Connect with us

ચુંટણી

વિજલપોર ફાટક પર 39.68 કરોડના ખર્ચે બનશે રેલ્વે ઓવરબ્રિજ

Published

on

ઓવરબ્રિજ બનતા પૂર્વ-પશ્ચિમના લોકોને ટ્રાફિકથી મળશે છૂટકારો

નવસારી : ભારત સરકારના માલગાડીઓ માટેના ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર અંતર્ગત પશ્ચિમ રેલ્વેની તમામ રેલ્વે ફાટકોને માનવ રહિત કરવાની યોજના છે, જેમાં નવસારીના વિજલપોર સ્થિત ફાટક નં. 126 પર વર્ષોથી પૂર્વની જમીન સંપાદનને લઇ અટવાયેલા રેલ્વે ઓવરબ્રિજને આજે ગુરૂવારે લીલી ઝંડી મળી હતી. નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે 39.68 કરોડના ખર્ચે નિર્માણ પામનારા ઓવરબ્રિજનું ભૂમિપૂજન થતા શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

ગ્રાન્ટ મળ્યા બાદ નવ વર્ષોથી સંપાદન ન થવાથી અટકેલા વિજલપોર ઓવરબ્રિજનું ભૂમિપૂજન

ભારત સરકારની મહાત્વાકાંક્ષી યોજનાઓમાની એક માલગાડીઓ માટે અલાયદા ડેડીકેટેડ ફ્રેટ કોરીડોરનું કામ પ્રગતિ પર છે. મુંબઇથી દાદરી સુધીના પ્રથમ ચરણમાં રેલ્વે લાઇન પર આવતી તમામ રેલ્વે ફાટકોને માનવ રહિત કરવાની યોજના છે. જેમાં 10 વર્ષોથી ડીએફસીસીનું કામ ચાલી રહ્યું છે, પણ જમીન સંપાદન બાદ રેલ્વે ઓવરબ્રિજ પણ સંપાદનના આભાવે ઘણી જગ્યાએ અટકી ગયા હતા. નવસારી જિલ્લામાં પણ મરોલી, સાગરા, નવસારી, વિજલપોર, ગાંધીસ્મૃતિ, અમલસાડ, બીલીમોરા, દેસરા સ્થિત રેલ્વે ફાટકોને બંધ કરી રેલ્વે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. જેમાં નવસારી, વિજલપોર અને અમલસાડને છોડીને લગભગ બધી ફાટકોએ ઓવરબ્રિજનું કામ પ્રગતિ પર છે, જેમાંથી ગાંધીસ્મૃતિનો ઓવરબ્રિજ પૂર્ણતાને આરે પહોંચ્યો છે. વિજલપોર અને નવસારીના ઓવરબ્રિજ માટેની કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારમાંથી વર્ષ 2012 માં જ મળી હતી, પરંતુ વિજલપોરમાં ટીપી સ્કીમના આભાવે જમીન સંપાદનની કામગીરી ખોરંભે પડી હતી. જોકે વર્ષોની મહેનત બાદ જમીન સંપાદનની પ્રક્રિયાને વેગ મળતા આજે ગુરૂવારે વિજલપોર રેલ્વે ફાટક પાસે ઓવરબ્રિજની કામગીરીનો આરંભ થયો છે. નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે અને જલાલપોરના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના નાયબ ઉપદંડક આર. સી. પટેલની ઉપસ્થિતિમાં વિજલપોર રેલ્વે ઓવરબ્રિજનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ.

ઓવરબ્રિજથી ટ્રાફિક સમસ્યાનું આવશે નિરાકરણ

રેલ્વે ઓવરબ્રિજનું કામ શરૂ થતા નવસારીના પશ્ચિમ વિસ્તારના ગામડાઓમાંથી વિજલપોર થઇ નવસારી આવતા ગ્રામીણોને તેમજ શહેરમાંથી પશ્ચિમમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને આવન-જાવનમાં સરળતા રહેશે, સાથે જ લાંબા સમય સુધી ટ્રાફિકમાં હેરાન થવાની સમસ્યાનું પણ નિરાકરણ આવશે.

11 મહિનામાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવાનો ટાર્ગેટ

વિજલપોરની ૧૨૬ નંબરની રેલ્વે ફાટક પર 39.68 કરોડ રૂપિયાનાં ખર્ચે અંદાજે ૧ કિલોમીટર લાંબો (931.384 મીટર) અને 7.50 મીટર પહોળો બે લેનનો ઓવરબ્રિજ બનશે. જેનું 11 મહિનામાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, ઓવર બ્રિજનું કામ શરૂ તો થયુ, પણ પૂર્વ તરફના ઘરોની જમીન સંપાદિત થવા પર બ્રિજના પૂર્ણ થવાની સંભાવના જોવાઇ રહી છે.

ગુજરાત

નવસારીમાં 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી

Published

on

જિલ્લામાં 1.08 લાખ મતદારો 22 જૂને મતદાન કરી ચુંટશે ગ્રામ્ય સરકાર

નવસારી : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચુંટણીનું બ્યુગલ વાગી ચુક્યુ છે અને ચુંટણી મેદાનમાં ઉતરનારા મહારથીઓ પણ સજ્જ થઇ ચુક્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ 56 માંથી 11 ગ્રામ પંચાયતો સમરસ થતા હવે 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાંથી 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી, આગામી 22 જૂન, 2025 ના રોજ યોજાશે.

સામાન્ય ચુંટણીમાં 126 ઉમ્દેવારો સરપંચ અને 433 ઉમેદવારો સભ્યની ચુંટણી લડશે

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન હતુ. પરંતુ હવે ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ ગામ સરકાર રચાશે. ગ્રામ પંચાયતોની જાહેરાત થયા બાદ જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતાના સમર્પિત ઉમેદવારોને ચુંટણી મેદાનમાં ઉતારવા થનગની રહ્યા હતા. જેમાં જિલ્લાના 5 તાલુકાઓની 56 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી યોજવાની ઘોષણા થઇ હતી. ઉમેદવારીપત્રો ભરાયા બાદ અનેક કારણોમાં સામાન્ય ચુંટણીમાં સરપંચ માટે 183 ઉમેદવારોએ 184 ફોર્મ ભર્યા હતા. જયારે સભ્ય પદ માટે 700 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી સરપંચમાં 1 અને સભ્યમાં 16 ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને 45 સરપંચ ઉમેદવારોએ અને 23 સભ્ય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. જયારે 11 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. જેથી હવે જિલ્લામાં 45 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે 126 ઉમેદવારો અને સભ્ય પદ માટે 433 ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. આગામી 22 જૂને, 45 ગામોના 53,410 પુરૂષ અને 55,276 મહિલા મતદારો મળીને કુલ 108686 મતદારો પોતાના ભાવી સરપંચ અને વોર્ડ સભ્યોને ચુંટશે.

14 ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમાં 26,441 મતદારો કરશે મતદાન

બીજી તરફ જિલ્લામાં 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી પણ જાહેર થઇ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ચુંટણી જંગ લડવા તૈયાર થયા હતા. જેમાં સરપંચ માટે 28 ઉમેદવારો અને સભ્ય માટે 85 ઉમેદવારોએ ચુંટણી જંગમાં ઝંપલાવવા કમર કસી હતી. પરંતુ 2 સભ્ય પદ માટેના ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને સરપંચના 8 અને સભ્યના 8 ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતા. જેમાં 1 સરપંચ અને 42 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જેથી હવે 14 ગ્રામ પંચાયતોમાં 19 ઉમેદારો સરપંચ પદ માટે અને ૩૩ ઉમેદવારો સભ્ય પદ માટે ચુંટણી જંગ ખેલશે. પેટા ચુંટણીમાં 13,241 પુરૂષ અને 13,200 મહિલા મતદારો મળીને કુલ 26,441 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જે ગામોમાં સામાન્ય ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : દંડેશ્વર અને નવા તળાવ

જલાલપોર : સિસોદ્રા પારડી (આરક) જૂથ, પનાર, કણીયેટ ચોરમલા ભાઠા, માછીવાડ, માછીવાડ (દીવાદાંડી), આસણા, દાંતી, કૃષ્ણપુર અને ઓન્જલ

ગણદેવી : પીપલધરા, સરીબુજરંગ, તલોધ, અંચેલી, તોરણ ગામ, એંધલ, પીંજરા, વેગામ અને અમલસાડ

ચીખલી : કણભઈ, સતાડીયા, રૂમલા, આંબાપાડા, સ્યાદા, તલાવચોરા, બારોલીયા મંદિર ફળિયા,

વાંસદા : મહુવાસ, અંકલાછ/કામળઝરી જૂથ, લાકડબારી, ગંગપુર, ઉમરકુઇ, મીંઢાબારી, કુકડા, કુરેલિયા, ગોધાબારી, ચોંઢા, કાવડેજ, પીપલખેડ, રવાણીયા, વાઘાબારી, પાલગભાણ, કંબોયા, પ્રતાપનગર અને વાંદરવેલા

જે ગામોમાં પેટા ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : નસીલપોર/વીરવાડી જૂથ, વાડા (અદડા) અને પરતાપોર

જલાલપોર : સાગરા

ગણદેવી : આંતલિયા, માસા, ઉંડાચ લુહાર ફળિયા અને વડસાંગળ

ચીખલી : ઘેકટી, નોગામા, સાદકપોર, ઢોલુમ્બર, સોલધરા અને આમધરા

Continue Reading

ચુંટણી

વાંસદા કોંગ્રેસને ફરી ઝટકો, વાસકુઈ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા

Published

on

By

ધારાસભ્ય નરેશ પટેલે 17 કોંગ્રેસી કાર્યકરોને ભગવો પહેરાવી આવકાર્યા

નવસારી : નવસારીના વાંસદા તાલુકા પંચાયતની કંડોલપાડા બેઠકની પેટા ચુંટણીમાં રાજકારણમાં ઠંડીમાં પણ ગરમાટો જોવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસને ભાજપે ફરી ઝટકો આપ્યો છે, આજે વાસકુઈ ગામે આયોજિત ચુંટણી સભામાં 17 કોંગ્રેસી કાર્યકરોએ ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ભગવો ધારણ કરી, કોંગ્રેસનો હાથ છોડ્યો હતો.

છેલ્લા ત્રણ દિવસમાં 40 થી વધુ કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીને લઈ રાજકારણમાં ગરમાટો જોવા મળ્યો છે. ખાસ કરીને વાંસદા તાલુકા પંચાયતની કંડોલપાડા બેઠકની પેટા ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિધાનસભા જેવી ટક્કર જોવા મળી છે, જેમાં કાર્યકરોએ પક્ષ પલટા પણ કર્યા છે. કંડોલપાડા બેઠક અંતર્ગત આવતા ગામડાઓમાં ભાજપ અને કોંગ્રેસ બંને ચુંટણી સભાઓ કરી રહ્યા છે. જેમાં ભાજપની સભામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ કોંગ્રેસનો હાથ છોડી ભગવા રંગે રંગાઈ રહ્યા છે. બે દિવસ અગાઉ લીંબારપાડાન 30 કોંગ્રેસી કાર્યકરોએ વલસાડના સાંસદ ધવલ પટેલને હાથે ભગવો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે આજે વાસકુઈ ગામમાં ગણદેવી ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી ચુંટણી સભામાં 17 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય નરેશ પટેલે કોંગી કાર્યકરોને ભગવો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

 

Continue Reading

ગુજરાત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી જાહેર, 16 ફેબ્રુઆરીએ થશે મતદાન

Published

on

1 મહાનગર પાલિકા, 66 પાલિકા અને ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી

નવસારી : ગુજરાત રાજ્ય ચુંટણી આયોગ દ્વારા લાંબા સમયથી અટકેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો કાર્યક્રમ આજે જાહેર કર્યો છે. જેમાં રાજ્યની 1 મહાનગર પાલિકા, 66 નગર પાલિકા અને 3 તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી તેમજ અન્ય મહાનગર પાલિકાઓની 3, નગર પાલિકાઓની 21, જિલ્લા પંચાયતની 9 અને તાલુકા પંચાયતની 91 ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચુંટણી આગામી 16 ફેબ્રુઆરીનાં રોજ યોજાશે, જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે.

27 જાન્યુઆરીએ જાહેરનામુ, 16 ફેબ્રુઆરીએ મતદાન, 18 ફેબ્રુઆરીએ પરિણામ

ગુજરાત રાજ્ય ચુંટણી આયોગ દ્વારા રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચુંટણી આજે જાહેર કરી છે. ચુંટણી જાહેર થતા જ જેતે વિસ્તારોમાં આજથી આદર્શ આચાર સંહિતા લાગુ થઇ છે. જેની સાથે જ 27 જાન્યુઆરી, સોમવારે ચુંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરી શકશે. 1 ફેબ્રુઆરી, શનિવાર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છે અને 3 ફેબ્રુઆરી, સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 4 ફેબ્રુઆરી, મંગળવારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ત્યારબાદ 16 ફેબ્રુઆરી, રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના 11 કલાક સુધીમાં મતદાન યોજાશે. જો કોઈક જગ્યાએ ફરી મતદાન કરાવાની જરૂર જણાય, તો બીજા દિવસે 17 ફેબ્રુઆરી, સોમવારે ફરી મતદાન થશે. જયારે 18 ફેબ્રુઆરી, મંગળવારે મત ગણતરીની સાથે જ પરિણામ સ્પષ્ટ થશે.

70 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સમાન્ય ચુંટણી, 124 બેઠકો ઉપર પેટા ચુંટણી

1 જુનાગઢ મહાનગર પાલિકા સહિત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી યોજાશે, જેમાં રાજ્યના 25 જિલ્લાની 66 નગર પાલિકાઓની પણ સામાન્ય ચુંટણી યોજાશે. જેમાં 1. અમદાવાદ જિલ્લાની બાવળા, સાણંદ અને ધંધુકા, 2. ગાંધીનગર જિલ્લાની માણસા, 3. ખેડા જિલ્લાની મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, ખેડા, 4. આણંદ જિલ્લાની આંકલાવ, બીર્યાવી, ઓડ, 5. મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, 6. સાબરકાંઠા જીલ્લાની ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, 7. પાટણ જિલ્લાની હારીજ, ચાણસ્મા, રાધનપુર, 8. મહેસાણા જિલ્લાની ખેરાલુ, વડનગર, 9. વડોદરા જિલ્લાની કરજણ, 10. છોટા ઉદેપુર જિલ્લાની છોટા ઉદેપુર, 11. દાહોદ જિલ્લાની ઝાલોદ, દેવગઢ બારિયા, 12. પંચમહાલ જિલ્લાની કાલોલ, હાલોલ, 13. નવસારી જિલ્લાની બીલીમોરા, 14. વલસાડ જિલ્લાની વલસાડ, પારડી, ધરમપુર, 15. તાપી જિલ્લાની સોનગઢ, 16. જામનગર જિલ્લાની જામજોધપુર, ધ્રોલ, કાલાવાડ, 17. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા, દ્વારકા, ભાણવડ, 18. જુનાગઢ જિલ્લાની બાંટવા, માણાવદર, માંગરોળ, વિસાવદર, વંથલી, ચોરવાડ, 19. ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર, 20. કચ્છ જિલ્લાની રાપર, ભચાઉ, 21. અમરેલી જિલ્લાની લાઠી, જાફરાબાદ, રાજુલા, ચલાલા, 22. ભાવનગર જિલ્લાની શિહોર, ગારીયાધાર, તળાજા, 23. બોટાદ જિલ્લાની ગઢડા, 24. રાજકોટ જિલ્લાની જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર, ઉપલેટા, 25. મોરબી જિલ્લાની હળવદ, 26. સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ અને 27. પોરબંદર જિલ્લાની કુતીયાણા તેજ રાણાવાવ નગર પાલિકાની સામાન્ય ચુંટણી યોજાશે.

Continue Reading
Advertisement

Trending