Connect with us

ગુજરાત

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગ્રીન એનર્જી : અમદાવાદના સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝીટ હબમાં RESCO થકી લાગ્યો સોલાર રૂફ ટોપ પ્લાન્ટ

Published

on

RESCO થકી 2.73 કરોડના ખર્ચે 700 કિલો વોટનો સોલાર રૂફ ટોપ પ્લાન્ટ લગાવાયો

નવસારી : વીજળી બચાવવા મારે હવે કુદરતી ઉર્જાના સ્ત્રોત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેમાં સૌર ઉર્જા થકી વીજળી ઉત્પાદન અને તેનો ઉપયોગ સામાન્ય થતુ જાય છે. ત્યારે ભારત સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ ખાતે તૈયાર થયેલા સાબરમતી મલ્ટી ટ્રાન્ઝીટ હબ બિલ્ડીંગ (રેલ્વે સ્ટેશન) માં વીજળી મેળવવા 2.73 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતમાં પ્રથમવાર રીન્યુએબલ એનર્જી સર્વિસ કંપની (RESCO) દ્વારા સોલાર રૂફ ટોપ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે.

સોલાર રૂફ ટોપ પ્લાન્ટ થકી દર વર્ષે 10 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થવાની આશા.!!

ભારત સરકાર દ્વારા દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ સુધી દોડાવવાની તૈયારી છે. જે પ્રોજેક્ટ અનેક બાધાઓ બાદ બુલેટ ગતિએ દોડી રહ્યો છે. જેમાં રેલ્વે ટ્રેક સાથે સાથે રેલ્વે સ્ટેશનો પણ તૈયાર થઇ રહ્યા છે. અમદાવાદ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ રેલ્વે સ્ટેશન એટલે કે સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝીટ હબ બિલ્ડીંગ પૂર્ણતાને આરે છે. ત્યારે સમગ્ર બિલ્ડીંગની વીજળીની જરૂરીયાતને ધ્યાને રાખવા સાથે જ ગ્રીન એનર્જીને અપનાવી નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન કંપની દ્વારા ગુજરાતમાં પ્રથમવાર રીન્યુએબલ એનર્જી સર્વિસ કંપની (RESCO) થકી 2.73 કરોડ રૂપિયાના ખર્ચે 700 કિલો વોટની ક્ષમતા ધરાવતો સોલાર રૂફ ટોપ પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. RESCO થકી લગાવવામાં આવેલ સોલાર રૂફ ટોપ પ્લાન્ટને કારણે કંપનીને આવનારા 25 વર્ષો પ્લાન્ટની જાળવણી ખર્ચ કરવાની ચિંતા પણ ટળી છે. સમગ્ર પ્રોજેક્ટને મળનારી વીજળીનો દર પણ આગામી 25 વર્ષો સુધી પ્રતિ યુનિટ 3.9 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જે હાલના DISCOM દર પ્રતિ યુનિટ 11 રૂપિયા કરતા ઘણો નીચો છે. સાથે જ સોલાર રૂફ ટોપ થકી દર વર્ષે 10 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થવાની આશા છે.

RESCO મોડલ હેઠળ નેટ મીટરીંગ માટે મંજૂરી મેળવનારી પ્રથમ કંપની

સાબરમતી હબમાં RESCO મોડ હેઠળ સોલાર રૂફ ટોપ પ્લાન્ટ લગાવીને નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને દૂરદર્શિતા વાપરીને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના 25 વર્ષો માટે જરૂરી વીજળી તો મેળવી જ છે. પરંતુ RESCO મોડ હેઠળ નેટ મીટરીંગ માટે મંજૂરી મેળવનારી પ્રથમ કંપની પણ બની છે. સાથે જ કંપનીએ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) માં નોંધણી પણ કરાવી છે.

સાબરમતી હબમાં એક જગ્યાએ જ અનેક ટ્રાન્સપોર્ટ સુવિધાઓનું જોડાણ

અમદાવાદ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલ સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝીટ હબ બિલ્ડીંગમાં એક જગ્યાએ અનેક ટ્રાન્સપોર્ટ સુવિધાઓ મળી રેહશે. સાબરમતી હબમાં બુલેટ ટ્રેનના સ્ટેશન સાથે જ અન્ય ટ્રેન, મેટ્રો, બીઆરટી, રાજ્ય પરિવહનની બસ, ટેક્સી જેવી અનેક ટ્રાન્સપોર્ટ સુવિધાઓનું જોડાણ મળતા મુસાફરોને ઘણી રાહત મળશે. NHSRCL દ્વારા સાબરમતી હબમાં સૌર ઉર્જા થકી વીજળી માટે RESCO મોડના ઉપયોગને પ્રોજેક્ટ અંતર્ગત આવનારા અન્ય રેલ્વે સ્ટેશનો, ઇમારતો, ડેપો અને શેડમાં પણ સૌર ઉર્જાનો ઉપયોગ થશે. જે અન્ય સસ્થાઓને પણ પર્યાવરણને અનુકુળ ટેકનોલોજીનો ઉપયોગ કરવા પ્રેરિત કરશે.

શું છે RESCO મોડલ..?   

વર્તમાન સમયમાં વીજળીથી ચાલતા ઉપકરણો વધવા સાથે જ કંપની, દુકાનો અને ઘરોમાં વીજળીનો ઉપયોગ વધ્યો છે. ત્યારે વીજળી માટે પુન:પ્રાપ્ય ઉર્જા ઉપર ધ્યાન વધ્યું છે, જેમાં પણ સૌર ઉર્જા થકી વીજ ઉત્પાદન કરવા ઓલર રૂફ ટોપ પ્લાન્ટની માંગ પણ વધી છે. સોલાર પ્લાન્ટ થકી ઉત્પન્ન થતી વીજળી, ઘર, કંપની કે દુકાનની વીજળી ફ્રી કરી આપે છે, સાથે જ બચતી વીજળીના વેચાણ થકી રૂપિયા પણ રળી આપે છે. પરંતુ એનો ખર્ચ વધુ હોવાથી ઘણા લોકો સોલાર પ્લાન્ટ લગાવી નથી શકતા. ત્યારે રીન્યુએબલ એનર્જી સર્વિસ કંપની (RESCO) દ્વારા તમારા ઘર, કંપની કે દુકાનની ઈમારત પર કંપનીના ખર્ચે સોલાર પ્લાન્ટ લગાવી આપે છે, સાથે જ એની જાળવણી તેમજ જરૂર પડ્યે સમારકામ પણ કંપની જ કરશે. હવે સોલાર પેનલ થકી ઉત્પન્ન થતી વીજળી કંપની તમને રાહત દરે આપશે અને બાકીની વીજળી ગ્રીડને વેચશે. જેથી વગર રોકાણે અને ઓછા ખર્ચે વીજળી મળતી થશે, જે વીજ કંપની દ્વારા મળતી વીજળીના ખર્ચ કરતા ઓછો હશે.  

ગુજરાત

‘ખજૂરભાઈ’ નીતિન જાની 2027માં ચૂંટણી લડશે!

Published

on

By

રાજુલાના ખાનગી કાર્યક્રમમાં યુવાનોને રાજકારણમાં ઉતરવાની કરી હાંકલ

બારડોલી : સોશ્યલ મીડિયામાં ખજૂર – જીગલીના કૉમેડી વીડિયો થકી લોકપ્રિય અને ગરીબોના ઘરો બનાવનાર સામાજિક કાર્યકર નીતિન જાની ઉર્ફે ‘ખજૂરભાઈ’ એ સક્રિય રાજકારણમાં ઝંપલાવવાનો વિચાર કરી, આગામી વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.

કયા પક્ષ સાથે જોડાશે એ નક્કી નહીં, પણ ચૂંટણી લડવા મક્કમ!

સોશ્યલ મીડિયામાં કૉમેડી વીડિયો થકી નામના મેળવનાર મૂળ બારડોલીના નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ એ રાજુલાના ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાજકારણથી દૂર રહેવાને બદલે સક્રિય રીતે જોડાઈ, તેને નવી દિશા આપવા માટે હાંકલ કરી છે. જ્યાં યુવાનોના સવાલના જવાબમાં પોતે પણ 2027 ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં ‘ખજૂરભાઈ’ ના રાજકારણમાં પ્રવેશની વાત ચર્ચાએ ચઢી છે. જોકે, નીતિન જાનીએ હાલમાં કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ 2027 ની ચૂંટણી લડવા માટે તેઓ મક્કમ છે.

પાવર વિના 374 ઘર બનાવ્યા, સત્તા મળશે તો સંખ્યા વધશે

નીતિન જાનીએ અત્યાર સુધીમાં પોતાના કૉમેડી વીડિયો અને સામાજિક કાર્ય થકી કોઈ પણ સરકારી પાવર વિના 374 જેટલા જરૂરિયાતમંદ પરિવારો માટે પાકાં ઘરો બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે, જો તેઓ ચૂંટણી લડીને સત્તામાં આવશે તો લોકો માટે ધાબાવાળા પાકાં ઘરો બનાવવાની સંખ્યામાં વધારો કરી શકશે. એટલું જ નહીં, તેમની ઈચ્છા ગુજરાતની ગૌશાળાઓને પણ ધાબાવાળી બનાવવાની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આઈડિયોલોજીથી પ્રભાવિત છે ખજૂરભાઈ

હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈનો જન્મ સુરતમાં થયો અને હાલ તેઓ સરદાર પટેલની ભૂમિ બારડોલીમાં રહે છે. જેથી જન્મથી જ સરદાર પટેલ તેમના હીરો રહ્યા છે. જોકે વર્તમાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપધ્ધતિથી તેઓ પ્રભાવિત છે અને વર્ષોથી તેમને પોતાના આઇડલ માને છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ તેમના સમાજસેવાના કાર્યની સરાહના પણ કરી હતી. ત્યારે આગામી સમયમાં તેઓ કયા પક્ષ સાથે જોડાઈને રાજકીય સફર શરૂ કરે છે, એ જોવું રહ્યું.

Continue Reading

ગુજરાત

વાંસદા વાવાઝોડુ : સાંસદ ધવલ પટેલની રજૂઆત ફળી!

Published

on

By

સીણધઈના અસરગ્રસ્તોને એક અઠવાડિયામાં 30.86 લાખ રૂપિયાની સહાય સીધી બેન્ક ખાતામાં ચૂકવાઈ

નવસારી : ​નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ગત 27 સપ્ટેમ્બરની રાત્રે ત્રાટકેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. ખાસ કરીને સીણધઈ ગામના ત્રણ ફળિયામાં 160 થી વધુ મકાનોને મોટું નુકસાન થતાં અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે સાંસદ ધવલ પટેલની રજૂઆતોને ધ્યાને લઈ ગુજરાત સરકારે અઠવાડિયામાં જ કુલ 30.86 લાખ રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં જમા થતા લોકોએ સરકારનો આભાર માન્યો હતો.

​તાત્કાલિક પગલાં અને સહાયનો ધોધ

વાંસદા તાલુકાના સીણધઈ ગામમ કુદરતી આફતની જાણ થતાં જ ભાજપના આગેવાનો, કાર્યકરો, અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો તુરંત સીણધઈ ગામે પહોંચી હતી. જેમના દ્વારા રસ્તા પર પડેલા ઝાડવાઓ અને વીજ થાંભલાઓને તાત્કાલિક ધોરણે ખુલ્લા કરવા અને અસરગ્રસ્તોને પ્રાથમિક રાહત આપવાના પ્રયાસો શરૂ કરાયા હતા. વલસાડના સાંસદ ધવલ પટેલે પોતે સ્થળ પર પહોંચી 700 પતરાં અને જીવન જરૂરિયાતની કીટ અસરગ્રસ્તોને પહોંચાડી હતી. આ સાથે તેમણે નુકસાનીનું તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તે માટે ગુજરાત સરકાર સમક્ષ મકાનો, કૃષિ અને પશુપાલન મુદ્દે રજૂઆત કરી હતી. જેને ગુજરાત સરકારે ​ધ્યાને લઈ ગુજરાત સરકારે ઝડપી કાર્યવાહી કરી, વાવાઝોડાના એક જ અઠવાડિયામાં વાંસદાના સીણધઈ ગામના અસરગ્રસ્તોને કુલ 30.86 લાખ રૂપિયાની માતબર સહાયની રકમ સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ ઝડપી અને સીધી સહાય બદલ અસરગ્રસ્તોએ સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. ​આ ઉપરાંત, કૃષિ અને પશુધનને થયેલા નુકસાનનો સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, જેની સહાય પણ ટૂંક સમયમાં ચૂકવાશે.

​આપત્તિમાં રાજકારણ?

​બીજી તરફ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ મુદ્દે કરાયેલા આંદોલનને ભાજપના આગેવાનોએ વખોડી કાઢ્યું છે. તેમણે કહ્યું કે કુદરતી આફતના સમયે રાજકીય અવસર શોધવાને બદલે વિપક્ષે આદિવાસી સમાજની પડખે ઊભા રહેવું જોઈએ અને સાંસદ ધવલ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર બંધ કરવું જોઈએ. ​સમગ્ર ઘટનાક્રમમાં, સરકારી તંત્ર અને સાંસદ ધવલ પટેલના ત્વરિત પગલાંથી વાંસદાના અસરગ્રસ્તોને સમયસર મોટી રાહત મળી છે.

Continue Reading

ગુજરાત

નવસારીના વાંસદામાં વાવાઝોડાના અસરગ્રસ્તોને સહાય માટે કોંગ્રેસ મેદાને

Published

on

By

કોંગી ધારાસભ્યની આગેવાનીમાં રેલી કાઢી 5 લાખની સહાયની માંગ સાથે TDO કચેરીએ ધરણાં કર્યા

નવસારી : નવસારી જિલ્લામાં એક અઠવાડિયા પહેલા આવેલા ભયાનક વાવાઝોડાના કારણે વાંસદા તાલુકાના સીણધઈ ગામ સહિત અન્ય ગામોમાં ઘણા ઘરોને નુકશાન થયું હતું. પરંતુ અઠવાડિયું વિતવા છતાં સરકાર અસરગ્રસ્તોને હજી સુધી સહાય આપવામાં આવી નથી. જેને કારણે કોંગ્રેસે સરકાર સામે રોષ સાથે આજે વાંસદાના વાવાઝોડાથી અસરગ્રસ્તોમાં ઘર ગુમાવનારાઓને 5 લાખની સહાયની માંગ સાથે રેલી કાઢી તાલુકા સેવા સદન બહાર ધરણા પ્રદર્શન કર્યુ હતુ.

કોંગ્રેસે સહાય આપવાના સરકારી નિયમો પર ઉઠાવ્યા સવાલ

નવસારીમાં તોફાની વાવાઝોડામાં વાંસદા તાલુકાના સીણધઈ ગામના ત્રણ ફળિયાઓ અને અન્ય અસરગ્રસ્ત ગામોના અસરગ્રસ્તોની વિકટ સ્થિતિ બની છે. પ્રારંભિક તબક્કે લોકોને સેવાભાવી સંસ્થાઓએ સહાય કીટ પહોંચાડી, પરંતુ હજુ સુધી સરકારે સહાય આપી નથી. જેમાં પણ સરકારને સ્થાનિક તંત્રએ સર્વે કરી ફક્ત 30 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર હોવાનો રિપોર્ટ કર્યો હતો. જેમાં સરકારી નિયમો સામે જ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ નિયમોમાં ‘નવથી ઓછા પતરાં હોય તો સહાય નહીં’ અને ‘સરકારી આવાસને સહાય નહીં મળે’ જેવા નિયંત્રણો છે, જે ગરીબ આદિવાસી અસરગ્રસ્તોને સહાયથી વંચિત રાખશે. જેથી વાંસદા કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ દરેક નુકસાનગ્રસ્ત ઘરને 5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે. જેમાં પણ તાલુકા વિકાસ અધિકારી કચેરીએ નહીં મળતા કોંગ્રેસીઓએ કચેરીના પ્રાંગણમાં ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો.

ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી અને ધરણાં

સરકારના આ નિયમોનો વિરોધ કરવા માટે આજે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને લોકોએ વાંસદા સર્કિટ હાઉસથી રેલી કાઢી તાલુકા સેવાસદન ખાતે પહોંચ્યા હતા. જોકે, તાલુકા સેવાસદન ખાતે તાલુકા વિકાસ અધિકારી (TDO) હાજર ન મળતા, ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં તમામ આગેવાનો અને અસરગ્રસ્તો ધરણાં પર બેસી ગયા હતા. જ્યાં કોંગ્રેસ દ્વારા સરકાર દરેક નુકસાનગ્રસ્ત ઘરને 5 લાખની સહાય ચૂકવે તેવી દૃઢ માંગણી કરવામાં આવી રહી છે.

સહાય જમા થવાના દાવા સામે કોંગી ધારાસભ્યના સવાલો

બીજી તરફ, વલસાડના સાંસદ ધવલ પટેલે જાહેરાત કરી છે કે સરકાર દ્વારા સહાયની રકમ આજે જ લોકોના ખાતામાં પહોંચી જશે. સાંસદના આ દાવા સામે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી દરેક અસરગ્રસ્તને પૂરતી અને યોગ્ય સહાય નહીં મળે, ત્યાં સુધી તેઓ આ મામલે લડત ચાલુ રાખશે.

Continue Reading
Advertisement

Trending