Connect with us

ગુજરાત

સીએએ કાયદા દ્વારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની ભાવનાને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પૂર્ણ કરી : રમણલાલ પાટકર

Published

on

વલસાડ જિલ્લાના પારડી ખાતે ૭૧ માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી

વલસાડ : વલસાડ જિલ્લાનાં પારડી ખાતે પ્રજાસત્તાક પર્વની દેશભક્‍તિથી તરબોળ વાતાવરણમાં ઉમંગભેર ઉજવણી  થઇ હતી. રાજ્યના વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે રાષ્‍ટ્રધ્‍વજની વંદના કરીને પ્રજાજનોને ૭૧માં પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી. સાથે જ રાષ્‍ટ્રની આઝાદીમાં શહાદત વહોરનાર તથા ત્‍યાગ અને બલિદાન આપનાર વીરલાઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની પારડી ખાતે થયેલી ઉજવણી દરમિયાન રાષ્‍ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને બા-અદબ સલામી આપ્‍યા બાદ મંત્રી પાટકરે જણાવ્‍યું હતું કે, પૂ. મહાત્‍મા ગાંધીજીએ ૧૯૪૭ માં પાકિસ્‍તાનની રચના થયા પછી ત્‍યાંથી નિરાશ્રિત બનેલા હિન્‍દુ, શીખ, જૈન, બૌધ્‍ધ, પારસી જેવા તમામ ધર્મના લોકોને આશ્રય આપવા, રોજગારી તથા સન્‍માન આપવાની લાગણી વ્‍યકત કરી હતી. આઝાદીના આટલા વર્ષો પછી પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની સરકારના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકશાહી પ્રણાલીને અનુસરીને રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની ભાવનાને પૂર્ણ કરતા ભારતમાં આવીને વસેલા એવા નિરાશ્રિતોને નાગરિકતા મળે તેવો કાયદો પસાર કર્યો છે. ત્‍યારે તે કાયદાના સન્‍માન અને રક્ષણની આપણા સૌની જવાબદારી છે.  આ કાયદાનો વિરોધ કરી રહેલા તત્ત્વોને સખત શબ્‍દોમાં વખોડી કાઢતા જણાવ્‍યુ હતું કે, સંવેદના અને બંધુતાના ભાવ સાથે લોકશાહી પ્રથા અનુસાર પાસ થયેલા આ કાયદાનો વિરોધ એ લોકશાહીને છાજે નહીં તેવું કૃત્‍ય છે. કાયદો ભારતના કોઇ જ નાગરિકની નાગરિકતા છીનવતો નથી, પરંતુ પાકિસ્‍તાન, બાંગ્‍લાદેશ, અફઘાનિસ્‍તાનના કટ્ટતરવાદી વલણના કારણે ભારતમાં આવીને વસેલાને આશરો આપવો એ આપણો ધર્મ અને સાંસ્‍કૃતિક પરંપરા છે તેવું તેમણે ઉમેર્યુ હતું. આ સાથે જ તેમણે સરકારની ઉપલબ્ધિઓ તેમજ વિભિન્ન યોજનાઓની ઝાંખી આપી હતી.

પ્રજાસત્તાક પર્વ ઉજવણી દરમિયાન મંત્રી રમણલાલ પાટકર સહિત કલેક્‍ટર સી. આર. ખરસાણ અને જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળા રેલવે પોલીસ ફૉર્સ, જિલ્લા પોલીસના મહિલા તથા પુરુષ જવાનો, હોમગાર્ડ્‍ઝના મહિલા અને પુરૂષ ગાર્ડ્‍સ, સહિત પોલીસની પરેડ પોલીસ બૅન્‍ડના સથવારે યોજવામાં આવી હતી જયારે જિલ્લાના જુદા જુદા વિભાગો બાગાયત, ખેતીવાડી, ૧૦૮,  આદિજાતિ વિકાસ, ગ્રામ વિકાસ, શિક્ષણ વિભાગ, આરોગ્‍ય, પશુપાલન, વન, અને પોલીસ દ્વારા આકર્ષક અને માહિતીપ્રદ ટેબ્‍લોઝ પણ રજુ કરાયા હતા. શાળાના બાળકો દ્વારા ગણતંત્ર પર્વ ઉજવણી નિમિત્તે દેશભક્‍તિ ગીત, આદિવાસી નૃત્‍ય, બેટી બચાવો અને બેટી પઢાઓ જેવા પ્રેરણાત્‍મક કાર્યક્રમો રજુ કરાયા હતા.

ગણતંત્ર દિવસે મહાનુભાવોના હસ્‍તે રમતગમત ક્ષેત્રના શ્રેષ્‍ઠ ખેલાડીઓ, પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ જવાનો, આરોગ્‍ય તથા શિક્ષણ, વન અને પર્યાવરણ વગેરે ક્ષેત્રે કામગીરી, ઇમરજન્‍સી સેવાની વિશિષ્‍ટ કામગીરી કરવા બદલ મહાનુભાવોના હસ્‍તે સન્‍માનિત કરાયા હતા. સાથે જ વલસાડ કલેક્‍ટર સી. આર. ખરસાણને ચૂંટણીઓના સર્વગ્રાહી શ્રેષ્‍ઠ વ્‍યવસ્‍થાપન તેમજ ચુંટણીપંચની અપેક્ષા પ્રમાણે મુકત ન્‍યાયી તટસ્‍થ પારદર્શક ચૂંટણી વ્‍યવસ્‍થાઓના માપદંડો અનુસાર ઉત્તમ કામગીરી માટે રાજ્‍યના શ્રેષ્‍ઠ જિલ્લા ચૂંટણી અધિકારીના એવોર્ડથી સન્‍માનિત કરવા બદલ, જ્‍યારે વાપીના અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવી ગફુરભાઇ બિલખીયાને પદ્મશ્રી એવોર્ડ મળવા બદલ મંત્રી પાટકરે તેમને અભિનંદન પાઠવ્‍યા હતા.

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રજુ થયેલા ટેબ્‍લોઝ, પરેડ અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોની વિજેતા કૃતિઓને પણ મહાનુભાવોના હસ્‍તે પારિતોષિકો એનાયત કરવામાં આવ્‍યા હતા. સાંસ્‍કૃતિક કાર્યક્રમોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને સન્‍માનિત કરાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન નગરજનો સહિત તાલુકાના પ્રજાજનો, પદાધિકારીઓ, અધિકારીઓ, શાળા/કૉલેજના વિદ્યાર્થીઓ, મીડિયાકર્મીઓ વગેરેએ ઉપસ્‍થિત રહી રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી. કાર્યક્રમના અંતે પોલીસ બૅન્‍ડની સૂરાવલીઓ સાથે રાષ્‍ટ્રગીતનું ગાન કરાયું હતું. ત્‍યાર બાદ મંત્રી રમણલાલ પાટકર અને  મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતુ.

આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ મણિલાલ પટેલ, સાંસદ ડૉ. કે. સી. પટેલ, ધારાસભ્‍યો કનુ દેસાઇ, અરવિંદ પટેલ, ભરત પટેલ, વલસાડ કલેક્‍ટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી સહિત જિલ્લાના અધિકારી/કર્મચારી સહિત  શહેરી જનો મોટી સંખ્‍યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત

‘ખજૂરભાઈ’ નીતિન જાની 2027માં ચૂંટણી લડશે!

Published

on

By

રાજુલાના ખાનગી કાર્યક્રમમાં યુવાનોને રાજકારણમાં ઉતરવાની કરી હાંકલ

બારડોલી : સોશ્યલ મીડિયામાં ખજૂર – જીગલીના કૉમેડી વીડિયો થકી લોકપ્રિય અને ગરીબોના ઘરો બનાવનાર સામાજિક કાર્યકર નીતિન જાની ઉર્ફે ‘ખજૂરભાઈ’ એ સક્રિય રાજકારણમાં ઝંપલાવવાનો વિચાર કરી, આગામી વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.

કયા પક્ષ સાથે જોડાશે એ નક્કી નહીં, પણ ચૂંટણી લડવા મક્કમ!

સોશ્યલ મીડિયામાં કૉમેડી વીડિયો થકી નામના મેળવનાર મૂળ બારડોલીના નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ એ રાજુલાના ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાજકારણથી દૂર રહેવાને બદલે સક્રિય રીતે જોડાઈ, તેને નવી દિશા આપવા માટે હાંકલ કરી છે. જ્યાં યુવાનોના સવાલના જવાબમાં પોતે પણ 2027 ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં ‘ખજૂરભાઈ’ ના રાજકારણમાં પ્રવેશની વાત ચર્ચાએ ચઢી છે. જોકે, નીતિન જાનીએ હાલમાં કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ 2027 ની ચૂંટણી લડવા માટે તેઓ મક્કમ છે.

પાવર વિના 374 ઘર બનાવ્યા, સત્તા મળશે તો સંખ્યા વધશે

નીતિન જાનીએ અત્યાર સુધીમાં પોતાના કૉમેડી વીડિયો અને સામાજિક કાર્ય થકી કોઈ પણ સરકારી પાવર વિના 374 જેટલા જરૂરિયાતમંદ પરિવારો માટે પાકાં ઘરો બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે, જો તેઓ ચૂંટણી લડીને સત્તામાં આવશે તો લોકો માટે ધાબાવાળા પાકાં ઘરો બનાવવાની સંખ્યામાં વધારો કરી શકશે. એટલું જ નહીં, તેમની ઈચ્છા ગુજરાતની ગૌશાળાઓને પણ ધાબાવાળી બનાવવાની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આઈડિયોલોજીથી પ્રભાવિત છે ખજૂરભાઈ

હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈનો જન્મ સુરતમાં થયો અને હાલ તેઓ સરદાર પટેલની ભૂમિ બારડોલીમાં રહે છે. જેથી જન્મથી જ સરદાર પટેલ તેમના હીરો રહ્યા છે. જોકે વર્તમાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપધ્ધતિથી તેઓ પ્રભાવિત છે અને વર્ષોથી તેમને પોતાના આઇડલ માને છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ તેમના સમાજસેવાના કાર્યની સરાહના પણ કરી હતી. ત્યારે આગામી સમયમાં તેઓ કયા પક્ષ સાથે જોડાઈને રાજકીય સફર શરૂ કરે છે, એ જોવું રહ્યું.

Continue Reading

ગુજરાત

વાંસદા વાવાઝોડુ : સાંસદ ધવલ પટેલની રજૂઆત ફળી!

Published

on

By

સીણધઈના અસરગ્રસ્તોને એક અઠવાડિયામાં 30.86 લાખ રૂપિયાની સહાય સીધી બેન્ક ખાતામાં ચૂકવાઈ

નવસારી : ​નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ગત 27 સપ્ટેમ્બરની રાત્રે ત્રાટકેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. ખાસ કરીને સીણધઈ ગામના ત્રણ ફળિયામાં 160 થી વધુ મકાનોને મોટું નુકસાન થતાં અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે સાંસદ ધવલ પટેલની રજૂઆતોને ધ્યાને લઈ ગુજરાત સરકારે અઠવાડિયામાં જ કુલ 30.86 લાખ રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં જમા થતા લોકોએ સરકારનો આભાર માન્યો હતો.

​તાત્કાલિક પગલાં અને સહાયનો ધોધ

વાંસદા તાલુકાના સીણધઈ ગામમ કુદરતી આફતની જાણ થતાં જ ભાજપના આગેવાનો, કાર્યકરો, અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો તુરંત સીણધઈ ગામે પહોંચી હતી. જેમના દ્વારા રસ્તા પર પડેલા ઝાડવાઓ અને વીજ થાંભલાઓને તાત્કાલિક ધોરણે ખુલ્લા કરવા અને અસરગ્રસ્તોને પ્રાથમિક રાહત આપવાના પ્રયાસો શરૂ કરાયા હતા. વલસાડના સાંસદ ધવલ પટેલે પોતે સ્થળ પર પહોંચી 700 પતરાં અને જીવન જરૂરિયાતની કીટ અસરગ્રસ્તોને પહોંચાડી હતી. આ સાથે તેમણે નુકસાનીનું તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તે માટે ગુજરાત સરકાર સમક્ષ મકાનો, કૃષિ અને પશુપાલન મુદ્દે રજૂઆત કરી હતી. જેને ગુજરાત સરકારે ​ધ્યાને લઈ ગુજરાત સરકારે ઝડપી કાર્યવાહી કરી, વાવાઝોડાના એક જ અઠવાડિયામાં વાંસદાના સીણધઈ ગામના અસરગ્રસ્તોને કુલ 30.86 લાખ રૂપિયાની માતબર સહાયની રકમ સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ ઝડપી અને સીધી સહાય બદલ અસરગ્રસ્તોએ સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. ​આ ઉપરાંત, કૃષિ અને પશુધનને થયેલા નુકસાનનો સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, જેની સહાય પણ ટૂંક સમયમાં ચૂકવાશે.

​આપત્તિમાં રાજકારણ?

​બીજી તરફ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ મુદ્દે કરાયેલા આંદોલનને ભાજપના આગેવાનોએ વખોડી કાઢ્યું છે. તેમણે કહ્યું કે કુદરતી આફતના સમયે રાજકીય અવસર શોધવાને બદલે વિપક્ષે આદિવાસી સમાજની પડખે ઊભા રહેવું જોઈએ અને સાંસદ ધવલ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર બંધ કરવું જોઈએ. ​સમગ્ર ઘટનાક્રમમાં, સરકારી તંત્ર અને સાંસદ ધવલ પટેલના ત્વરિત પગલાંથી વાંસદાના અસરગ્રસ્તોને સમયસર મોટી રાહત મળી છે.

Continue Reading

ગુજરાત

નવસારીના વાંસદામાં વાવાઝોડાના અસરગ્રસ્તોને સહાય માટે કોંગ્રેસ મેદાને

Published

on

By

કોંગી ધારાસભ્યની આગેવાનીમાં રેલી કાઢી 5 લાખની સહાયની માંગ સાથે TDO કચેરીએ ધરણાં કર્યા

નવસારી : નવસારી જિલ્લામાં એક અઠવાડિયા પહેલા આવેલા ભયાનક વાવાઝોડાના કારણે વાંસદા તાલુકાના સીણધઈ ગામ સહિત અન્ય ગામોમાં ઘણા ઘરોને નુકશાન થયું હતું. પરંતુ અઠવાડિયું વિતવા છતાં સરકાર અસરગ્રસ્તોને હજી સુધી સહાય આપવામાં આવી નથી. જેને કારણે કોંગ્રેસે સરકાર સામે રોષ સાથે આજે વાંસદાના વાવાઝોડાથી અસરગ્રસ્તોમાં ઘર ગુમાવનારાઓને 5 લાખની સહાયની માંગ સાથે રેલી કાઢી તાલુકા સેવા સદન બહાર ધરણા પ્રદર્શન કર્યુ હતુ.

કોંગ્રેસે સહાય આપવાના સરકારી નિયમો પર ઉઠાવ્યા સવાલ

નવસારીમાં તોફાની વાવાઝોડામાં વાંસદા તાલુકાના સીણધઈ ગામના ત્રણ ફળિયાઓ અને અન્ય અસરગ્રસ્ત ગામોના અસરગ્રસ્તોની વિકટ સ્થિતિ બની છે. પ્રારંભિક તબક્કે લોકોને સેવાભાવી સંસ્થાઓએ સહાય કીટ પહોંચાડી, પરંતુ હજુ સુધી સરકારે સહાય આપી નથી. જેમાં પણ સરકારને સ્થાનિક તંત્રએ સર્વે કરી ફક્ત 30 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર હોવાનો રિપોર્ટ કર્યો હતો. જેમાં સરકારી નિયમો સામે જ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ નિયમોમાં ‘નવથી ઓછા પતરાં હોય તો સહાય નહીં’ અને ‘સરકારી આવાસને સહાય નહીં મળે’ જેવા નિયંત્રણો છે, જે ગરીબ આદિવાસી અસરગ્રસ્તોને સહાયથી વંચિત રાખશે. જેથી વાંસદા કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ દરેક નુકસાનગ્રસ્ત ઘરને 5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે. જેમાં પણ તાલુકા વિકાસ અધિકારી કચેરીએ નહીં મળતા કોંગ્રેસીઓએ કચેરીના પ્રાંગણમાં ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો.

ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી અને ધરણાં

સરકારના આ નિયમોનો વિરોધ કરવા માટે આજે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને લોકોએ વાંસદા સર્કિટ હાઉસથી રેલી કાઢી તાલુકા સેવાસદન ખાતે પહોંચ્યા હતા. જોકે, તાલુકા સેવાસદન ખાતે તાલુકા વિકાસ અધિકારી (TDO) હાજર ન મળતા, ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં તમામ આગેવાનો અને અસરગ્રસ્તો ધરણાં પર બેસી ગયા હતા. જ્યાં કોંગ્રેસ દ્વારા સરકાર દરેક નુકસાનગ્રસ્ત ઘરને 5 લાખની સહાય ચૂકવે તેવી દૃઢ માંગણી કરવામાં આવી રહી છે.

સહાય જમા થવાના દાવા સામે કોંગી ધારાસભ્યના સવાલો

બીજી તરફ, વલસાડના સાંસદ ધવલ પટેલે જાહેરાત કરી છે કે સરકાર દ્વારા સહાયની રકમ આજે જ લોકોના ખાતામાં પહોંચી જશે. સાંસદના આ દાવા સામે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી દરેક અસરગ્રસ્તને પૂરતી અને યોગ્ય સહાય નહીં મળે, ત્યાં સુધી તેઓ આ મામલે લડત ચાલુ રાખશે.

Continue Reading
Advertisement

Trending