Connect with us

કૃષિ

નવસારીમાં ” એક પેડ માં કે નામ ” અભિયાન હેઠળ નાણામંત્રીએ કર્યુ વૃક્ષારોપણ

Published

on

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 20 લાખ વૃક્ષોના ઉછેરનો લક્ષ્યાંક

નવસારી : ગ્લોબલ વોર્મિંગથી પર્યાવરણને બચાવવા વૃક્ષો જરૂરી છે. ત્યારે ગત 5 જૂન, 2024 ને વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ” એક પેડ માં કે નામ ” અભિયાનની શરૂઆત કરી છે. જે અંતર્ગત આજે નવસારી જિલ્લા કલેકટરાલય ખાતે નાણામંત્રી અને નવસારીના પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. નવસારી જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં 20 લાખ વૃક્ષોના ઉછેરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

નવસારીમાં વધુમાં વધુ વૃક્ષોના વાવેતર સાથે જતન કરવા નાણામંત્રીની અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગત 5 જૂન, 2024 ને વિશ્વ પર્યાવરણ દિવસે લોકો વૃક્ષ ઉછેર સાથે ભાવનાત્મક રીતે જોડાય અને વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એ હેતુથી ” એક પેડ માં કે નામ ” અભિયાનની સમગ્ર દેશમાં શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત આજે રાજ્યના નાણામંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે નવસારી જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતુ. સાથે નાણામંત્રીએ નવસારીવાસીઓ વડાપ્રધાનના ” એક પેડ માં કે નામ ” અભિયાનને વેગવંતુ બનાવી, જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષોના વાવેતર સાથે તેનું જતન કરતા થાય એવી આશા વ્યક્ત કરી હતી.

સામાજિક વનીકરણની ચાર રેન્જમાં 4.50 લાખ રોપાનું કરાયું વાવેતર

નવસારી જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં 20 લાખથી વધુ વૃક્ષોના વાવેતર સાથે તેનો ઉછેર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત વન વિભાગ દ્વારા જિલ્લાની 4 રેન્જમાં 4.50 લાખ રોપાનું વાવેતર થઈ ચૂક્યું છે. જ્યારે સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 12.92 લાખ રોપાનું વિતરણ પણ કરાયું છે. જ્યારે બાકી રહેલા લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે વન વિભાગ પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે અભિયાનમાં જોડાવા માટે વન વિભાગના QR કોડને સ્કેન કરી કોઈપણ વ્યક્તિ નિશુલ્ક રોપા મેળવી શકે છે.

નાણામંત્રી સાથે નવસારીના મહાનુભાવો પણ વૃક્ષારોપણમાં જોડાયા

નવસારી જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં નાણામંત્રી સાથે ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ, કલેકટર ક્ષિપ્રા અગ્રે, DDO પુષ્પલતા, સુપા રેન્જના RFO હિના પટેલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા.

 

કૃષિ

નવસારીના નાગધરા ગામેથી કદ્દાવર દીપડો પાંજરે પુરાયો

Published

on

By

નાગધરા ગામે થોડા સમયમાં મરઘાનું મારણ કરતા દીપડાથી ગ્રામજનોમાં હતો ભય

નવસારી : નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો છે. જેમાં નાગધરા ગામે છેલ્લાં થોડા સમયમાં દીપડો મરઘા સાથે પાલતુ પ્રાણીઓને શિકાર બનાવતા ગામમાં ભયનો માહોલ હતો. દરમિયાન વન વિભાગે ગોઠવેલા પાંજરામાં સોમવારે મળસ્કે એક કદ્દાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

નવસારી વન વિભાગે દીપડાનો કબ્જો લઈ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી

નવસારી તાલુકાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં લાંબા સમયથી દીપડાના આંટાફેરા વધ્યા હતા. જેમાં પણ શેરડીના ખેતરોમાં કાપણી થતા દિપડાઓ ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં લટાર મારતા દેખાયા હતા. જેમાં પણ પાલતુ પ્રાણીઓ શ્વાન, ઢોર કે મરઘાનો શિકાર કરી, દિપડાઓ નદીઓની કોતર વિસ્તારમાં રહેતા થયા છે. ત્યારે નવસારીના નાગધરા ગામે પણ છેલ્લા થોડા દિવસોમાં મરઘાના મારણ કરતા દીપડાથી ગ્રામજનોમાં દહેશતનો માહોલ હતો. જેથી ગ્રામજનોએ સરપંચને જાણ કરતા, સરપંચે નવસારી સામાજિક વનીકરણ વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગ દ્વારા નાગધરાના કાતું પટેલના વાડામાં મરઘાના મારણ સાથે પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં સોમવારે મળસ્કે સાડા ત્રણ વર્ષનો એક કદ્દાવાર દીપડો શિકારની લાલચમાં પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળીને ગ્રામજનો ભેગા થયા હતા અને વન વિભાગને દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ નાગધરા ગામે પહોંચી, દીપડાનો કબ્જો લઈ, તેની આરોગ્ય તપાસ કરાવી, ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.

Continue Reading

કૃષિ

ગણદેવીના વલોટી ગામેથી કદ્દાવર દીપડો પાંજરે પુરાયો

Published

on

By

વન વિભાગે ગોઠવેલા પાંજરામાં શિકારની લાલચે માદા દીપડો ફસાયો

નવસારી : નવસારીના ગણદેવી તાલુકાના વલોટી ગામના કાઢણીયા વિસ્તારમાંથી આજે વહેલી સવારે એક કદ્દાવર માદા દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગે દીપડાનો કબ્જો લઈ, તેને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.

થોડા દિવસોથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં હતો ભયનો માહોલ

નવસારી જિલ્લામાં શેરડીની કાપણી શરૂ થતા દીપડા દેખાવની ઘટના સામાન્ય બની રહી છે. જિલ્લામાં થોડા દિવસોના આંતરે દીપડો પાંજરે પુરાયો હોવાના સમાચાર સામાન્ય થયા છે. ત્યારે આજે મળસ્કે નવસારીના ગણદેવી તાલુકાના વલોટી ગામના કાઢણીયા વિસ્તારમાંથી એક કદ્દાવર માદા દીપડો પાંજરે પુરાયો હતો. વલોટી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. ગ્રામજનોએ ગણદેવી વન વિભાગને જાણ કરતા ગામના કાઢણીયા વિસ્તારમાં મારણ સાથે પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે શિકારની લાલચમાં એક માદા દીપડો ફસાયો હતો. દીપડાની દહાડ સાંભળી ગ્રામજનો પાંજરા પાસે ભેગા થતા, પાંજરામાં દીપડો જણાયો હતો. વન વિભાગને દીપડો પાંજરે પુરાયાની જાણ થતા પાંજરા સાથે દીપડાનો કબ્જો લઈ, તેની આરોગ્ય તપાસ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. સાથે જ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ દીપડાને જંગલમાં છોડવાની તૈયારી કરાશે. ઉલ્લેખનિય છે કે, માદા દીપડો પકડાતા વિસ્તારમાં અન્ય દીપડા હોવાની પણ લોકોમાં ચર્ચા ઉઠી છે.

Continue Reading

કૃષિ

નવસારીના વાવાઝોડાના અસરગ્રસ્તોને સરકાર આપશે સહાય

Published

on

By

સાંસદ ધવલ પટેલની રજૂઆતોને પગલે અઠવાડિયામાં જ સહાય મળતા, સાંસદે મુખ્યમંત્રીનો આભાર માન્યો

નવસારી : નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકામાં ગત અઠવાડિયે ત્રાટકેલા તોફાની વાવાઝોડામાં અસરગ્રસ્ત 32 ગામડાઓના લોકોને વલસાડના સંસદ ધવલ પટેલે સ્નવેદના સાથે પ્રથમ દિવસથી જ મદદનો હાથ લંબાવ્યો હતો. પરંતુ કુદરતી આફતનો ભોગ બનેલા લોકોને વહેલામાં વહેલી ગુજરાત સરકાર પણ સહાય આપે એવી માંગ સાથે પત્ર પાઠવ્યો હતો. જેને ધ્યાને લઈ સરકાર દ્વારા ત્વરિત સહાય આપવાનો નિર્ણય કર્યો અને આવતી કાલે અસરગ્રસ્તો સુધી સહાય પહોંચશે. જેને લઈને વલસાડના સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

વાવાઝોડામાં નવસારીના બે તાલુકાના 32 ગામડાઓ થયા હતા અસરગ્રસ્ત

અઠવાડિયા અગાઉ નવસારીમાં ​આવેલા ભયાનક વાવાઝોડાના કારણે નવસારી જિલ્લાના કુલ 32 ગામડાઓને ગંભીર અસર થઈ હતી. જેમાં ચીખલીના તલાવચોરા અને વાંસદાના સીણધઈ ગામે થોડી મિનીટોમાં જ વાવાઝોડાએ તબાહી ફેલાવી હતી. વાવાઝોડામાં બંને ગામો સહિત જિલ્લાના 32 ગામડાઓમાં અંદાજે 3.5 હજાર મકાનોના પતરા ઉડ્યા હતા અને કેટલાક મકાનોની દીવાલો અથવા આખેઆખા મકાન જ ધરાશાયી થતા લોકોને ખુલ્લા આકાશ નીચે રહેવાનો વારો આવ્યો છે.

સાંસદ ધવલ પટેલે પ્રથમ દિવસથી જ ભાજપી કાર્યકરોની સાથે મહેકાવી સેવાની સુવાસ

વાવાઝોડાની ખબર મળતા જ વલસાડના સંસદ ધવલ પટેલ એક્ટિવ થયા હતા અને એમના મત વિસ્તાર વાંસદા વિધાનસભા ક્ષેત્રના ગામોને મદદ પહોંચાડવાનો પ્રયાસ આરંભ્યો હતો. ખાસ કરીને વાંસદાના ભાજપી આગેવાનો અને કાર્યક્રેઓની મદદથી સીણધઈ ગામના વધુ પ્રભાવિત ત્રણ ફળિયાઓમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ તેમજ પતરા ખુદ નાદુરસ્ત તબિયત હોવા છતાં પહોંચાડ્યા હતા. સાથે જ ​સાંસદ ધવલ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને તાત્કાલિક અસરથી અસરગ્રસ્તોને સંપૂર્ણ સર્વે થાય અને ખેતીના નુકશાનનું પણ યોગ્ય સર્વે કરવામાં આવે અને ત્યારબાદ રાજ્ય સરકાર ત્વરિત સહાય પહોંચાડે એવી વિનંતી કરી હતી. સંસદ ધવલ પટેલના પત્રને સરકારે ગંભીરતાથી ધ્યાને લઈ જિલ્લાના વાવાઝોડાના અસરગ્રસ્તોને અઠવાડિયામાં જ સહાય પહોંચાડવાનો નિર્ણય કર્યો અને આવતી કાલે તેમને સહાય પહોંચશે. ત્યારે સરકારના નિર્ણયને સાંસદ ધવલ પટેલે આવકાર્યો અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ સાંસદ ધવલ પટેલે આ વિકટ પરિસ્થિતિમાં ગ્રામજનોને મદદરૂપ થવા બદલ જિલ્લા સંગઠન તેમજ ખાસ કરીને વાંસદાના કાર્યકર્તાઓની મહેનત અને સેવા ભાવનાનો પણ વિશેષ આભાર માન્યો હતો.

સંકટના સમયે સરકારે સહાય પહોંચાડી પ્રજાલક્ષી સરકારનું આપ્યું ઉદાહરણ

વાવાઝોડાને​ કારણે જ્યારે લોકોના ઘર અને રોજી સમાન ખેતીમાં થયેલા નુકશાનની વેદના સાંભળી ગુજરાત સરકારે આટલા ટૂંકા ગાળામાં રાહત અને સહાય પહોંચાડીને સંકટ સમયે પ્રજાની પડખે ઊભા રહેવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

Continue Reading
Advertisement

Trending