Connect with us

ગુજરાત

ગોડથલ ગામે રસ્તાની દિશા બદલાતા ભ્રષ્ટાચારનાં આક્ષેપો

Published

on

પટેલ ફળિયાના સ્થાનિકોએ ઉગ્ર આક્રોશ સાથે રસ્તાનું કામ અટકાવ્યુ

નવસારી : ચીખલી તાલુકાના ગોડથલ ગામે ૨.૧૫ કિમીનો અડધો રસ્તો બનાવ્યા બાદ તેની દિશા બદલી નંખાતા પટેલ ફળિયાના સ્થાનિકોએ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે આજે સવારે રસ્તાનું કામ અટકાવી દીધુ હતુ. પટેલ ફળિયાથી ઢોલુંબર તરફના ૭૦૦ મીટરના રસ્તાને સમય મર્યાદા બાદ પણ ન બનતા ગ્રામીણોના વિરોધને પગલે માર્ગ મકાનના અધિકારી અને ગામના સરપંચ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે જ જો રસ્તાનું કામ શરૂ ન થાય તો ગ્રામીણોએ ગાંધી માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી, જયારે માર્ગ મકાનના અધિકારીએ ૩ દિવસમાં કામ શરૂ કરવાનું આશ્વાસન આપ્યું હતુ.

ગુજરાતના વિકાસમાં રસ્તાઓએ મુખ્ય ભૂમિકા ભજવી છે. જેમાં ગામડાઓનાં નાના-નાનાં રસ્તાઓ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જિલ્લા પંચાયત હસ્તક બનાવવામાં આવતા ગામડાઓમાં પણ વિકાસની ગતિ જોવા મળી રહી છે. પરંતુ ઘણીવાર અધિકારી અને કોન્ટ્રાકટરને કારણે ગામડાનાં લોકોએ સમસ્યાનો સામનો કરવો પડે છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં અંતરિયાળ એવા ગોડથલ ગામના પટેલ ફળિયામાં આવેલ મસ્જીદથી પીપળા અને ત્યાંથી પૂર્વ સરપંચ બિપિનભાઈના ઘરથી ઢોલુંબર ગામ તરફ જતો રસ્તો ૪૯ લાખ રૂપિયા ખર્ચે એક વર્ષ અગાઉ મંજૂર થયો હતો. ત્રણ ટુકડામાં બનનારા રસ્તામાં મસ્જીદથી પીપલા સુધીનો ૬૦૦ મીટરનો માર્ગ અને ત્યારબાદ પૂર્વ સરપંચના ઘરથી ઢોલુંબર ગામ તરફનો ૭૦૦ મીટરનો માર્ગ નોન પ્લાન રસ્તામાં બનાવવાના હતા. જયારે મસ્જીદથી આગળ ફક્ત રી કાર્પેટિંગ કરવાનું હતું. પરંતુ જિલ્લા પંચાયત હસ્તકના ચીખલી માર્ગ મકાન વિભાગ દ્વારા ગોડથલના પટેલ ફળિયામાં પીપળાથી મસ્જીદ અને ત્યાંથી આગળનો માર્ગ પણ નોન પ્લાન રસ્તા તરીકે જ બનાવી દીધો હતો. જયારે પૂર્વ સરપંચના ઘરથી ઢોલુંબર સુધીનો માર્ગ રસ્તાની સમય મર્યાદા પૂરી થવા છતાં પણ શરૂ ન થતા સ્થાનિકોએ તપાસ કરી હતી. જેમાં પૂર્વ સરપંચ બિપીનભાઈના ઘરથી ઢોલુંબર સુધીનો માર્ગ નોન પ્લાન રસ્તા હેઠળ બનાવવાનો હતો, પરંતુ માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ એ માર્ગ ન બનાવી કોઈક અગમ્ય કારણ સર માર્ગની દિશા જ બદલી નાખતા ગામલોકોમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાની બુમરાણ ઉઠવા પામી હતી. સાથે જ આજે સવારે ગ્રામીણોએ સ્થાનિક આગેવાનોની સાથે મસ્જીદ તરફ ચાલતા રસ્તાને કામને અટકાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિકોના વિરોધને પગલે માર્ગ મકાન વિભાગના એસઓ અને ગામના સરપંચ પણ દોડી આવ્યા હતા. જેમાં સરપંચે માર્ગ મકાન વિભાગના એસઓ બ્રિજેશ પટેલને તેમની ભૂલ હોવાની વાત કરી રસ્તો બનાવી આપવા જણાવ્યું હતું. ગ્રામજનોનો વિરોધ જોતા એસો બ્રિજેશે પોતાના ઉપરીઓ સાથે વાત કરી ૩ દિવસમાં નહિ બનેલા રસ્તાનું કામ શરૂ કરવાનું આશ્વાસન આપી ઘટના સ્થળેથી ચાલતી પકડી હતી.

ધારાસભ્યનાં વેવાઈનાં ઘરનો રસ્તો બનાવાયો હોવાની ચર્ચા

મારા ગામથી નજીકનું જ ગામ છે. ગામના પટેલ ફળિયામાં મસ્જીદથી બિપિનભાઈના ઘર સુધીના રસ્તાનો ઉલ્લેખ છે, જોકે મારા વેવાઈ પણ પટેલ ફળિયામાં જ રહેતા હોવાથી કોંગ્રેસે મુદ્દો બનાવ્યો હતો, રસ્તાનું કામ હજુ ચાલુ જ છે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નાના ફળિયા પણ આવરી લેતા હોય છે, આ માર્ગથી થોડે આગળ અન્ય એક મોહલ્લો પણ આવ્યો છે, જેને પણ આવરી લેવા માટે માર્ગ મકાન વિભાગને જણાવ્યું હતું. મારા મત વિસ્તારનું ગામ નથી, પણ ગામનો વિકાસ અમારા માટે મુખ્ય છે, કોંગ્રેસે ખોટો મુદ્દો બનાવ્યો હતો, પરંતુ ગ્રામીણો સાથે વાત થઇ છે અને આ મુદ્દે બાકીનો માર્ગ વહેલો બને એ માટે માર્ગ મકાન વિભાગને પણ સૂચના આપી દીધી છે.

??????????????? ????????????, ??????????????? ???????????????, ??????????????? ?????????, ???????????? ???????????????, ???????????????

ગોડથલ પટેલ ફળિયામાં મસ્જીદથી પીપલા અને ત્યાંથી બિપીનભાઈના ઘરથી ઢોલુંબર જતો રસ્તો મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂર થયો હતો. પરંતુ અધિકારીઓએ પદાધિકારીઓના મેળાપીપળામાં બીજી તરફ બનાવતા અમને ખબર પડી, એટલે આજે ગામલોકોએ ભેગા થઇને સખત વિરોધ કર્યો હતો. અમારો રસ્તો થાય એ માટે જલદ આંદોલન પણ કરવા તૈયાર છે. એસઓ સાથે વાત થઇ છે, ત્રણ દિવસની મુદ્દત આપી છે, જો કામ ન થશે તો ગાંધી માર્ગે આંદોલન કરીશું. આદિવાસી વિસ્તારને અન્યાય થયો છે અને રસ્તો બીજે ગયો એટલે ભ્રષ્ટાચાર જ ગણાય, અમે અન્યાય સામે લડવા તૈયાર છે.

બિપિન પટેલ, પૂર્વ સરપંચ, ગોડથલ ગામ, પટેલ ફળિયા, ચીખલી

વિરોધને પગલે માર્ગ મકાન વિભાગ અને સરપંચ દોડી આવ્યા, ૩ દિવસમાં કામ શરૂ કરવાનું આપ્યું આશ્વાસન

ગોડથલ ગામમાં જે રસ્તો મંજૂર થયો હતો, એ આખોને આખો બદલી નાંખ્યો, એની દિશા બદલી નાંખી છે. મસ્જીદથી બીપીનભાઈના ઘરથી ઢોલુંબર જતા માર્ગને બદલે ઉલટ કરી નાંખ્યો એ સરકારનો સીધો ભ્રષ્ટાચાર છે. આ પ્રકારે આદિવાસી વિસ્તારમાં ઘણા કામો કરે છે, આ રસ્તો બીજી જગ્યાએ, બીજો રસ્તો ત્રીજી જગ્યાએ,

રાજેન્દ્ર ઉર્ફે ગાંધી થોરાટ, સમાજસેવી, મિયાઝરી, ચીખલી

ગુજરાત

‘ખજૂરભાઈ’ નીતિન જાની 2027માં ચૂંટણી લડશે!

Published

on

By

રાજુલાના ખાનગી કાર્યક્રમમાં યુવાનોને રાજકારણમાં ઉતરવાની કરી હાંકલ

બારડોલી : સોશ્યલ મીડિયામાં ખજૂર – જીગલીના કૉમેડી વીડિયો થકી લોકપ્રિય અને ગરીબોના ઘરો બનાવનાર સામાજિક કાર્યકર નીતિન જાની ઉર્ફે ‘ખજૂરભાઈ’ એ સક્રિય રાજકારણમાં ઝંપલાવવાનો વિચાર કરી, આગામી વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.

કયા પક્ષ સાથે જોડાશે એ નક્કી નહીં, પણ ચૂંટણી લડવા મક્કમ!

સોશ્યલ મીડિયામાં કૉમેડી વીડિયો થકી નામના મેળવનાર મૂળ બારડોલીના નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ એ રાજુલાના ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાજકારણથી દૂર રહેવાને બદલે સક્રિય રીતે જોડાઈ, તેને નવી દિશા આપવા માટે હાંકલ કરી છે. જ્યાં યુવાનોના સવાલના જવાબમાં પોતે પણ 2027 ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં ‘ખજૂરભાઈ’ ના રાજકારણમાં પ્રવેશની વાત ચર્ચાએ ચઢી છે. જોકે, નીતિન જાનીએ હાલમાં કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ 2027 ની ચૂંટણી લડવા માટે તેઓ મક્કમ છે.

પાવર વિના 374 ઘર બનાવ્યા, સત્તા મળશે તો સંખ્યા વધશે

નીતિન જાનીએ અત્યાર સુધીમાં પોતાના કૉમેડી વીડિયો અને સામાજિક કાર્ય થકી કોઈ પણ સરકારી પાવર વિના 374 જેટલા જરૂરિયાતમંદ પરિવારો માટે પાકાં ઘરો બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે, જો તેઓ ચૂંટણી લડીને સત્તામાં આવશે તો લોકો માટે ધાબાવાળા પાકાં ઘરો બનાવવાની સંખ્યામાં વધારો કરી શકશે. એટલું જ નહીં, તેમની ઈચ્છા ગુજરાતની ગૌશાળાઓને પણ ધાબાવાળી બનાવવાની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આઈડિયોલોજીથી પ્રભાવિત છે ખજૂરભાઈ

હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈનો જન્મ સુરતમાં થયો અને હાલ તેઓ સરદાર પટેલની ભૂમિ બારડોલીમાં રહે છે. જેથી જન્મથી જ સરદાર પટેલ તેમના હીરો રહ્યા છે. જોકે વર્તમાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપધ્ધતિથી તેઓ પ્રભાવિત છે અને વર્ષોથી તેમને પોતાના આઇડલ માને છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ તેમના સમાજસેવાના કાર્યની સરાહના પણ કરી હતી. ત્યારે આગામી સમયમાં તેઓ કયા પક્ષ સાથે જોડાઈને રાજકીય સફર શરૂ કરે છે, એ જોવું રહ્યું.

Continue Reading

ગુજરાત

વાંસદા વાવાઝોડુ : સાંસદ ધવલ પટેલની રજૂઆત ફળી!

Published

on

By

સીણધઈના અસરગ્રસ્તોને એક અઠવાડિયામાં 30.86 લાખ રૂપિયાની સહાય સીધી બેન્ક ખાતામાં ચૂકવાઈ

નવસારી : ​નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ગત 27 સપ્ટેમ્બરની રાત્રે ત્રાટકેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. ખાસ કરીને સીણધઈ ગામના ત્રણ ફળિયામાં 160 થી વધુ મકાનોને મોટું નુકસાન થતાં અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે સાંસદ ધવલ પટેલની રજૂઆતોને ધ્યાને લઈ ગુજરાત સરકારે અઠવાડિયામાં જ કુલ 30.86 લાખ રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં જમા થતા લોકોએ સરકારનો આભાર માન્યો હતો.

​તાત્કાલિક પગલાં અને સહાયનો ધોધ

વાંસદા તાલુકાના સીણધઈ ગામમ કુદરતી આફતની જાણ થતાં જ ભાજપના આગેવાનો, કાર્યકરો, અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો તુરંત સીણધઈ ગામે પહોંચી હતી. જેમના દ્વારા રસ્તા પર પડેલા ઝાડવાઓ અને વીજ થાંભલાઓને તાત્કાલિક ધોરણે ખુલ્લા કરવા અને અસરગ્રસ્તોને પ્રાથમિક રાહત આપવાના પ્રયાસો શરૂ કરાયા હતા. વલસાડના સાંસદ ધવલ પટેલે પોતે સ્થળ પર પહોંચી 700 પતરાં અને જીવન જરૂરિયાતની કીટ અસરગ્રસ્તોને પહોંચાડી હતી. આ સાથે તેમણે નુકસાનીનું તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તે માટે ગુજરાત સરકાર સમક્ષ મકાનો, કૃષિ અને પશુપાલન મુદ્દે રજૂઆત કરી હતી. જેને ગુજરાત સરકારે ​ધ્યાને લઈ ગુજરાત સરકારે ઝડપી કાર્યવાહી કરી, વાવાઝોડાના એક જ અઠવાડિયામાં વાંસદાના સીણધઈ ગામના અસરગ્રસ્તોને કુલ 30.86 લાખ રૂપિયાની માતબર સહાયની રકમ સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ ઝડપી અને સીધી સહાય બદલ અસરગ્રસ્તોએ સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. ​આ ઉપરાંત, કૃષિ અને પશુધનને થયેલા નુકસાનનો સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, જેની સહાય પણ ટૂંક સમયમાં ચૂકવાશે.

​આપત્તિમાં રાજકારણ?

​બીજી તરફ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ મુદ્દે કરાયેલા આંદોલનને ભાજપના આગેવાનોએ વખોડી કાઢ્યું છે. તેમણે કહ્યું કે કુદરતી આફતના સમયે રાજકીય અવસર શોધવાને બદલે વિપક્ષે આદિવાસી સમાજની પડખે ઊભા રહેવું જોઈએ અને સાંસદ ધવલ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર બંધ કરવું જોઈએ. ​સમગ્ર ઘટનાક્રમમાં, સરકારી તંત્ર અને સાંસદ ધવલ પટેલના ત્વરિત પગલાંથી વાંસદાના અસરગ્રસ્તોને સમયસર મોટી રાહત મળી છે.

Continue Reading

ગુજરાત

નવસારીના વાંસદામાં વાવાઝોડાના અસરગ્રસ્તોને સહાય માટે કોંગ્રેસ મેદાને

Published

on

By

કોંગી ધારાસભ્યની આગેવાનીમાં રેલી કાઢી 5 લાખની સહાયની માંગ સાથે TDO કચેરીએ ધરણાં કર્યા

નવસારી : નવસારી જિલ્લામાં એક અઠવાડિયા પહેલા આવેલા ભયાનક વાવાઝોડાના કારણે વાંસદા તાલુકાના સીણધઈ ગામ સહિત અન્ય ગામોમાં ઘણા ઘરોને નુકશાન થયું હતું. પરંતુ અઠવાડિયું વિતવા છતાં સરકાર અસરગ્રસ્તોને હજી સુધી સહાય આપવામાં આવી નથી. જેને કારણે કોંગ્રેસે સરકાર સામે રોષ સાથે આજે વાંસદાના વાવાઝોડાથી અસરગ્રસ્તોમાં ઘર ગુમાવનારાઓને 5 લાખની સહાયની માંગ સાથે રેલી કાઢી તાલુકા સેવા સદન બહાર ધરણા પ્રદર્શન કર્યુ હતુ.

કોંગ્રેસે સહાય આપવાના સરકારી નિયમો પર ઉઠાવ્યા સવાલ

નવસારીમાં તોફાની વાવાઝોડામાં વાંસદા તાલુકાના સીણધઈ ગામના ત્રણ ફળિયાઓ અને અન્ય અસરગ્રસ્ત ગામોના અસરગ્રસ્તોની વિકટ સ્થિતિ બની છે. પ્રારંભિક તબક્કે લોકોને સેવાભાવી સંસ્થાઓએ સહાય કીટ પહોંચાડી, પરંતુ હજુ સુધી સરકારે સહાય આપી નથી. જેમાં પણ સરકારને સ્થાનિક તંત્રએ સર્વે કરી ફક્ત 30 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર હોવાનો રિપોર્ટ કર્યો હતો. જેમાં સરકારી નિયમો સામે જ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ નિયમોમાં ‘નવથી ઓછા પતરાં હોય તો સહાય નહીં’ અને ‘સરકારી આવાસને સહાય નહીં મળે’ જેવા નિયંત્રણો છે, જે ગરીબ આદિવાસી અસરગ્રસ્તોને સહાયથી વંચિત રાખશે. જેથી વાંસદા કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ દરેક નુકસાનગ્રસ્ત ઘરને 5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે. જેમાં પણ તાલુકા વિકાસ અધિકારી કચેરીએ નહીં મળતા કોંગ્રેસીઓએ કચેરીના પ્રાંગણમાં ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો.

ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી અને ધરણાં

સરકારના આ નિયમોનો વિરોધ કરવા માટે આજે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને લોકોએ વાંસદા સર્કિટ હાઉસથી રેલી કાઢી તાલુકા સેવાસદન ખાતે પહોંચ્યા હતા. જોકે, તાલુકા સેવાસદન ખાતે તાલુકા વિકાસ અધિકારી (TDO) હાજર ન મળતા, ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં તમામ આગેવાનો અને અસરગ્રસ્તો ધરણાં પર બેસી ગયા હતા. જ્યાં કોંગ્રેસ દ્વારા સરકાર દરેક નુકસાનગ્રસ્ત ઘરને 5 લાખની સહાય ચૂકવે તેવી દૃઢ માંગણી કરવામાં આવી રહી છે.

સહાય જમા થવાના દાવા સામે કોંગી ધારાસભ્યના સવાલો

બીજી તરફ, વલસાડના સાંસદ ધવલ પટેલે જાહેરાત કરી છે કે સરકાર દ્વારા સહાયની રકમ આજે જ લોકોના ખાતામાં પહોંચી જશે. સાંસદના આ દાવા સામે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી દરેક અસરગ્રસ્તને પૂરતી અને યોગ્ય સહાય નહીં મળે, ત્યાં સુધી તેઓ આ મામલે લડત ચાલુ રાખશે.

Continue Reading
Advertisement

Trending