Connect with us

દક્ષિણ-ગુજરાત

નવસારી કલેક્ટરાલય ખાતે આવેદનપત્ર આપવા આવેલ જૈન સમાજ મૌન ધરણા પર બેઠો

Published

on

અધિક કલેકટરે નીચે આવીને જૈન આચાર્યના હસ્તે આવેદન ન સ્વિકારતા જૈનોમાં આક્રોશ

નવસારી : પાવાગઢમાં જૈન મૂર્તિઓને નુકસાન પહોંચાડી અને તોડી નાંખવાના વિરોધમાં નવસારી સમસ્ત જૈન સંઘ આચાર્ય રાજહંસસુરીશ્વરજીની આગેવાનીમાં જિલ્લા કલેકટરાલય ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યો, જ્યાં અધિક કલેકટર નીચે આવીને આવેદન સ્વિકારેનો આગ્રહ કર્યો, જેની સામે અધિક કલેકટરે નીચે આવવાની ના પાડી, આવેદનપત્ર સ્વિકાર્યા વિના જ કચેરીએથી જતા રહેતા જૈનોમાં આક્રોશ ફેલાયો છે. સાથે જ જ્યાં સુધી આવેદનપત્ર ન લેવાય, ત્યાં સુધી મૌન ધરણા પર બેસી જતા વિવાદ સર્જાયો છે.

હું નીચે આશિર્વાદ લેવા આવું, પણ આવેદન અહીં કેબીનમાં જ આપો – અધિક કલેકટર

પાવાગઢમાં જૈન સમાજની પૌરાણિક પ્રતિમાઓને કોઈકે તોડી નાંખતા સમગ્ર ગુજરાતના જૈન સમાજની લાગણી દુભાઈ છે. જેમાં નવસારીના સમસ્ત જૈન સંઘ દ્વારા ઘટનાને વખોડી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે આજે સાંજે જિલ્લા કલેકટર કચેરી પહોંચી અધિક કલેકટરને આવેદનપત્ર આપવાનું આયોજન કર્યુ હતું. જેમાં આજે રજા હોવા છતાં અધિક કલેકટર કેતન જોશી ખાસ આવેદનપત્ર લેવા કચેરીએ આવ્યા હતા. દરમિયાન કલેકટર કચેરીએ જૈન સમાજ આચાર્ય રાજહંસસૂરીશ્વરજી મહારાજ તેમજ અન્ય સાધુ સાધ્વીજીઓ સાથે કલેકટર કચેરીએ પહોંચ્યો હતો. શરૂઆતમાં આચાર્ય રાજહંસસુરીશ્વરજી મહારાજે જૈનોને ધર્મના રક્ષણ કાજે ગંભીર થવા અને જૈન સાધુ સાધ્વીઓ ઉપર થતા હુમલાઓ સંદર્ભે એકસંપ થવા આહ્વાન કર્યું હતું. ત્યારબાદ જિલ્લા અધિક કલેકટર કેતન જોશીને આવેદનપત્ર આપવા જવાની તૈયારી થઈ, જૈનાચાર્ય પણ આગેવાનો સાથે જવાના હોવાથી અધિક કલેકટરને વિનંતી કરી ઓફિસના AC અને પંખા બંધ કરાવવામાં આવ્યા હતા. પરંતુ જૈન યુવાનોએ આદિક કલેકટર નીચે આવે એવી જીદ પકડતા આગેવાનો પણ તેમની વાતોમાં આવી ગયા હતા. સાથે જ ત્રણ ત્રણ વાર અધિક કલેકટરને નીચે આવી આવેદન સ્વિકારવા આગ્રહ કર્યો હતો. પરંતુ આદિક કલેક્ટરે ગુરુદેવના આશિર્વાદ લેવા નીચે આવું, પણ આવેદન અહીં કેબિનમાં જ આપોની વાત કરી હતી. પરંતુ જૈનોએ અધિક કલેકટર નીચે આવેની જીદ પકડતા અધિક કલેકટર કેતન જોશી પાછલા દરવાજેથી જતા રહ્યા હતા.

જ્યાં સુધી આવેદન લેવા નહીં આવે, ત્યાં સુધી કલેકટર કચેરીમાં મૌન ધરણા – જૈનાચાર્ય

અધિક કલેકટર નીચે આવેદન સ્વીકારવા નહીં આવી, કચેરી છોડીને જતા રહેતા જૈનોમાં આક્રોશ ફેલાયો હતો. જેમાં જૈનાચાર્ય રાજહંસ સૂરીશ્વરજી મહારાજે પણ કલેટકર જ્યાં સુધી આવેદન લેવા નહીં, આવે ત્યાં સુધી કચેરીમાં જ જેનો મૌન ધરણા ઉપર બેસવાનો આદેશ કરતા, જૈનોએ કલેકટર કચેરીમાં જ જાહેરનામાનો ભંગ કરીને કલેકટર કચેરીમાં જ મૌન ધરણા શરૂ કર્યા હતા. બીજી તરફ જૈન આગેવાનોએ જાહેરનામા સાથે જ આચાર સંહિંતાનો હવાલો આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જેની સાથે જ રાજકીય અને સામાજિક આગેવાનોની મદદથી કલેકટરને આવેદન લેવા પરત આવવા મજબૂર કર્યા હતા. લગભગ એક કલાક બાદ અધિક કલેકટર કેતન જોષીએ પરત કલેકટર કચેરીએ પહોંચી જૈન આગેવાનોના હસ્તે આવેદનપત્ર સ્વિકાર્યું હતું. સાથે જ જતી વખતે જૈનાચાર્ય રાજહંસ સૂરીશ્વરજી મહારાજને વંદન કરી, આશિર્વાદ મેળવ્યા હતા. જ્યારે જૈનાચાર્યએ અધિક કલેકટરને તેમની ત્રણ માંગો સાથેના આવેદનપત્ર ઉપર ગંભીરતાથી વિચારવાની રજૂઆતો કરી હતી. જોકે અધિક કલેકટર જોશીને એમાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા અને મૂર્તિઓ તોડનારને પકડી પાડી સખત નસિયત કરવાની માંગ પણ કરી હતી.

આવેદન પત્યુ, તો FIR દાખલ થાય ત્યાં સુધી મૌન ધરણા કરી આવેદન ચાલુ રાખવાનો આદેશ

પાવાગઢમાં ઘટેલી ઘટનાને વખોડી જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જ્યાં કલેકટરને નીચે બોલાવવાની જૈન યુવાનોની જીદ સામે કલેકટર કચેરી છોડી જતા રહ્યા હતા. જેમાં જ્યાં સુધી આવેદન ન સ્વિકારે ત્યાં સુધી કલેક્ટરાલય ખાતે મૌન ધરણા ઉપર બેસી ગયા હતા. જેમાં અનેક રજૂઆતો બાદ અધિક કલેકટરે ફરી આવી આવેદનપત્ર સ્વિકાર્યું હતું. જોકે આવેદન લેવાય ગયા પછી પણ જૈનાચાર્યએ કલેકટર કચેરી ખાતે જ્યાં સુધી સબંધિત આરોપી સામે FIR ન નોંધાય અને આરોપી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે ત્યાં સુધી મૌન ધરણા પર બેસી આંદોલન ચાલુ રાખવાનો આગ્રહ રાખ્યો હતો. સાથે જ મંગળવારે સવારે 9 વાગ્યે રેલી યોજી, ક્લેક્ટર કચેરી નજીક જ સભા અને ધરણા કરવાની તૈયારી આરંભી હતી. જેમાં સકળ જૈન સંઘ પણ આંદોલનમાં જોડાયો હતો, પરંતુ જૈનોને સમજાવતા જિલ્લા પોલીસ તેમજ આગેવાનોને નવનેજા પાણી ઉતર્યા હતા. જેમાં બે જૈન સાધુઓ અને બેથી ત્રણ તેમના શિષ્યો ઘટના કલેકટર કચેરીમાં આખી રાત ધરણા કરેનો આગ્રહ રાખ્યો હતો. સાથે જ બીજે દિવસે સવારે ચિંતામણી દેરાસર ખાતેથી વિશાળ સંખ્યામાં જૈનોને ભેગા કરી રેલી કાઢી, કલેકટર કચેરી પાસે સભા કરી આંદોલનની રણનીતિ ઘડી હતી.

 

અપરાધ

વાંસદાના ચાપલધરા ગામેથી હાઈબ્રિડ ગાંજા અને ઝોમ્બી ઈ સિગારેટ સાથે બે ઝડપાયા

Published

on

By

ઝોમ્બી ઈ સિગારેટ પકડવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો

નવસારી : નવસારીના ચાપલધરા ગામે હાઈબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમે ગત રોજ છાપો મારી બેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 28.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

SMC પોલીસે વાપીના આતિફને વોન્ટેડ જાહેર કર્યો

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતો મિલન ધનગર હાઈબ્રિડ ગાંજાનું વેચાણ કરે છે. જેને આધારે ગત રોજ SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમે ચાપલધરા ગામના વચલા ફળિયા, અંબા માતાજી મંદિર પાછળ રહેતા મિલન ધનગરના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસને મિલન પાસેથી 8 લાખ રૂપિયાનો 80 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે જ ગાંજાના સક્રિય ઘટકની હાજરીવાળી (THC) 20 લાખ રૂપિયાની 20 ઈ સિગારેટ પણ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મિલન સાથે તેના સાથીદાર તન્મયકુમાર પટેલની ધરપકડ કરી હતી. આરોપી મિલનની પૂછપરછમાં હાઈબ્રિડ ગાંજો તેને વાપીના આતિફે પહોંચાડી હતી. જેથી પોલીસે આતિફને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઝોમ્બી ઈ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી હાઈબ્રિડ ગાંજો, ઈ સિગારેટ અને મોબાઈલ ફોન મળી કુલ 28.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે SMC પોલીસ મથકે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (NDPS) અને ધી પ્રોહીબિશન એક્ટ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, ગાંજાના સક્રિય ઘટક ધરાવતી ઝોમ્બી ઈ સિગારેટ પકડાયાનો આ ગુજરાતનો પ્રથમ ગુનો છે.

Continue Reading

દક્ષિણ-ગુજરાત

નવસારીના આશાપુરી માતાજી મંદિર પાછળ ઉભેલી કારમાં લાગી આગ

Published

on

By

આગમાં કારમાં સવાર મહિલા અને બે બાળકોનો આબાદ બચાવ

નવસારી : નવસારીના આશાપુરી માતાજી મંદિર પાછળના શોપિંગ સેન્ટર નજીક ઉભેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગી, ત્યારે કારમાં એક મહિલા અને બે બાળકો બેઠા હતા, જેઓ સમય સૂચકતા વાપરી કારમાંથી ઉતરી જતા, તેમનો આબાદ બચાવ થયો હતો. અડધો કલાક બાદ ઘટના સ્થળે પહોંચેલી નવસારી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ બળીને ખાક થઈ હતી.

કારમાં લાગેલ આગથી AB kids ના ભુલકાઓ મુશ્કેલીમાં મુકાયા, સંચાલકોએ બાળકોને સુરક્ષિત બહાર ખસેડ્યા

નવસારી શહેરના દુધિયા તળાવથી વિજલપોર જતા માર્ગ ઉપર આશાપુરી માતાજીના મંદિર પાછળ આવેલ શોપિંગ સેન્ટરની એક દુકાન બહાર ઉભેલી કારમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. આગ લાગી ત્યારે કારમાં એક મહિલા અને બે બાળકો બેઠા હતા, જેઓ તાત્કાલિક કારમાંથી ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે કાર માલિકે ફાયર એક્સ્ટીંગ્યુસરથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પણ થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા કાબુમા આવી ન હતી. બીજી તરફ શોપિંગ સેન્ટરમાં ઉપરના માળે AB kids નર્સરી પણ ચાલે છે, કારમાં આગને કારણે ઉઠેલી ઉંચી જ્વાળાઓ અને ધુમાડાને કારણે ઉપર અભ્યાસ કરી રહેલા 100 થી વધુ ભુલકાઓ તેમજ શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે સંચાલકોએ સમય સૂચકતા વાપરી તમામ બાળકોને પાછળના ગ્રાઉન્ડમાં અને સામે આશાપુરી માતાજી મંદિરમાં સુરક્ષિત ખસેડી લેતા, મોટી દુર્ઘટના ટળી હતી. આગ કાબૂમાં લાવવામાં મુશ્કેલી જણાતા તાત્કાલિક નવસારી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડના જવાનો અડધો કલાક બાદ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમણે તરત પાણી અને ફોમનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ ઓલવાઈ તો ગઈ, પણ કાર સંપૂર્ણ બળીને ખાક થતા મોટુ નુકશાન થયુ હતુ.

Continue Reading

ગુજરાત

ED સામેના કોંગ્રેસના વિરોધને ભાજપે વખોડી, સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ

Published

on

By

નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં રાહુલ – સોનિયા ગાંધી સામે ED એ ચાર્જશીટમાં લગાવ્યા આરોપ

નવસારી : નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં ED દ્વારા ચાર્જશીટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ઉપર આરોપ મઢતા, કોંગ્રેસે ષડયંત્રના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે કરેલા વિરોધને ભાજપે વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. નવસારી જિલ્લા ભાજપ યુવા મોર્ચાએ પણ શહેરના જુનાથાણા સર્કલ પાસે કોંગ્રેસના વિરોધને ખોટો ગણાવી, તેની સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહયોગ કરવો જોઈએ – ભાજપ

નેશનલ હેરાલ્ડ કૌભાંડ પ્રકરણમાં ED દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે આરોપ મઢેલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે આગામી 25 એપ્રિલે સુનવણી આપી છે. ED એ સોનિયા અને રાહુલ ગાંધી સામે આરોપ મઢતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ બની છે, કોંગ્રેસે ઉગ્રતાથી સમગ્ર પ્રકરણમાં બદલાની ભાવનાથી કાર્યવાહી થતી હોવાના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેની સામે ભાજપે પણ ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખો સૂર સાથે કોંગ્રેસના વિરોધને વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં નવસારી જિલ્લા યુવા મોર્ચાએ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની આગેવાનીમાં નવસારી શહેરના જુનાથાણા સર્કલ પાસે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી, વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહકાર આપવો જોઈએની વાત કરી કોંગ્રેસના વિરોધને વખોડી કાઢ્યો હતો.

 

Continue Reading
Advertisement

Trending