળેલી વિસર્જન યાત્રામાં સાંસદ ધવલ પટેલે પોતાનું મુળ એવા આદિવાસી સંસ્કૃતિ અને પંરપરા અનુસાર ભગવાન શ્રી ગણેશજીને વિદાય આપી હતી. આદિવાસી થીમ સાથે જ વિવિધ યોજનાઓ વિસર્જન યાત્રામાં દર્શાવવામાં આવી હતી. જેમાં આદિવાસી સમાજના પરંપરાગત આદિવાસી પરિધાન સાથે હજારોની સંખ્યામાં ડાંગ, વાંસદા, અનાવલ, તાપી, સોનગઢ, વલસાડ, કપરાડા, ભરૂચ એમ દક્ષિણ ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા ભીલ, વસાવા, હળપતિ, ગામીત, ધોડિયા પટેલ, ચૌધરી, કુકણા સહિત દરેક આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. સાથે જ યાત્રામાં ડાંગી નૃત્ય, ઘેરિયા, તુર, તારપો, ટીમલી જેવા નૃત્યો યાત્રામાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

આગામી વર્ષથી સાંસદ ધવલ પટેલ વલસાડમાં ઉજવશે ગણેશોત્સવ

વિસર્જન યાત્રામાં રાજ્યના સૌથી મોટા આદિવાસી ડીજે રોકી સ્ટારના આદિવાસી ગીતો અને સંગીત ઉપર હજારો લોકો ઝૂમી ઉઠ્યા હતા. જેની સાથે સુરતનું પ્રખ્યાત ગાર્ડન ગ્રુપ પણ જોડાયુ હતું. લોકોએ આ અનોખી વિસર્જન યાત્રાને મનભરીને માણી અને આદિવાસી સમાજની કળા-સંસ્કૃતિથી માહિતગાર થયા હતા. યાત્રામાં એક પેડ માં કે નામ, નો ડ્રગ્સ, પ્રકૃતિ બચાવો, સેવ મધર અર્થ, કેચ ધ રેઇન જેવા વિષયોની કૃતિઓ સાથે જનજાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરાયો હતો. ઉલ્લેખનિય છે કે, આગામી વર્ષથી સાંસદ ધવલ પટેલ વલસાડમાં પોતાના કાયમી નિવાસ સ્થાને ગણેશોત્સવનું આયોજન કરશે.

Continue Reading
Advertisement

Trending