Connect with us

કૃષિ

ખેત ઉત્પાદોનો GI ટેગ અને સંશોધનનું પેટન્ટ મેળવવાની સમજૂતી આપવા યોજાયો જાગૃતિ પરિસંવાદ

Published

on

નવસારીના અમલસાડી ચીકુ અને વલસાડી હાફૂસનો GI ટેગ ટૂક સમયમાં મળવાની સંભાવના

નવસારી : નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ઘણી ખેત પેદાશો છે, જે એના વિસ્તાર તેમજ લાક્ષણિકતાઓથી ઓળખાય છે. પરંતુ એના માટે જરૂરી એવો GI ટેગ મેળવવામાં નથી આવ્યો. જેને કારણે ખેડૂતોને આર્થિક સાથે અન્ય નુકશાની વેઠવા પડે છે. ત્યારે નવસારી કૃષિ યુનીવર્સીટીના કર્મચારીઓ, સહકારી મંડળીના આગેવાનો તેમજ ખેડૂતો માટે IPR, GI ટેગ અને પેટન્ટ કેવી રીતે મેળવવા અને એના માટે શું ધ્યાનમાં રાખવું સહિતની માહિતી સાથે વિસ્તૃત પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.

નવસારી કૃષિ યુનીવર્સીટી પાસે ફક્ત 2 જ પેટન્ટ, 12 પેટન્ટ માટે આવેદન કરાયા

નવસારી કૃષિ યુનીવર્સીટીના બાગાયત વિભાગ દ્વારા બદલાતા જમાનામાં ખેત ઉત્પાદનોને ઓળખ અપાવવા પ્રયાસો થઇ રહ્યા છે. જેમાં યુનીવર્સીટીના રીસર્ચ વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો, કર્મચારીઓ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો અને ખેડૂતોને ખેત ઉત્પાદનોને વિસ્તાર અનુસાર કેવી રીતે આગવી ઓળખ આપી શકાય એના વિશેને માહિતી આપવા IRP, GI અને પેટન્ટ મેળવવા માટેના વિષય નિષ્ણાત એડવોકેટ સમીક્ષા દભાડેનો એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો. જેમાં સભારંભના પ્રમુખ ડો. ઝીણા પટેલ તેમજ સંશોધન નિયામક ડૉ. વિકાસ નાયકે દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહિત કૃષિ યુનીવર્સીટીના પ્રયાસો પછી પણ GI ટેગ અને પેટન્ટ મેળવવામાં યુનીવર્સીટી પાછળ રહી હોવાનું સ્વિકાર્યું હતું. સાથે જ આટલા વર્ષોમાં યુનીવર્સીટીના વૈજ્ઞાનિકો પોતાની શોધના ફક્ત 2 જ પેટન્ટ કરાવી શક્યા છે. જયારે 12 શોધ માટે પેટન્ટ માટે આવેદન કરવામાં આવ્યા છે. જેમાં યુનીવર્સીટી અને સહકારી મંડળીઓના સહિયારા પ્રયાસોથી અમલસાડી ચીકૂ અને વલસાડી હાફૂસનો GI ટેગ મેળવવાનો પ્રયાસ થયો અને એમાં સફળતા મળતી જણાય છે, આગામી 2 મહિનામાં બંને ખેત પેદાશો માટે GI ટેગ મળી જવાની સંભાવના સેવાઈ રહી છે.

યુનીવર્સીટી ખેડૂતોના સાથે મળી ખેત ઉત્પાદનોને ઓળખ અપવવા કરશે પ્રયાસ !!

નવસારી કેસરને મોટે ઉપાડે ઓળખ આપાવવાના પ્રયાસો ઉપર પાણી ફરી વળ્યા બાદ કૃષિ યુનીવર્સીટી દ્વારા કેસર ગુણવત્તામાં હજી પણ પાછળ રહેતી હોવાનું અનુમાન આંકવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, કૃષિ યુનીવર્સીટી દ્વારા વર્ષ 2002 માં કેરીમાં સોનપરી જાત વિકસાવવામાં આવી હતી, જે તેના સ્વર્ણ રંગ, આકાર અને સ્વાદને કારણે ખાસ્સી પ્રચલિત થઇ અને ખેડૂતોએ સોનપરીની કલમો પણ રોપી ફાલ લેવાનો પણ શરૂ કર્યો છે. પણ નાં તો એનું GI ટેગિંગ થયું કે ના પેટન્ટ મેળવાયું, હવે 10 વર્ષો ઉપર વિતતા એની નોંધણી પણ થઇ શકે એમ નથી. જેથી યુનીવર્સીટી તેમજ ખેડૂતો સહિયારા પ્રયાસથી લોકોમાં જાણિતા ખેત ઉત્પાદનોને ઓળખ મળે એવા પ્રયાસો કરે એ જરૂરી છે.

નવસારી કેસરમાં કોઈ ખાસિયત નથી, પણ અમલસાડી ચીકુનો GI ટેગ જલ્દી મળશે – ઉપકુલપતિ 

ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ અને GI ટેગ બંને ખેડૂતોને સીધી રીતે સ્પર્શતા છે. ખેડૂતોના ઉત્પાદનની નામના હોય, કોઈ ખાસિયત હોય, તો એ પ્રમાણે એમને મુલ્ય પણ મળવું જોઈએ. એકથી દોઢ વર્ષ અગાઉ યુનીવર્સીટી દ્વારા સહકારી આગેવાનોને સાથે રાખીને અમલસાડી ચીકુ અને વલસાડી હાફૂસના GI ટેગ મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જેના માટે સંશોધન અને મંડળીઓના ડેટા દિલ્હી ખાતે રજૂ થઇ પણ ગયા છે. જેથી ટૂક સમયમાં અમલસાડી ચીકુ અને વલસાડી હાફૂસનાં ટેગ મળી જશે. જયારે નવસારી કેસરની કોઈ આગવી ખાસિયત નથી. જેથી જુદી તરી આવે એવી કોઈ ખાસિયત નથી, જેથી ટેગ મેળવવા માટે પ્રયત્ન નથી કર્યો. 

ડૉ. ઝેડ. પી. પટેલ, ઉપકુલપતિ,  નવસારી કૃષિ યુનીવર્સીટી 

કૃષિ

નવસારીના કુકેરી ગામે ધીમે પગલે આવેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો

Published

on

By

દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં થયો કેદ

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ ગ્રામ્ય વિસ્તારમાં પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવતા હોય છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે કૉર્પોરેટ ઓફિસના ઓટલે સુતેલા શ્વાનને ધીમે પગલે આવેલા દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થવા સાથે વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ચીખલી વન વિભાગે દીપડાને પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરી

નવસારી જિલ્લાના પૂર્વ તરફના ગામડાઓ અને તાલુકાઓમાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ રહેણાંક વિસ્તારોમાં રાત્રિના સમયે આવીને પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવી જતા રહે છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે સરકારી શાળાની પાછળ આવેલ કોર્પોરેટ ઓફિસના ઓટલે શ્વાન સૂતો હતો. દરમિયાન રાતે 12 વાગ્યા આસપાસ એક કદ્દાવર દીપડો ધીમે પગલે શ્વાનની નજીક આવ્યો અને તેને ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવીને લઈ ગયો હતો. થોડી જ સેકંડોમાં દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થયા હતા. જે CCTV ફૂટેજ ગામમાં વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો હતો. ઘટનાની જાણ ચીખલી વન વિભાગને કરવામાં આવતા, વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, કુકેરી તેમજ આસપાસના ગામડાઓમાં અગાઉ પણ દિપડા આંટાફેરા મારતા જોવા મળ્યા છે અને પાલતુ પ્રાણીઓના શિકાર પણ થયા છે. જોકે હવે ગ્રામીણોએ દિપડા સાથે રહેવાનું શીખવા પડશે.

Continue Reading

કૃષિ

જલાલપોરના કરાડી ગામે ગેરકાયદે બાંધેલા ઝીંગાના તળાવો તોડાયા

Published

on

By

જલાલપોર મામલતદારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશનો કરાવ્યો અમલ

નવસારી : નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખાંજણ જમીનમાં બનેલા ઝીંગાના તળાવો ઉપર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશાનુસાર જલાલપોર મામલતદારે લાલ આંખ કરી છે. જલાલપોરના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે 4 હેક્ટર જમીનમાં બનેલા 5 ઝીંગા તળાવોને પોલીસ પ્રોટેક્શન સાથે મામલતદારે દૂર કરાવ્યા હતા.

15 JCB મશીનોની મદદથી 5 ઝીંગા તળાવોને તોડી દૂર કરાયા

નવસારી જિલ્લાને 52 કિમી લાંબો દરિયા કિનારો છે. જેની નજીક કાંઠાનાં ગામડાઓની ખાંજણ જમીનમાં મત્સ્યાધ્યોગને પ્રોત્સાહન આપવા ઝીંગાના તળાવો વિકસાવાયા છે. પરંતુ ઘણી જગ્યાએ નિયમોને નેવે મુકીને આડેધડ બનાવી દેવાયેલા ઝીંગાના તળાવો ભરતીનાં પાણી, કે ચોમાસામાં દરિયાને મળતા પાણીને અવરોધે છે અને તેના કારણે કાંઠાના ગામડાઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જલાલપોર તાલુકાના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે CRZ ના નિયમોનું ઉલ્લંઘન કરીને 4 હેક્ટર જમીનમાં બનાવેલા 5 ઝીંગા તળાવો દૂર કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશની જલાલપોર મામલતદારે અમલવારી કરી, ગેરકાયદે બનેલા પાંચેય ઝીંગા તળાવોને દૂર કરાવ્યા હતા. જલાલપોર મામલતદાર મૃણાલદાન ગઢવી આજે પોલીસ પ્રોટેક્શન સાથે 15 JCB મશીનો લઇ કરાડી પહોંચ્યા હતા. જ્યાં તેમણે NGT ના આદેશાનુસાર પૂર્ણા નદી કિનારે ગેરકાયદેસર રીતે નિયમોને નેવે મુકીને બનાવેલા પાંચેય ઝીંગા તળાવોને JCB મશીનની મદદથી તોડીને દૂર કર્યા હતા. આગામી દિવસોમાં પણ જલાલપોર તાલુકાના કાંઠાના ગામોમાં ગેરકાયદેસર રીતે બનેલા ઝીંગા તળાવોને પણ દૂર કરવાની કાર્યવાહી કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.

Continue Reading

કૃષિ

ચીખલીના સાદકપોર ગામેથી વધુ એક દીપડો પાંજરે પુરાયો

Published

on

By

ચીખલી રેંજમાંથી એક મહિનામાં 6 દીપડા પકડાયા

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી રહી છે, જેને કારણે ખેતી અને વાડી વિસ્તારમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ સામાન્ય થઇ રહી છે. જેમાં છેલ્લા થોડા દિવસોથી ચીખલીના સાદકપોર ગામે આંટાફેરા મારતો દીપડો ગત મોડી રાતે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

સાદકપોરમાં પાંજરે પુરાયેલા દીપડાને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરાઈ

નવસારી જિલ્લો દીપડાઓ માટે અભયારણ્ય બની રહ્યું છે. ખાસ કરીને જિલ્લાના આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં દીપડાની વસ્તી થોડા વર્ષોમાં ખાસ્સી વધી છે. જેનું કારણ દીપડાઓ માટે આબોહવા માફક આવવા સાથે જ નદી કોતરો સાથે ખેતી અને વાડી વિસ્તાર, જેમાં જંગલી ભુંડ અને મરઘા ફાર્મ થકી શિકાર મળી રહે છે. જોકે દીપડાઓ નજીકની માનવ વસ્તીમાં આવી શ્વાન અને વાછરાડાનો પણ શિકાર કરી લેતા હોય છે. જેમાં પણ છેલ્લા થોડા મહિનાઓમાં દીપડા દેખાવાની ઘટનાઓ સામાન્ય બનવા સાથે વન વિભાગ દ્વારા પણ ઘણા દીપડાઓને પાંજરે પુર્યા છે. ગત રાતે જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામે બામણીયા ફળિયામાં અલ્પેશ પટેલની વાડીમાં ગોઠવેલા પાંજરામાં શિકારની લાલચમાં એક માદા દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળીને ગ્રામજનો ભેગા થયા હતા અને ગામના સરપંચે ચીખલી વન વિભાગને જાણ કરતા વનકર્મીઓએ દીપડાનો કબ્જો લઇ, તેને ચીખલી વન કચેરીએ લઇ આવ્યા હતા. જ્યાં વેટરનરી ડોક્ટર દ્વારા દીપડાની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં દીપડો માદા દીપડો હોવા સાથે તેની અંદાજીત ઉંમર 3 વર્ષની હોવાનું ખુલ્યુ હતુ. વન વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીની સૂચના અનુસાર જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

Continue Reading
Advertisement

Trending