Connect with us

ગુજરાત

નવસારીમાં મેઘ તાંડવ : નવસારીમાં 6 કલાકમાં 12.62 ઇંચ વરસાદ ખાબક્યો

Published

on

વરસાદી આફતથી શહેરમાં જળબંબાકાર, લોકોના ઘરો, દુકાનોમાં વરસાદી પુરના પાણી ભરાયા

નવસારી : નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘાએ ધમદાટી બોલાવી છે. જેમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં ખેરગામમાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો, પરંતુ ત્યાર બાદ નવસારી અને જલાલપોર તાલુકામાં મેઘાએ તાંડવ કરતા નવસારીમાં જળબંબાકારની સ્થિતિ બની છે. નવસારીમાં સવારે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 12.62 ઇંચ સાંબેલાધાર વરસેલા વરસાદ ખાબકતા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં કેળ સમા વરસાદી પાણી ભરતા જન જીવન અસ્ત વ્યસ્ત થયું છે. જલાલપોરમાં પણ 6 કલાકમાં 11.41 ઇંચ વરસાદ વરસ્યો છે, જેણે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

ખેરગામમાં 2 કલાકમાં 5 ઇંચ, દાદરી ફળિયામાં ખેતરના પાણી રસ્તા પર ફરી વળ્યા

નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘાની સવારી તોફાન મચાવતી આવી હતી. જેમાં ખેરગામ તાલુકામાં સવારે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકમાં જ 5 ઇંચ વરસાદ પડતા, ખેરગામના નાળા, ખાડી અને ખેતરો પાણીથી છલોછલ થયા હતા. ખેતરોના પાણી નજીકના રહેણાક વિસ્તારમાં રસ્તા પર ફરી વળતા લોકોને મુશ્કેલી વેઠવા પડી હતી. ખેરગામના ગાંધીનગર સોસાયટી, દાદરી ફળિયા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાથી સ્થાનિક લોકોને હાલાકી વેઠવી પડી હતી. જેમાં દાદરી ફળિયાના લોકોએ પાણીના વહેણમાં અવરોધરૂપ દીવાલ તોડી હતી. જોકે સવારે 8 વાગ્યા બાદ વરસાદે ખેરગામને રાહત આપી અને નવસારીમાં શરૂ થયેલા વરસાદે તાંડવ કર્યું છે. તોફાન મચાવતી મેઘાની સવારીએ નવસારીમાં બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકમાં જ 12.62 ઇંચ, જાણે આભ ફાટ્યું હોય એવો ધમાકેદાર વરસાદ વરસ્યો છે.

શહેરમાં કોન્વેન્ટ સ્કૂલથી તીઘરા જકાતનાકા સુધીના માર્ગ પર કેળ સમા પાણી, હજારો લોકો અટવાયા

નવસારીમાં સવારે દોઢ ઇંચ વરસાદ પડ્યા બાદ 10 થી 12 વાગ્યા સુધીમાં 225 મિમી એટલે 9.37 ઇંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પુરની સ્થિતિ બની હતી. જેમાં શહેરના પ્રવેશદ્વાર સમા અહિંસા દ્વાર પાસે, ગ્રીડ ચોકડી પાસે બારડોલી જવાના સર્વિસ રોડ પર, નેશનલ હાઈવે નં. 48 પર નિરાલી હોસ્પિટલ પાસે, ભારતી ટોકીઝ સામે, કાલીયાવાડી, જુનાથાણા, લાયબ્રેરી, મધુમતી, પ્રજાપતિ આશ્રમથી કુંભારવાડ, પારસી હોસ્પિટલ સામેના રસ્તા પર પાલિકાના બંધ શોપિંગ સેન્ટર પાસે, સરદાર હાઈટ્સ પાસે, સેન્ટ્રલ બેંક, શાકભાજી માર્કેટ, ગોલવાડ, શાંતાદેવી રોડ, વિજલપોર, વિઠ્ઠલ મંદિર, જલાલપોર સહિત શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થયા હતા. આ વિસ્તરોમાં ઘૂંટણથી કેળ સમા પાણી ભરાયા હતા. જેમાં નવસારીથી ગણદેવીને જોડાતા મુખ્ય માર્ગ પર કોન્વેન્ટ સ્કૂલથી તીઘરા જકાતનાકા પાસે કુદરતી કાંસમાં જ બોક્ષ ડ્રેનેજ બનાવી દેતા 15 વર્ષોમાં આટલું પાણી આવ્યું હોવાની સ્થાનિકોનું અનિમાન હતું. જયારે રસ્તા પર પાણી ભરાતા નજીકમાં આવેલ વિદ્યાકુંજ હાઈસ્કૂલ અને કોન્વેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ છુટ્યા હતા, પણ વરસાદી પાણીમાંથી પસાર થવું વિદ્યાર્થીઓ માટે જોખમ રૂપ હતું. તમે છતાં વાલીઓ, મિત્રો અથવા જે સહારો મળ્યો તેમની સાથે કેળ સમા પાણીમાંથી રસ્તો ક્રોસ કરવા માંડ્યા હતા. હજારો લોકોએ પાણી ભરવાના બંને છેડે પોતાના વાહનો મૂકીને રસ્તો ક્રોસ કરવાની ફરજ પડી હતી. સાથે જ તીઘરા પાલિકા દ્વારા હાલમાં વરસાદી કાંસમાં તીઘરામાં બનાવેલ બોક્ષ ડ્રેનેજ પાણી ભરાવાનું કારણ હોવાના આક્ષેપ લગાવ્યા હતા. જેમાં કાંસની પહોળાઈને સંકોચી બોક્ષ ડ્રેનેજ બનાવી છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ ધીમે રહેતા, હજારો લોકો અટવાયા હતા.

સાંબેલાધાર વરસાદે પાલિકાની પ્રી મોનસૂન કામગીરીની ખોલી પોલ..!

નવસારી શહેરમાં નવસારી વિજલપોર પાલિકાએ ચોમાસાને ધ્યાને લઇ પ્રી મોનસૂન કામગીરી પાછળ લાખો ખર્ચ્યા હતા. જોકે વિકાસનાં પર્યાય બનવામાં ઘણી જગ્યાએ વરસાદી કાંસ, જે ઘણી મોટી હતી, એમાં સાંકડા વિસ્તારમાં બોક્ષ ડ્રેનેજ બનાવી દેતા વરસાદી પુરની સ્થિતિ બની છે. ખાસ કરીને આભ ફાટ્યાની સ્થિતિને કારણે ડ્રેનેજમાંથી પાણીનો નિકાલ થવો મુશ્કેલ બન્યું હતું. જેથી ઘૂંટણથી કેળ સમા પાણી ભારાયા હતા. જોકે પાલિકાના પ્રી મોનસૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા હતા. પ્રી મોનસૂન કામગીરીમાં પાલિકાએ વેઠ ઉતારતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ અવરાધાયો હતો. જેથી નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરે તેમજ દુકાનોમાં વરસાદી પુરના પાણી ભરાયા હતા અને લોકોએ મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

અપરાધ

વાંસદાના ચાપલધરા ગામેથી હાઈબ્રિડ ગાંજા અને ઝોમ્બી ઈ સિગારેટ સાથે બે ઝડપાયા

Published

on

By

ઝોમ્બી ઈ સિગારેટ પકડવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો

નવસારી : નવસારીના ચાપલધરા ગામે હાઈબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમે ગત રોજ છાપો મારી બેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 28.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

SMC પોલીસે વાપીના આતિફને વોન્ટેડ જાહેર કર્યો

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતો મિલન ધનગર હાઈબ્રિડ ગાંજાનું વેચાણ કરે છે. જેને આધારે ગત રોજ SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમે ચાપલધરા ગામના વચલા ફળિયા, અંબા માતાજી મંદિર પાછળ રહેતા મિલન ધનગરના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસને મિલન પાસેથી 8 લાખ રૂપિયાનો 80 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે જ ગાંજાના સક્રિય ઘટકની હાજરીવાળી (THC) 20 લાખ રૂપિયાની 20 ઈ સિગારેટ પણ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મિલન સાથે તેના સાથીદાર તન્મયકુમાર પટેલની ધરપકડ કરી હતી. આરોપી મિલનની પૂછપરછમાં હાઈબ્રિડ ગાંજો તેને વાપીના આતિફે પહોંચાડી હતી. જેથી પોલીસે આતિફને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઝોમ્બી ઈ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી હાઈબ્રિડ ગાંજો, ઈ સિગારેટ અને મોબાઈલ ફોન મળી કુલ 28.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે SMC પોલીસ મથકે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (NDPS) અને ધી પ્રોહીબિશન એક્ટ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, ગાંજાના સક્રિય ઘટક ધરાવતી ઝોમ્બી ઈ સિગારેટ પકડાયાનો આ ગુજરાતનો પ્રથમ ગુનો છે.

Continue Reading

ગુજરાત

ED સામેના કોંગ્રેસના વિરોધને ભાજપે વખોડી, સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ

Published

on

By

નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં રાહુલ – સોનિયા ગાંધી સામે ED એ ચાર્જશીટમાં લગાવ્યા આરોપ

નવસારી : નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં ED દ્વારા ચાર્જશીટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ઉપર આરોપ મઢતા, કોંગ્રેસે ષડયંત્રના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે કરેલા વિરોધને ભાજપે વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. નવસારી જિલ્લા ભાજપ યુવા મોર્ચાએ પણ શહેરના જુનાથાણા સર્કલ પાસે કોંગ્રેસના વિરોધને ખોટો ગણાવી, તેની સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહયોગ કરવો જોઈએ – ભાજપ

નેશનલ હેરાલ્ડ કૌભાંડ પ્રકરણમાં ED દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે આરોપ મઢેલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે આગામી 25 એપ્રિલે સુનવણી આપી છે. ED એ સોનિયા અને રાહુલ ગાંધી સામે આરોપ મઢતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ બની છે, કોંગ્રેસે ઉગ્રતાથી સમગ્ર પ્રકરણમાં બદલાની ભાવનાથી કાર્યવાહી થતી હોવાના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેની સામે ભાજપે પણ ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખો સૂર સાથે કોંગ્રેસના વિરોધને વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં નવસારી જિલ્લા યુવા મોર્ચાએ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની આગેવાનીમાં નવસારી શહેરના જુનાથાણા સર્કલ પાસે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી, વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહકાર આપવો જોઈએની વાત કરી કોંગ્રેસના વિરોધને વખોડી કાઢ્યો હતો.

 

Continue Reading

ગુજરાત

બીલીમોરાના વાલ્મિકી વાસમાં DGVCL ના સ્માર્ટ મીટરનો વિરોધ

Published

on

By

DGVCL દ્વારા જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવવામાં આવતા હોવાના આક્ષેપો

નવસારી : દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નવસારી જિલ્લાના ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ ગ્રાહકોની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. નવસારીના ઘેલખડીમાં વિરોધ થયા બાદ બીલીમોરા શહેરના વાલ્મિકી વાસમાં પણ જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવતા વીજ કંપનીના કર્મચારીઓનો સ્થાનિકોએ વિરોધ કરી કામગીરી અટકાવી હતી.

બીલીમોરા શહેરમાં અંદાજે 1500 સ્માર્ટ મીટર લાગી ગયા

ડિજીટલ યુગમાં દરેક વસ્તુઓ સ્માર્ટ થઈ રહી છે. જેમાં સરકારો પણ સ્માર્ટ થવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે ગુજરાત સરકાર હસ્તકની વીજ કંપનીઓ દ્વારા બીલની ઝંઝટમાંથી બહાર નીકળવા અને વીજ વપરાશ ઘટાડવા માટે ડીજીટલ એટલે કે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. જેમાં સ્માર્ટ મીટરમાં વધારે યુનિટ ફરી જતા ગ્રાહકોને બે મહિનાના બીલના રૂપિયા થોડા દિવસોમાં જ વપરાય જતા હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન છેલ્લા થોડા દિવસોથી નવસારી જિલ્લામાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. જેમાં ગત રોજ નવસારી શહેરના ઘેલખડી વિસ્તારમાં આવેલ ચોકલેટ હાઉસિંગ સોસાયટીમાં જબરદસ્તી લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર દૂર કરવાની સ્થાનિકોએ માંગ કરી હતી. ત્યારે આજે બીલીમોરા શહેરના વાલ્મિકી વાસમાં પણ DGVCL ના અધિકારીઓ કર્મચારીઓએ કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના જબરદસ્તીથી ગ્રાહકોના જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટર લગાવી દીધાના આક્ષેપો સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં DGVCL ના અધિકારીઓ અને કર્મીઓ સાથે સ્થાનિકોની ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને લોકોએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને અટકાવી દીધી હતી. સાથે જ વાલ્મિકી વાસના જે 15 થી 20 ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા એને પણ કાઢી લેવાની માંગ કરી હતી. જોકે DGVCL ના અધિકારીએ તેમની પાસે સ્માર્ટ મીટર લગાવવા ભારત સરકારનો રાજપત્ર હોવાની વાત કરી, દરેક ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર લગાવવા તૈયારી દર્શાવી હતી. જયારે બીલીમોરા શહેરમાં અત્યાર સુધીમાં અંદાજે 1500 ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા હોવાની માહિતી આપી હતી. પરંતુ લોકોના વિરોધને પગલે હાલ વીજ કંપનીના અધિકારીઓ કર્મચારીઓએ પણ કામગીરી રોકવાની ફરજ પડી હતી.

 

Continue Reading
Advertisement

Trending