Connect with us

તહેવાર

નવસારીના સિસોદ્રા ગામે વડમાં બિરાજમાન છે, સ્વયંભુ શ્રી ગણેશ

Published

on

હિન્દુ મંદિરોનો વિધ્વંશ કરવા નિકળેલા મુઘલ બાદશાહ ઔરંગઝેબને વિઘ્નહર્તાએ પાડ્યો હતો ઘૂંટણીએ

નવસારી : ગણેશ પુરણમાં ભક્ત માટે વડમાં સ્વયંભુ પ્રગટેલા ભગવાન શ્રી ગણેશે, હિન્દુ મંદિરોનો વિધ્વંશ કરવા નિકળેલા મુઘલ બાદશાહ ઔરંગઝેબને સતનો પરચો બતાવી ઘૂંટણીએ પાડ્યો હતો. એવા અલૌકિક અને ચમત્કારી નવસારીના ગણેશવડ મંદિરે આજે ગણેશ ચતુર્થીના પવન પર્વ પર મોટી સંખ્યામાં ભક્તોએ વિઘ્નહર્તાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભક્ત ભૂખો ન રહે એ માટે વડમાં પ્રગટ થયા વિનાયક

આજથી ગણેશોત્સવનો ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. નવસારીમાં ગલી, મોહલ્લા, સોસાયટી, એપાર્ટમેન્ટ, ઘરોમાં ભક્તોએ એકદંતની વિધીવિધાન સાથે સ્થાપના કરી બાપ્પાને આવકાર્યા છે.  ત્યારે નવસારીના સિસોદ્રા ગામે આવેલા પૌરાણિક ગણેશવડ મંદિરે પણ વહેલી વહેલી સવારથી શ્રધ્ધાળુઓ સ્વયંભુ શ્રી ગણેશજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. ભક્તોએ અંતરના ઉમળકાથી લંબોદરનું પૂજન કરી, તેમના આશિર્વાદ મેળવ્યા હતા. ગણેશવડમાં બિરાજમાન વિઘ્નહર્તાનો ઉલ્લેખ ગણેશ પુરાણમાં જોવા મળે છે. હજારો વર્ષ પૂર્વે એક સંઘ જાત્રાએ નિકળ્યો હતો, એમાં એક ભગવાન શ્રી ગણપતિનો ભક્ત હતો, જે શ્રીજીના દર્શન કાર્ય બાદ જ ભોજન કરતો હતો. સંઘ જયારે નવસારીના સિસોદ્રા પાસે પહોંચ્યો, ત્યારે અંધારૂ થતા રાતવાસો કરવાનો નિર્ણય કર્યો. પરંતુ લંબોદરના દર્શન વિના અન્નનો દાણો ન આરોગતા ભક્તને મુશ્કેલી પડી, કારણ આસપાસ ક્યાંય વિઘ્નહર્તાનું મંદિર ન હતુ. ત્યારે ભક્તને ભુખુ ન રહેવું પડે એ માટે ભગવાન શ્રી ગણપતિ સ્વયંભુ પ્રગટ થયા અને ભક્તને દર્શન આપી તેની શ્રદ્ધાને જીવંત રાખી હતી. ત્યારથી દક્ષિણ ગુજરાત સહિત ગુજરાત તેમજ દેશ વિદેશમાં તેની પ્રસિદ્ધિ ફેલાય છે. શ્રધ્ધાળુઓ અહીં પોતાની મનોકામના લઇને આવે છે, જેને વિઘ્નહર્તા પૂર્ણ કરતા ભક્તો બાપ્પાના દર્શન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

ગણેશવડ મંદિરના પુજારીઓ પાસે આજે પણ છે ફારસી દસ્તાવેજો

વિઘ્નહર્તાના ચમત્કારનો બીજો કિસ્સો પણ ઘણો રસપ્રદ છે. ઈ.સ. 1662 વર્ષ પૂર્વે ભારતમાં મુઘલ સલ્તનત બાદશાહ ઔરંગઝેબ હિન્દુ મંદિરોનો વિધ્ન્વંશ કરી રહ્યો હતો. ઔરંગઝેબની સેના ભારતમાં મંદિરોને તોડી રહી હતી, ત્યારે સુરતથી મુઘલીયા સેના એ સમયના સુપા પરગણામાં સ્થિત ગણેશવડ મંદિરે પહોંચી. મંદિર તોડવા જતા જ વિઘ્નહર્તા નજીકમાં આવેલા વડમાં શ્રીજીની આકૃતિ બની અને વડમાંથી ભમરાઓનું ઝુંડ ઉડ્યું અને સૈનિકો ઉપર તૂટી પડતા તેમણે ભાગવા પડ્યુ હતુ. જયારે ઔરંગઝેબને ઘટનાની જાણ થઇ, તો ક્રૂર બાદશાહ પણ વિઘ્નહર્તાના ચમત્કારથી પીગળી ગયો હતો. બાદશાહે ભગવાન શ્રી ગણેશ આગળ માથું ટેકવી માફી માંગી હતી અને મંદિરના પુજારીને 20 વીઘા જમીન દાન પણ કરી હતી. ત્યારથી સિસોદ્રાનું ગણેશ મંદિર ગણેશવડ તરીકે જાણીતું થયુ છે.

આજે પણ મળે છે ગજાનનના પરચા, ભક્તો થાય છે બાપ્પાની આરાધનામાં લીન 

હાલમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મંદિરની જમીનમાંથી પસાર થવાની સંભાવના જોવાતી હતી, પરંતુ બાપ્પાના આશિર્વાદથી મંદિરથી થોડે દૂર પ્રોજેક્ટ આકાર પામ્યો છે અને મંદિરને કોઈ મુશ્કેલી પડી નથી. ત્યારે ગણેશોત્સવ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો ગણેશવડ સિસોદ્રામાં બાપ્પાના દર્શને ઉમટી પડશે અને પોતાની શ્રદ્ધાનુસાર પૂજન કરી બાપ્પાની આરાધના કરી ધન્યતા અનુભવશે.

તહેવાર

ઉર્જા બદલાતી નથી, એનું સ્વરૂપ બદલાય છે, વિજ્ઞાનનો સિદ્ધાંત હજારો વર્ષો પૂર્વે ગીતાએ દર્શાવ્યો

Published

on

By

મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુળમાં ગીતા જયંતીની થઇ ભવ્ય ઉજવણી

નવસારી : ભારતીય સંસ્કૃતિમાં અનેક ધર્મગ્રંથોએ જીવન સરળતાથી જીવવાના મુલ્યો શીખવે છે. જેમાં પણ શ્રીમદ્દ ભગવદ ગીતા હજારો વર્ષો વીતવા છતાં પણ આજે પણ એટલી જ ઉપયોગી છે. ત્યારે નવસારીના સુપા ગામે આવેલ મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુળમાં ભ્રહ્મચારીઓએ ગીતાના શ્લોકોનું પઠન કરી ભવ્ય રીતે ગીતા જયંતીની ઉજવણી કરી હતી. જેમાં યજ્ઞની રુચાઓથી સમગ્ર આશ્રમનું પ્રાંગણ ગુંજી ઉઠ્યુ હતુ.

ગીતા જીવન જીવવાની કળા શીખવે છે : ડો. ચંદ્રગુપ્ત

નવસારી જિલ્લામાં વર્ષોથી વૈદિક કાળની જેમ આશ્રમ પ્રથાથી શિક્ષણ આપતા મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુળ ખાતે આજે હર્ષોલ્લાસ સાથે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂકુળ, જે શતાબ્દી જૂની આર્ય સંસ્કૃતિ અને આધુનિક શિક્ષણનો સમન્વયને આધારે બાળકોને સનાતન ધર્મની પરંપરા સાથે જ આધુનિક શિક્ષણ આપે છે, ત્યારે ગીતા જયંતીના પવિત્ર દિવસે શ્રીમદ્દ ભગવદ ગીતા અને તેના જીવન મુલ્યોએ સૌને પ્રેરિત કર્યા હતા. આ ઉજવણીમાં ગુરૂકુળના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. ચંદ્રગુપ્તે જીવનમાં ગીતા અધ્યાયના પઠનનું મહત્વ સમજાવ્યુ હતુ. સાથે જ તેમણે શાસ્ત્રીય ઉદાહરણ સાથે આધુનિક વિજ્ઞાન અને ગીતાના ઊર્જા-સિદ્ધાંત વચ્ચેના સંબંધોને રેખાંકિત કરતા જણાવ્યુ હતુ કે, ઊર્જા અમર છે અને તેનું માત્ર સ્વરૂપ બદલી શકાય છે. આ વિજ્ઞાનના સિદ્ધાંતો ગીતા દ્વારા હજારો વર્ષ પહેલાં રજૂ કરાયા હતા. જીવનના દરેક તબક્કામાં અને આજના પરિપ્રેક્ષ્યમાં આવતા તમામ કામોમાં ગીતા જીવન જીવવાની કળા શીખવે છે. 

સંસ્કૃત પાઠશાળાના બ્રહ્મચારીઓએ ગીતાના શ્લોકોનું પઠન કરી, સંસ્કૃતિને ઉજાગર કરી

ગુરૂકુળના સહ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ રત્નાણીએ ગીતાને જીવન બદલવાની જડીબુટ્ટી તરીકે વર્ણવી, વિદ્યાર્થીઓને નિયમિત ગીતા પઠન કરવાની સલાહ આપી હતી. જયારે ગુરુકુળના સંસ્કૃત પાઠશાળાના બ્રહ્મચારીઓએ શ્રીમદ્દ ભગવદ ગીતાના શ્લોકોનું પઠન કરી આ દિવસે સનાતન સંસ્કૃતિને ઉજાગર કરી હતી. જેમાં વિધિવત યજ્ઞ-હવન સાથે આ ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. યજ્ઞમાં ગુરુકુળના આચાર્ય દીપેશજી, આચાર્ય વિવેકાનંદજી, આચાર્ય પ્રતીકજી અને શ્રદ્ધાનંદ આશ્રમના ગૃહપતિઓએ પણ ભાગ લીધો.

જિલ્લા શિક્ષણાધિકારીએ સાંસ્કૃતિક ધરોહર અને તેની જાળવણી માટે આપી શુભેચ્છા

ગીતા જયંતીની ઉજવણીમાં ગુજરાત ગુરૂકુળ સભાના પદાધિકારીઓએ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી હતી. સંસ્થાના મંત્રી પંકજસિંહ ઠાકોરે આશ્રમ દ્વારા ઉંચા શિક્ષણ સાથે વધુ તકો પૂરી પાડવામાં આવી રહી હોવાના વખાણ કર્યા કરી, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા  હતા. જયારે નવસારી જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરીએ સંસ્થાની સાંસ્કૃતિક ધરોહર અને તેની જાળવણી માટે શુભેચ્છા આપી હતી.

Continue Reading

તહેવાર

હેલ્લારો : પોલીસ જવાનો મન મુકીને ગરબે ઘૂમ્યા

Published

on

By

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે માં જગદંબાની આરતી કરી, આપી શુભકામનાઓ

નવસારી : તહેવારોમાં સદા લોકોની સુરક્ષામાં પોતાનું મન મારીને પણ ફરજ બજાવતી નવસારી જિલ્લા પોલીસના જવાનો ગત રાતે પોલીસ પરિવાર માટે યોજાયેલા હેલ્લારો ગરબા મહોત્સવમાં મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. ગરબાના પ્રારંભે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ અને સુરત રેંજ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહે આરતી કરી માં જગદંબાના આશિર્વાદ મેળવી, પોલીસ પરિવારને શુભકામનાઓ આપી હતી.

વરસતા વરસાદમાં ગરબાના તાલે પોલીસ જવાનો પરિવાર સાથે ગરબે ઘૂમ્યા

તહેવારોની મોસમ શરૂ થતા જ પોલીસ વિભાગ સતર્ક બને છે અને લોકોની સુરક્ષા માટે રાત દિવસ ફરજ બજાવે છે. નવરાત્રના નવ દિવસોમાં પણ પોલીસકર્મીઓ લોકોની સુરક્ષા માટે અનેક વિસ્તારોમાં ખડે પગે રહ્યા હતા. ખાસ કરીને આ વખતે નવરાત્રમાં મહિલા પોલીસકર્મીઓની અલાયદી ટુકડી બનાવી મહિલાઓની સુરક્ષા માટે તેનાત કરવામાં આવી હતી. પોલીસ જવાનો ફરજ ઉપર હોય ત્યારે તેમના પરિવારજનો પણ તહેવારની મજા માણી શકતા નથી. ત્યારે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા પોલીસ જવાનો પણ તહેવારની મજા માણી શકે અને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી શકે એ માટે આજે એક દિવસીય હેલ્લારો ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતુ. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી તથા નવસારીના સાંસદ સી. આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સાથે મા અંબેની આરતી કરી આશીર્વાદ લીધા હતા. સાથે જ પોલીસકર્મીઓને નવરાત્રી અને દિવાળીની શુભકામના પાઠવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસના અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનો વરસતા વરસાદમાં ગરબાના તાલે મન મૂકીને ઝુમ્યા હતા.

પોલીસ જવાનો અને તેમના પરિવારે ગરબા આયોજન માટે પોલીસ અધિક્ષકનો આભાર માન્યો 

પોલીસ અધિકારીઓ તેમજ તેમના પરિવારે જિલ્લા પોલીસ વડા દ્વારા નવરાત્રી મહોત્સવના આયોજનને લઈ ખુશી વ્યક્ત કરી હતી. તહેવારોમાં અને ખાસ કરીને નવરાત્રમાં સતત બંદોબસમાં હતા, પરંતુ આજે ગરબે ઘૂમીને ખૂબ આનંદ થયો હોવાની ભાવના પણ વ્યક્ત કરી હતી. જ્યારે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહે પણ જિલ્લા પોલીસના ગરબા મહોત્સવના આયોજનને બિરદાવ્યો હતો.

Continue Reading

તહેવાર

નવસારીમાં ભક્તોએ ભારી હૃદયે વિઘ્નહર્તાને આપી વિદાય

Published

on

By

શ્રી ગણેશજીના વિસર્જન દરમિયાન અનેક આંખો ભીની થઈ

નવસારી : નવસારીમાં 10 દિવસ સુધી ભક્તિ ભાવ અને શ્રદ્ધાથી શ્રી ગણેશજીની આરાધના કર્યા બાદ આજે શ્રીજી ભક્તોએ બાપ્પાને અશ્રુભીની આંખે અને ભારે હૃદયે પૂર્ણાના ઓવારેથી વિદાય આપી હતી. વહેલી સવારથી ઘરના અને નાના મંડળોના એકદંતની પ્રતિમાઓનો વિસર્જન શરૂ થયું હતુ. જ્યારે બપોર બાદ મોટી પ્રતિમાઓનું વિસર્જન શરૂ થશે.

નવસારીમાં અત્યાર સુધીમાં 1671 નાની અને 58 મોટી પ્રતિમાઓનું થયું વિસર્જન

નવસારી શહેર અને જિલ્લામાં ગણેશ ભક્તોએ દસ દિવસ સુધી શ્રી વિનાયકની હૃદયના ઉમળકાથી પૂજા અર્ચના કરી હતી. શહેરમાં અનેક ઠેકાણે 10 થી 25 ફૂટ ઊંચી પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતુ. અનેક મંડળોમાં લાખોના ખર્ચે કરેલા ડેકોરેશનને જોવા, સાથે જ શ્રી ગણેશજીના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. દસ દિવસ પૂર્ણ થતા આજે અનંત ચતુર્દશીના પાવન પર્વ પર ભક્તોએ ભારે હૃદયે ભક્તોએ બાપ્પાની વિદાયની તૈયારી કરી હતી. ઢોલ નગારા તેમજ DJ ના તાલે નૃત્ય કરતા ભવ્ય વિસર્જન યાત્રા કાઢી હતી. સવારથી નવસારી વિજલપોર શહેરના વિરાવળ, ધારાગીરી અને જલાલપોર સ્થિત સરસ્વતી માતાજીના મંદિર પાસેના ઓવારા પાસે હજારો ગણેશ ભક્તો નાની અને મોટી પ્રતિમાઓ લઈને પહોંચ્યા હતા. ખાસ કરીને શહેરની અંદાજિત 300 જેટલી વિશાળ પ્રતિમાઓનું વિરાવળ ખાતે પૂર્ણા નદીના ઓવારાથી વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિરાવળ ઓવારા પાસે બે કૃત્રિમ તળાવમાં POP ની પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે. જ્યારે બે મોટી ક્રેન મારફતે મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સવારથી અત્યાર સુધીમાં 1671 નાની અને 58 મોટી પ્રતિમાઓનું વિસર્જન વિરાવળ ગામના તરવૈયાઓ દ્વારા કરાવવામાં આવ્યું છે. હવે શહેરની જાણીતી અને મોટી પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળશે. જેને જોવા લાખોની સંખ્યામાં શ્રીજી ભક્તો નવસારીના રાજમાર્ગો ઉપર ઉમટી પડશે. જ્યારે રાજકીય પક્ષો દ્વારા પણ શ્રી ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન યાત્રા દરમિયાન ફુલહાર અર્પણ કરી સ્વાગત કરવામાં આવશે.

Continue Reading
Advertisement

Trending