Connect with us

દક્ષિણ-ગુજરાત

વર્ષોના બાકી કોમર્શિયલ વેરા ભરો, નહીં તો મિલકત સીલ

Published

on

શહેરની 2400 થી વધુ કોમર્શિયલ મિલકતોનો અંદાજે 6 કરોડનો વેરો બાકી

નવસારી : નવસારી નગર પાલિકા અને નવસારી વિજલપોર પાલિકાના સમયમાં 10 વર્ષો સુધી કોમર્શિયલ મિલકતોના વેરા નહીં ભરીને પાલિકાની તિજોરીને કરોડોનું નુકશાન કરનારા 2400 થી વધુ મિલકત ધારકો સામે નવસારી મહાનગર પાલિકાએ લાલ આંખ કરી છે, વર્ષોના બાકી વેરા નહીં ભરે, તો મિલકતને સીલ મારવાની કાર્યવાહી આરંભતા જ બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.

નવસારી વિજલપોર પાલિકાની કુલ વેરા વસુલાતનો અંદાજે 25 ટકા વેરો બાકી રહેતો હતો

નવસારી નગર પાલિકાના સમયથી જ શહેરની કોમર્શિયલ મિલકતોનો વેરો યેનકેન પ્રકારે બાકી રહી જતો હતો. પાલિકામાં રાજકીય અને વહિવટી વગને કારણે વર્ષોથી કોમર્શિયલ મિલકત ધારકો પોતાની મિલકતનો કોમર્શિયલ વેરો પાલિકામાં ભરતા ન હતા અને તેને કારણે પાલિકાની કરોડો રૂપિયાની વસુલાત બાકી રહેતા તિજોરીને નુકશાન થતુ હતું. તેમ છતાં પાલિકાના પૂર્વ શાસકો કોમર્શિયલ વેરો વસુલવામાં આળસ કરતા હતા. 5 વર્ષ અગાઉ નવસારી પાલિકા વિસ્તરણ પામી અને નવસારી વિજલપોર નગર પાલિકા બની, પણ ત્યારે પણ એજ શાસકોને કારણે પાલિકામાં કોમર્શિયલ વેરાનું સ્તર તળિયે જ રહ્યુ હતુ. પાલિકાના વેરા વિભાગની ઢીલાશને કારણે પાલિકાને વર્ષોથી 20 થી 25 ટકા વસુલાતથી દૂર રહેવું પડતુ હતુ અને પાલિકાની સ્વ ભંડોળની આવક ઓછી રહેતી હતી.

નવસારી મહાનગર પાલિકા બનતા જ પ્રથમ બાકી કોમર્શિયલ વેરાની શરૂ થઈ વસુલાત

નવસારી વિજલપોર પાલિકાને ગત 1 જાન્યુઆરીનારોજ નવસારી મહાનગર પાલિકા બન્યા બાદ કમિશ્નરે આવક વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. કારણ કોઈપણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની પોતાની આવક તેના વિસ્તારના વિકાસ માટે મહત્વની હોય છે. ત્યારે મહાનગર પાલિકાએ તેના પ્રથમ બજેટને રજૂ કરવા પહેલા બાકી કોમર્શિયલ વેરાની વસુલાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં વેરા વિભાગ દ્વારા શહેરની કુલ 1.40 લાખ મિલકતોમાંથી 27,911 કોમર્શિયલ મિલકતો છે. જેમાંથી 2476 મિલકત ધારકો 4 થી 10 વર્ષોથી કોમર્શિયલ મિલકત વેરો ભરતા જ ન હોય, એવાને અલગ તારવી, મહાનગર પાલિકાના વેરા અધિકારી વિરેશ જાધવ અને તેમની ટીમ કોમર્શિયલ વેરો વસુલવા મંડી પડી છે. જેમાં છેલ્લાં થોડા દિવસોમાં જ શહેરની 55 કોમર્શિયલ મિલકતોને સીલ કરી દેતા, વર્ષોથી કોમર્શિયલ વેરો ભરવામાં આડાઈ કરતા મિલકત ધારકોમાં ફફડાટ ફેલાયો છે. જેના કારણે મહાનગર પાલિકાની તિજોરીમાં 87 લાખથી વધુનો કોમર્શિયલ મિલકત વેરો ભરાઈ ગયો છે. જેથી અત્યાર સુધીમાં પાલિકાની કુલ 24.64 કરોડની વસુલાત સામે 16.11 કરોડની વસુલાત થઈ ગઈ છે. જેમાં હજી અંદાજે 35 ટકા સુધીનો વેરો બાકી છે, જેને પણ માર્ચ અંત સુધીમાં વસુલાઈ જશે, એવી આશા સેવાઈ છે.

ભાજપના પૂર્વ સ્વ. નગરસેવકનો જ 8 લાખ કોમર્શિયલ વેરો બાકી..!!!

નવસારી મહાનગર પાલિકાના વેરા અધિકારી વિરેશ જાધવે શહેરના કેટલાક કોમર્શિયલ મિલકત ધારકોના બાકી વેરા મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, પાલિકાના પૂર્વ સ્વ. નગરસેવક શુભમ મુંડિયાની ઉદ્યોગ નગરની કોમર્શિયલ મિલકતનો 8 લાખ રૂપિયાનો, શહેરના લોટ્સ એપાર્ટમેન્ટનો 6 લાખ રૂપિયા, મોટા બજારમાં આવેલ ક્રોસરોડ શોપિંગ સેન્ટરના ભાગીદારોની 22 દુકાનોનો અંદાજે અઢી લાખ રૂપિયાનો કોમર્શિયલ મિલકત વેરો બાકી છે. જેમાં કેટલાકે સ્થળ ઉપર થોડો વેરો ભર્યો છે, જ્યારે બાકી વેરો ન ભરનારાની મિલકત સીલ કરવામાં આવી છે.

 

અપરાધ

વાંસદાના ચાપલધરા ગામેથી હાઈબ્રિડ ગાંજા અને ઝોમ્બી ઈ સિગારેટ સાથે બે ઝડપાયા

Published

on

By

ઝોમ્બી ઈ સિગારેટ પકડવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો

નવસારી : નવસારીના ચાપલધરા ગામે હાઈબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમે ગત રોજ છાપો મારી બેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 28.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

SMC પોલીસે વાપીના આતિફને વોન્ટેડ જાહેર કર્યો

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતો મિલન ધનગર હાઈબ્રિડ ગાંજાનું વેચાણ કરે છે. જેને આધારે ગત રોજ SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમે ચાપલધરા ગામના વચલા ફળિયા, અંબા માતાજી મંદિર પાછળ રહેતા મિલન ધનગરના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસને મિલન પાસેથી 8 લાખ રૂપિયાનો 80 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે જ ગાંજાના સક્રિય ઘટકની હાજરીવાળી (THC) 20 લાખ રૂપિયાની 20 ઈ સિગારેટ પણ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મિલન સાથે તેના સાથીદાર તન્મયકુમાર પટેલની ધરપકડ કરી હતી. આરોપી મિલનની પૂછપરછમાં હાઈબ્રિડ ગાંજો તેને વાપીના આતિફે પહોંચાડી હતી. જેથી પોલીસે આતિફને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઝોમ્બી ઈ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી હાઈબ્રિડ ગાંજો, ઈ સિગારેટ અને મોબાઈલ ફોન મળી કુલ 28.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે SMC પોલીસ મથકે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (NDPS) અને ધી પ્રોહીબિશન એક્ટ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, ગાંજાના સક્રિય ઘટક ધરાવતી ઝોમ્બી ઈ સિગારેટ પકડાયાનો આ ગુજરાતનો પ્રથમ ગુનો છે.

Continue Reading

દક્ષિણ-ગુજરાત

નવસારીના આશાપુરી માતાજી મંદિર પાછળ ઉભેલી કારમાં લાગી આગ

Published

on

By

આગમાં કારમાં સવાર મહિલા અને બે બાળકોનો આબાદ બચાવ

નવસારી : નવસારીના આશાપુરી માતાજી મંદિર પાછળના શોપિંગ સેન્ટર નજીક ઉભેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગી, ત્યારે કારમાં એક મહિલા અને બે બાળકો બેઠા હતા, જેઓ સમય સૂચકતા વાપરી કારમાંથી ઉતરી જતા, તેમનો આબાદ બચાવ થયો હતો. અડધો કલાક બાદ ઘટના સ્થળે પહોંચેલી નવસારી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ બળીને ખાક થઈ હતી.

કારમાં લાગેલ આગથી AB kids ના ભુલકાઓ મુશ્કેલીમાં મુકાયા, સંચાલકોએ બાળકોને સુરક્ષિત બહાર ખસેડ્યા

નવસારી શહેરના દુધિયા તળાવથી વિજલપોર જતા માર્ગ ઉપર આશાપુરી માતાજીના મંદિર પાછળ આવેલ શોપિંગ સેન્ટરની એક દુકાન બહાર ઉભેલી કારમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. આગ લાગી ત્યારે કારમાં એક મહિલા અને બે બાળકો બેઠા હતા, જેઓ તાત્કાલિક કારમાંથી ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે કાર માલિકે ફાયર એક્સ્ટીંગ્યુસરથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પણ થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા કાબુમા આવી ન હતી. બીજી તરફ શોપિંગ સેન્ટરમાં ઉપરના માળે AB kids નર્સરી પણ ચાલે છે, કારમાં આગને કારણે ઉઠેલી ઉંચી જ્વાળાઓ અને ધુમાડાને કારણે ઉપર અભ્યાસ કરી રહેલા 100 થી વધુ ભુલકાઓ તેમજ શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે સંચાલકોએ સમય સૂચકતા વાપરી તમામ બાળકોને પાછળના ગ્રાઉન્ડમાં અને સામે આશાપુરી માતાજી મંદિરમાં સુરક્ષિત ખસેડી લેતા, મોટી દુર્ઘટના ટળી હતી. આગ કાબૂમાં લાવવામાં મુશ્કેલી જણાતા તાત્કાલિક નવસારી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડના જવાનો અડધો કલાક બાદ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમણે તરત પાણી અને ફોમનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ ઓલવાઈ તો ગઈ, પણ કાર સંપૂર્ણ બળીને ખાક થતા મોટુ નુકશાન થયુ હતુ.

Continue Reading

ગુજરાત

ED સામેના કોંગ્રેસના વિરોધને ભાજપે વખોડી, સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ

Published

on

By

નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં રાહુલ – સોનિયા ગાંધી સામે ED એ ચાર્જશીટમાં લગાવ્યા આરોપ

નવસારી : નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં ED દ્વારા ચાર્જશીટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ઉપર આરોપ મઢતા, કોંગ્રેસે ષડયંત્રના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે કરેલા વિરોધને ભાજપે વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. નવસારી જિલ્લા ભાજપ યુવા મોર્ચાએ પણ શહેરના જુનાથાણા સર્કલ પાસે કોંગ્રેસના વિરોધને ખોટો ગણાવી, તેની સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહયોગ કરવો જોઈએ – ભાજપ

નેશનલ હેરાલ્ડ કૌભાંડ પ્રકરણમાં ED દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે આરોપ મઢેલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે આગામી 25 એપ્રિલે સુનવણી આપી છે. ED એ સોનિયા અને રાહુલ ગાંધી સામે આરોપ મઢતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ બની છે, કોંગ્રેસે ઉગ્રતાથી સમગ્ર પ્રકરણમાં બદલાની ભાવનાથી કાર્યવાહી થતી હોવાના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેની સામે ભાજપે પણ ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખો સૂર સાથે કોંગ્રેસના વિરોધને વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં નવસારી જિલ્લા યુવા મોર્ચાએ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની આગેવાનીમાં નવસારી શહેરના જુનાથાણા સર્કલ પાસે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી, વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહકાર આપવો જોઈએની વાત કરી કોંગ્રેસના વિરોધને વખોડી કાઢ્યો હતો.

 

Continue Reading
Advertisement

Trending