Connect with us

ચુંટણી

પેજ કમિટીઓ દ્વારા સ્થાનિક સ્વરાજની ચુંટણી જીતવાની પાટીલ નીતિ

Published

on

નવસારીમાં ૩૪,૯૨૦ પેજ કમિટીઓ બનાવી, પોણા બે લાખ કાર્યકરો જોડ્યા

નવસારી : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી જીતવા માટે ભાજપે પાટીલ નીતિ અમલમાં મુકી છે, જેમાં સમગ્ર રાજ્યમાં પેજ કમિટીઓ બનાવી, લાખો મતદારોને ભાજપ સાથે જોડવાનો પ્રયાસ હાથ ધરાયો છે. નવસારી જિલ્લાના ભાજપીઓએ પ્રથમ પેજ કમિટીઓ પૂર્ણ કરવા તરફ આગળ વધતા આજે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે ૫૦ પેજ પ્રમુખોને આઇ-કાર્ડ આપવામાં આવ્યા હતા. જયારે આવનારા સમયમાં જિલ્લામાં ૩૪,૯૨૦ પેજ પ્રમુખોને આઇ-કાર્ડ આપીને ભાજપ મતદારો સુધી પહોંચશે.

સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ જીતવા પેજ કમિટીઓની કરાઇ રચના

નવસારીના સાંસદ સી. આર. પાટીલને ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાયા બાદ પાટીલે વિધાનસભાની ૧૮૨ બેઠકો સર કરવાની તૈયારી આરંભી છે, જેની પરિક્ષા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં થશે. જેથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સર કરવા માટે માઇક્રો પ્લાનીંગ સાથે ભાજપ મેદાનમાં ઉતરી છે. ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે સમગ્ર રાજ્યમાં પેજ કમિટીઓ બનાવી ૮૦ લાખ મતદારોને ભાજપના સમર્થક બનાવવાની કવાયદ છે. જેમાં ચુંટણી પૂર્વે જ પેજ કમિટીઓ બનાવી, તેના પ્રમુખોને ભાજપ આઇ-કાર્ડ પણ આપશે, નવસારી જિલ્લાના ૧૧૬૪ બુથો પર પેજ કમિટીઓ બનાવાઇ છે અને જેમાં નવસારીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ પેજ કમિટીનું કામ પૂર્ણ કરતા, આજે નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હાથે ૫૦ પેજ પ્રમુખોને આઇ-કાર્ડ આપવામાં આવ્યા હતા.

નવસારીએ પ્રથમ પેજ કમિટીઓ પૂર્ણ કરી

નવસારીના બી. આર. ફાર્મ ખાતે આયોજિત કાર્યક્રમમાં પાટીલે કાર્યકર્તાઓએ સૌથી વહેલી પેજ કમિટીની કામીગીરી પૂર્ણ કરતા આનંદ સાથે અભિનંદન પાઠવ્યા હતા. પાટીલે જણાવ્યુ હતુ કે, નવસારીની પેજ કમિટીનું મોડલ સમગ્ર દેશમાં અપનાવવામાં આવશે. નવસારી જિલ્લામાં અંદાજે ૧૨૦૦ બુથો છે જેમાંથી ૧૦૦૦ બુથો પર પેજ કમિટીનું કાર્ય પૂર્ણ થયું છે, જયારે આગામી બે-ત્રણ દિવસોમાં બાકીનું કામ પણ પુરૂ થશે. પેજ કમિટી દ્વારા રાજ્યમાં ૮૦ લાખ મતદારોને જોડવાનો ટાર્ગેટ છે.

૧૧૬૪ બુથો પર ૩૪,૯૨૦ પેજ કમિટી

નવસારી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાની ૪ વિધાન સભા બેઠકોના ૧૧૬૪ બુથો પર પેજ કમિટીઓ બનાવી છે. જેમાં ૧ બુથ પર ૩૦ પેજ કમિટી, પ્રમાણે સમગ્ર જિલ્લામાં ૩૪,૯૨૦ કમિટીઓ બનાવવામાં આવી છે, જેના દ્વારા જિલ્લાના ૧,૭૪,૬૦૦ મતદાતાઓને ભાજપ સાથે સાંકળવામાં આવ્યા છે. તમામ પેજ કમિટીઓનાં ડેટા પણ ભાજાપે બનાવ્યા છે અને જેમાં ૪૦ હજારની યાદી બની છે અને ૨૫ હાજર પેજ પ્રમુખોના કાર્ડ પ્રિન્ટ થઇ ગયા છે, ત્યારે બાકીના કાર્ડ પણ થોડા દિવસોમાં પૂર્ણ થતા કાર્યકર્તાઓને આપવામાં આવશે.

ચુંટણી

વાંસદા કોંગ્રેસને ફરી ઝટકો, વાસકુઈ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા

Published

on

By

ધારાસભ્ય નરેશ પટેલે 17 કોંગ્રેસી કાર્યકરોને ભગવો પહેરાવી આવકાર્યા

નવસારી : નવસારીના વાંસદા તાલુકા પંચાયતની કંડોલપાડા બેઠકની પેટા ચુંટણીમાં રાજકારણમાં ઠંડીમાં પણ ગરમાટો જોવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસને ભાજપે ફરી ઝટકો આપ્યો છે, આજે વાસકુઈ ગામે આયોજિત ચુંટણી સભામાં 17 કોંગ્રેસી કાર્યકરોએ ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ભગવો ધારણ કરી, કોંગ્રેસનો હાથ છોડ્યો હતો.

છેલ્લા ત્રણ દિવસમાં 40 થી વધુ કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીને લઈ રાજકારણમાં ગરમાટો જોવા મળ્યો છે. ખાસ કરીને વાંસદા તાલુકા પંચાયતની કંડોલપાડા બેઠકની પેટા ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિધાનસભા જેવી ટક્કર જોવા મળી છે, જેમાં કાર્યકરોએ પક્ષ પલટા પણ કર્યા છે. કંડોલપાડા બેઠક અંતર્ગત આવતા ગામડાઓમાં ભાજપ અને કોંગ્રેસ બંને ચુંટણી સભાઓ કરી રહ્યા છે. જેમાં ભાજપની સભામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ કોંગ્રેસનો હાથ છોડી ભગવા રંગે રંગાઈ રહ્યા છે. બે દિવસ અગાઉ લીંબારપાડાન 30 કોંગ્રેસી કાર્યકરોએ વલસાડના સાંસદ ધવલ પટેલને હાથે ભગવો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે આજે વાસકુઈ ગામમાં ગણદેવી ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી ચુંટણી સભામાં 17 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય નરેશ પટેલે કોંગી કાર્યકરોને ભગવો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

 

Continue Reading

ગુજરાત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી જાહેર, 16 ફેબ્રુઆરીએ થશે મતદાન

Published

on

1 મહાનગર પાલિકા, 66 પાલિકા અને ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી

નવસારી : ગુજરાત રાજ્ય ચુંટણી આયોગ દ્વારા લાંબા સમયથી અટકેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો કાર્યક્રમ આજે જાહેર કર્યો છે. જેમાં રાજ્યની 1 મહાનગર પાલિકા, 66 નગર પાલિકા અને 3 તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી તેમજ અન્ય મહાનગર પાલિકાઓની 3, નગર પાલિકાઓની 21, જિલ્લા પંચાયતની 9 અને તાલુકા પંચાયતની 91 ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચુંટણી આગામી 16 ફેબ્રુઆરીનાં રોજ યોજાશે, જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે.

27 જાન્યુઆરીએ જાહેરનામુ, 16 ફેબ્રુઆરીએ મતદાન, 18 ફેબ્રુઆરીએ પરિણામ

ગુજરાત રાજ્ય ચુંટણી આયોગ દ્વારા રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચુંટણી આજે જાહેર કરી છે. ચુંટણી જાહેર થતા જ જેતે વિસ્તારોમાં આજથી આદર્શ આચાર સંહિતા લાગુ થઇ છે. જેની સાથે જ 27 જાન્યુઆરી, સોમવારે ચુંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરી શકશે. 1 ફેબ્રુઆરી, શનિવાર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છે અને 3 ફેબ્રુઆરી, સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 4 ફેબ્રુઆરી, મંગળવારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ત્યારબાદ 16 ફેબ્રુઆરી, રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના 11 કલાક સુધીમાં મતદાન યોજાશે. જો કોઈક જગ્યાએ ફરી મતદાન કરાવાની જરૂર જણાય, તો બીજા દિવસે 17 ફેબ્રુઆરી, સોમવારે ફરી મતદાન થશે. જયારે 18 ફેબ્રુઆરી, મંગળવારે મત ગણતરીની સાથે જ પરિણામ સ્પષ્ટ થશે.

70 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સમાન્ય ચુંટણી, 124 બેઠકો ઉપર પેટા ચુંટણી

1 જુનાગઢ મહાનગર પાલિકા સહિત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી યોજાશે, જેમાં રાજ્યના 25 જિલ્લાની 66 નગર પાલિકાઓની પણ સામાન્ય ચુંટણી યોજાશે. જેમાં 1. અમદાવાદ જિલ્લાની બાવળા, સાણંદ અને ધંધુકા, 2. ગાંધીનગર જિલ્લાની માણસા, 3. ખેડા જિલ્લાની મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, ખેડા, 4. આણંદ જિલ્લાની આંકલાવ, બીર્યાવી, ઓડ, 5. મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, 6. સાબરકાંઠા જીલ્લાની ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, 7. પાટણ જિલ્લાની હારીજ, ચાણસ્મા, રાધનપુર, 8. મહેસાણા જિલ્લાની ખેરાલુ, વડનગર, 9. વડોદરા જિલ્લાની કરજણ, 10. છોટા ઉદેપુર જિલ્લાની છોટા ઉદેપુર, 11. દાહોદ જિલ્લાની ઝાલોદ, દેવગઢ બારિયા, 12. પંચમહાલ જિલ્લાની કાલોલ, હાલોલ, 13. નવસારી જિલ્લાની બીલીમોરા, 14. વલસાડ જિલ્લાની વલસાડ, પારડી, ધરમપુર, 15. તાપી જિલ્લાની સોનગઢ, 16. જામનગર જિલ્લાની જામજોધપુર, ધ્રોલ, કાલાવાડ, 17. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા, દ્વારકા, ભાણવડ, 18. જુનાગઢ જિલ્લાની બાંટવા, માણાવદર, માંગરોળ, વિસાવદર, વંથલી, ચોરવાડ, 19. ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર, 20. કચ્છ જિલ્લાની રાપર, ભચાઉ, 21. અમરેલી જિલ્લાની લાઠી, જાફરાબાદ, રાજુલા, ચલાલા, 22. ભાવનગર જિલ્લાની શિહોર, ગારીયાધાર, તળાજા, 23. બોટાદ જિલ્લાની ગઢડા, 24. રાજકોટ જિલ્લાની જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર, ઉપલેટા, 25. મોરબી જિલ્લાની હળવદ, 26. સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ અને 27. પોરબંદર જિલ્લાની કુતીયાણા તેજ રાણાવાવ નગર પાલિકાની સામાન્ય ચુંટણી યોજાશે.

Continue Reading

ચુંટણી

વલસાડ લોકસભા ભાજપ ટાર્ગેટ મતોથી જીતશે – યશવંત દેશમુખ

Published

on

By

ભાજપ અને કોંગ્રેસની પાછલી ચુંટણીની ટકાવારી પણ ભાજપની જીત તરફ કરે છે ઇશારો

વલસાડ : લોકસભા ચુંટણી 2024 ના સાતેય તબકકાનું મતદાન પૂર્ણ થયુ છે અને 4 જૂને મત ગણતરી થશે. પરંતુ એ પૂર્વે જાહેર થયેલા એક્ઝીટ પોલમાં મોટાભાગનાએ ગુજરાતમાં ભાજપ 26 બેઠકો કબ્જે કરશેનું આકલન કર્યુ છે. જેમાં પણ C Voter ના સ્થાપક યશવંત દેશમુખનાં આકલન પ્રમાણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની બેઠકો સૌથી વધુ માર્જીનથી ભાજપનાં ખોળે જઈ રહી હોય એવું લાગી રહ્યુ છે, જેમાં વલસાડ લોકસભા બેઠક પણ ભાજપ ટાર્ગેટ મતોથી જીતશે. જોકે પાછલી ચુંટણીઓની ટકાવારીને જોવામાં આવે, તો પણ કોંગ્રેસ અને ભાજપને મળેલા મતોની ટકાવારી પણ વલસાડ લોકસભામાં ભાજપની જીત તરફ ઇશારો કરે છે.

વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ સાથે રસાકસી ખરી, પણ ભાજપ બાજી મારશે

લોકસભા ચુંટણી 2024 માં વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે આદિવાસીઓના નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલને ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. કારણ ગત વર્ષોમાં અનંત પટેલે વિવિધ આંદોલનો થકી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં લોકચાહના બનાવી હતી. સામે ભાજપે પણ જુના મહારથીઓને બાજુએ મુકી આદિવાસીઓને જાણનારા અને રાષ્ટ્રીય સ્તરે ભાજપના નેતૃત્વ સાથે ઘડાયેલા ધવલ પટેલને પોતાના યોદ્ધા તરીકે ઉતાર્યા હતા. બંને વચ્ચે ભારે રસાકસી રહી અને જેના પરિણામ સ્વરૂપ મતદાનમાં મતદારોએ પણ આકરા તાપમાં 72.71 ટકા મતદાન કરી, રાજકિય પંડિતોને પણ ચોંકાવી દીધા હતા. પરંતુ પાછલા વર્ષોની ચુંટણીઓના પરિણામોને જોતા ભાજપ વલસાડ લોકસભા બેઠક ઉપર મજબૂત લાગી રહી હતી. જેમાં પણ જયારે લોકસભા ચુંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે અને દેશની મોટાભાગની એજન્સીઓએ પોતાના સંશોધન બાદ જાહેર કરેલા એક્ઝીટ પોલમાં ગુજરાતમાં ભાજપ 26 બેઠકો જીતશેનો દાવો કર્યો છે. જેમાં પણ C Voter નું ચુંટણી પરિણામને લઇને થતુ આંકલન વાસ્તવિક મતદાનની નજીક અને ચોક્કસ માનવામાં આવે છે. ત્યારે C Voter ના સ્થાપક યશવંત દેશમુખે Hexilon News સાથે કરેલી વિશેષ વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ભાજપ 26 બેઠકો મેળવશે, જોકે બે ત્રણ બેઠકો ઉપર થોડી દ્વિઘા છે. પરંતુ દક્ષિણ ગુજરાતની બેઠકોમાં ભાજપ સૌથી વધુ મતોની લીડ મેળવશે. જેમાં રસાકસી ભરેલી વલસાડ બેઠક ઉપર ભાજપ પોતાના 5 લાખના ટાર્ગેટ નજીક રહેશે એવી સંભાવના દેખાઈ રહી છે.

1998 થી 2019 સુધીમાં ભાજપનો વોટ શેર 14 ટકા વધ્યો, એક આકલન મુજબ ધવલ પટેલ 3 લાખથી વધુની લીડથી જીતશે

વલસાડ લોકસભાની એક ખાસિયત રહી છે કે, અહીંથી જે પણ પક્ષનો ઉમેદવાર જીતે, કેન્દ્રમાં એજ પક્ષની સરકાર બને છે. ત્યારે પાછલા વર્ષોની ચુંટણીના આંકડાઓ ઉપર નજર કરીએ તો વર્ષ 1998 માં થયેલી લોકસભા ચુંટણીમાં ભાજપના મણી ચૌધરીએ 2,90,312 મતો અને તેમની સામે કોંગ્રેસના ઉત્તમ પટેલે 2,73,036 મેળવ્યા હતા. જેમાં ભાજપના મણી ચૌધરી 17,276 મતોની લીડથી જીત્યા હતા. ત્યારબાદ 1999 માં ફરી ચુંટણી થઇ અને ત્યારે પણ ભાજપના મણી ચૌધરીને 3,00,195 મતો અને સામે કોંગ્રેસના ઉત્તમ પટેલ 2,73,409 મતો મળ્યા હતા. જેમાં કોંગ્રેસના ઉત્તમ પટેલને 1998 માં મળેલા મતોમાં ફક્ત 373 મતો વધુ મળ્યા હતા અને ભાજપના મણી ચૌધરી 26,788 મતની લીડથી જીત્યા હતા. જોકે 2004 માં વલસાડની હવા બદલાઇ, જેમાં કોંગ્રેસના કિશન પટેલ સામે મણી ચૌધરી 44,486 મતોની લીડથી હાર્યા હતા. પરંતુ પાંચ વર્ષો બાદ મતદારોનો મિજાજ થોડો બદલાયો, જેમાં 2009 માં કોંગ્રેસના કિશન પટેલ સામે ભાજપના ડૉ. ડી. સી. પટેલ ફક્ત 7,169 મતોથી જ હાર્યા હતા. જેથી ભાજપ 2009 માં જ ફરી મજબૂત થઇ હતી, ત્યારબાદ વર્ષ 2014 માં ભાજપના ડૉ. કે. સી. પટેલે કોંગ્રેસના કિશન પટેલને 2,08,004 મતોની લીડથી માત આપી હતી. જેમાં વર્ષ 2019 ની લોકસભા ચુંટણીમાં અંદાજે 75 ટકાનો વધારો થયો અને ભાજપના ડૉ. કે. સી. પટેલે કોંગ્રેસના જીતુ ચૌધરીને 3,54,132 મતોની લીડથી હરાવ્યા હતા. જેથી ગત લોકસભા ચુંટણીઓના આંકડાઓ પ્રમાણે 1998 માં ભાજપની મતોની ટકાવારી 47.20 ટકા હતી, જે 21 વર્ષોમાં એટલે 2019 માં 14.05 ટકા વધીને 61.25 ટકા થઇ હતી. જેથી કોંગ્રેસના અનંત પટેલ માટે ભાજપની 61 ટકાથી વધુની લોકચાહના તોડવી લોઢાના ચણા ચાવવા બરાબર છે. બીજી તરફ અનંત પટેલની લોકચાહના સામે ભાજપની સંગઠનાત્મક રણનીતિ અને નરેન્દ્ર મોદી પ્રત્યેની લોકોમાં લાગણી જોતા ભાજપના ધવલ પટેલની 3 લાખથી વધુ મતોથી જીતવાની સંભાવના વધી જાય છે.

Continue Reading
Advertisement

Trending