Connect with us

ચુંટણી

વાંસદા કોંગ્રેસને ફરી ઝટકો, વાસકુઈ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા

Published

on

ધારાસભ્ય નરેશ પટેલે 17 કોંગ્રેસી કાર્યકરોને ભગવો પહેરાવી આવકાર્યા

નવસારી : નવસારીના વાંસદા તાલુકા પંચાયતની કંડોલપાડા બેઠકની પેટા ચુંટણીમાં રાજકારણમાં ઠંડીમાં પણ ગરમાટો જોવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસને ભાજપે ફરી ઝટકો આપ્યો છે, આજે વાસકુઈ ગામે આયોજિત ચુંટણી સભામાં 17 કોંગ્રેસી કાર્યકરોએ ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ભગવો ધારણ કરી, કોંગ્રેસનો હાથ છોડ્યો હતો.

છેલ્લા ત્રણ દિવસમાં 40 થી વધુ કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીને લઈ રાજકારણમાં ગરમાટો જોવા મળ્યો છે. ખાસ કરીને વાંસદા તાલુકા પંચાયતની કંડોલપાડા બેઠકની પેટા ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિધાનસભા જેવી ટક્કર જોવા મળી છે, જેમાં કાર્યકરોએ પક્ષ પલટા પણ કર્યા છે. કંડોલપાડા બેઠક અંતર્ગત આવતા ગામડાઓમાં ભાજપ અને કોંગ્રેસ બંને ચુંટણી સભાઓ કરી રહ્યા છે. જેમાં ભાજપની સભામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ કોંગ્રેસનો હાથ છોડી ભગવા રંગે રંગાઈ રહ્યા છે. બે દિવસ અગાઉ લીંબારપાડાન 30 કોંગ્રેસી કાર્યકરોએ વલસાડના સાંસદ ધવલ પટેલને હાથે ભગવો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે આજે વાસકુઈ ગામમાં ગણદેવી ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી ચુંટણી સભામાં 17 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય નરેશ પટેલે કોંગી કાર્યકરોને ભગવો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

 

ગુજરાત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી જાહેર, 16 ફેબ્રુઆરીએ થશે મતદાન

Published

on

1 મહાનગર પાલિકા, 66 પાલિકા અને ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી

નવસારી : ગુજરાત રાજ્ય ચુંટણી આયોગ દ્વારા લાંબા સમયથી અટકેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો કાર્યક્રમ આજે જાહેર કર્યો છે. જેમાં રાજ્યની 1 મહાનગર પાલિકા, 66 નગર પાલિકા અને 3 તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી તેમજ અન્ય મહાનગર પાલિકાઓની 3, નગર પાલિકાઓની 21, જિલ્લા પંચાયતની 9 અને તાલુકા પંચાયતની 91 ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચુંટણી આગામી 16 ફેબ્રુઆરીનાં રોજ યોજાશે, જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે.

27 જાન્યુઆરીએ જાહેરનામુ, 16 ફેબ્રુઆરીએ મતદાન, 18 ફેબ્રુઆરીએ પરિણામ

ગુજરાત રાજ્ય ચુંટણી આયોગ દ્વારા રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચુંટણી આજે જાહેર કરી છે. ચુંટણી જાહેર થતા જ જેતે વિસ્તારોમાં આજથી આદર્શ આચાર સંહિતા લાગુ થઇ છે. જેની સાથે જ 27 જાન્યુઆરી, સોમવારે ચુંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરી શકશે. 1 ફેબ્રુઆરી, શનિવાર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છે અને 3 ફેબ્રુઆરી, સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 4 ફેબ્રુઆરી, મંગળવારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ત્યારબાદ 16 ફેબ્રુઆરી, રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના 11 કલાક સુધીમાં મતદાન યોજાશે. જો કોઈક જગ્યાએ ફરી મતદાન કરાવાની જરૂર જણાય, તો બીજા દિવસે 17 ફેબ્રુઆરી, સોમવારે ફરી મતદાન થશે. જયારે 18 ફેબ્રુઆરી, મંગળવારે મત ગણતરીની સાથે જ પરિણામ સ્પષ્ટ થશે.

70 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સમાન્ય ચુંટણી, 124 બેઠકો ઉપર પેટા ચુંટણી

1 જુનાગઢ મહાનગર પાલિકા સહિત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી યોજાશે, જેમાં રાજ્યના 25 જિલ્લાની 66 નગર પાલિકાઓની પણ સામાન્ય ચુંટણી યોજાશે. જેમાં 1. અમદાવાદ જિલ્લાની બાવળા, સાણંદ અને ધંધુકા, 2. ગાંધીનગર જિલ્લાની માણસા, 3. ખેડા જિલ્લાની મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, ખેડા, 4. આણંદ જિલ્લાની આંકલાવ, બીર્યાવી, ઓડ, 5. મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, 6. સાબરકાંઠા જીલ્લાની ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, 7. પાટણ જિલ્લાની હારીજ, ચાણસ્મા, રાધનપુર, 8. મહેસાણા જિલ્લાની ખેરાલુ, વડનગર, 9. વડોદરા જિલ્લાની કરજણ, 10. છોટા ઉદેપુર જિલ્લાની છોટા ઉદેપુર, 11. દાહોદ જિલ્લાની ઝાલોદ, દેવગઢ બારિયા, 12. પંચમહાલ જિલ્લાની કાલોલ, હાલોલ, 13. નવસારી જિલ્લાની બીલીમોરા, 14. વલસાડ જિલ્લાની વલસાડ, પારડી, ધરમપુર, 15. તાપી જિલ્લાની સોનગઢ, 16. જામનગર જિલ્લાની જામજોધપુર, ધ્રોલ, કાલાવાડ, 17. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા, દ્વારકા, ભાણવડ, 18. જુનાગઢ જિલ્લાની બાંટવા, માણાવદર, માંગરોળ, વિસાવદર, વંથલી, ચોરવાડ, 19. ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર, 20. કચ્છ જિલ્લાની રાપર, ભચાઉ, 21. અમરેલી જિલ્લાની લાઠી, જાફરાબાદ, રાજુલા, ચલાલા, 22. ભાવનગર જિલ્લાની શિહોર, ગારીયાધાર, તળાજા, 23. બોટાદ જિલ્લાની ગઢડા, 24. રાજકોટ જિલ્લાની જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર, ઉપલેટા, 25. મોરબી જિલ્લાની હળવદ, 26. સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ અને 27. પોરબંદર જિલ્લાની કુતીયાણા તેજ રાણાવાવ નગર પાલિકાની સામાન્ય ચુંટણી યોજાશે.

Continue Reading

ચુંટણી

વલસાડ લોકસભા ભાજપ ટાર્ગેટ મતોથી જીતશે – યશવંત દેશમુખ

Published

on

By

ભાજપ અને કોંગ્રેસની પાછલી ચુંટણીની ટકાવારી પણ ભાજપની જીત તરફ કરે છે ઇશારો

વલસાડ : લોકસભા ચુંટણી 2024 ના સાતેય તબકકાનું મતદાન પૂર્ણ થયુ છે અને 4 જૂને મત ગણતરી થશે. પરંતુ એ પૂર્વે જાહેર થયેલા એક્ઝીટ પોલમાં મોટાભાગનાએ ગુજરાતમાં ભાજપ 26 બેઠકો કબ્જે કરશેનું આકલન કર્યુ છે. જેમાં પણ C Voter ના સ્થાપક યશવંત દેશમુખનાં આકલન પ્રમાણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની બેઠકો સૌથી વધુ માર્જીનથી ભાજપનાં ખોળે જઈ રહી હોય એવું લાગી રહ્યુ છે, જેમાં વલસાડ લોકસભા બેઠક પણ ભાજપ ટાર્ગેટ મતોથી જીતશે. જોકે પાછલી ચુંટણીઓની ટકાવારીને જોવામાં આવે, તો પણ કોંગ્રેસ અને ભાજપને મળેલા મતોની ટકાવારી પણ વલસાડ લોકસભામાં ભાજપની જીત તરફ ઇશારો કરે છે.

વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ સાથે રસાકસી ખરી, પણ ભાજપ બાજી મારશે

લોકસભા ચુંટણી 2024 માં વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે આદિવાસીઓના નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલને ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. કારણ ગત વર્ષોમાં અનંત પટેલે વિવિધ આંદોલનો થકી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં લોકચાહના બનાવી હતી. સામે ભાજપે પણ જુના મહારથીઓને બાજુએ મુકી આદિવાસીઓને જાણનારા અને રાષ્ટ્રીય સ્તરે ભાજપના નેતૃત્વ સાથે ઘડાયેલા ધવલ પટેલને પોતાના યોદ્ધા તરીકે ઉતાર્યા હતા. બંને વચ્ચે ભારે રસાકસી રહી અને જેના પરિણામ સ્વરૂપ મતદાનમાં મતદારોએ પણ આકરા તાપમાં 72.71 ટકા મતદાન કરી, રાજકિય પંડિતોને પણ ચોંકાવી દીધા હતા. પરંતુ પાછલા વર્ષોની ચુંટણીઓના પરિણામોને જોતા ભાજપ વલસાડ લોકસભા બેઠક ઉપર મજબૂત લાગી રહી હતી. જેમાં પણ જયારે લોકસભા ચુંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે અને દેશની મોટાભાગની એજન્સીઓએ પોતાના સંશોધન બાદ જાહેર કરેલા એક્ઝીટ પોલમાં ગુજરાતમાં ભાજપ 26 બેઠકો જીતશેનો દાવો કર્યો છે. જેમાં પણ C Voter નું ચુંટણી પરિણામને લઇને થતુ આંકલન વાસ્તવિક મતદાનની નજીક અને ચોક્કસ માનવામાં આવે છે. ત્યારે C Voter ના સ્થાપક યશવંત દેશમુખે Hexilon News સાથે કરેલી વિશેષ વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ભાજપ 26 બેઠકો મેળવશે, જોકે બે ત્રણ બેઠકો ઉપર થોડી દ્વિઘા છે. પરંતુ દક્ષિણ ગુજરાતની બેઠકોમાં ભાજપ સૌથી વધુ મતોની લીડ મેળવશે. જેમાં રસાકસી ભરેલી વલસાડ બેઠક ઉપર ભાજપ પોતાના 5 લાખના ટાર્ગેટ નજીક રહેશે એવી સંભાવના દેખાઈ રહી છે.

1998 થી 2019 સુધીમાં ભાજપનો વોટ શેર 14 ટકા વધ્યો, એક આકલન મુજબ ધવલ પટેલ 3 લાખથી વધુની લીડથી જીતશે

વલસાડ લોકસભાની એક ખાસિયત રહી છે કે, અહીંથી જે પણ પક્ષનો ઉમેદવાર જીતે, કેન્દ્રમાં એજ પક્ષની સરકાર બને છે. ત્યારે પાછલા વર્ષોની ચુંટણીના આંકડાઓ ઉપર નજર કરીએ તો વર્ષ 1998 માં થયેલી લોકસભા ચુંટણીમાં ભાજપના મણી ચૌધરીએ 2,90,312 મતો અને તેમની સામે કોંગ્રેસના ઉત્તમ પટેલે 2,73,036 મેળવ્યા હતા. જેમાં ભાજપના મણી ચૌધરી 17,276 મતોની લીડથી જીત્યા હતા. ત્યારબાદ 1999 માં ફરી ચુંટણી થઇ અને ત્યારે પણ ભાજપના મણી ચૌધરીને 3,00,195 મતો અને સામે કોંગ્રેસના ઉત્તમ પટેલ 2,73,409 મતો મળ્યા હતા. જેમાં કોંગ્રેસના ઉત્તમ પટેલને 1998 માં મળેલા મતોમાં ફક્ત 373 મતો વધુ મળ્યા હતા અને ભાજપના મણી ચૌધરી 26,788 મતની લીડથી જીત્યા હતા. જોકે 2004 માં વલસાડની હવા બદલાઇ, જેમાં કોંગ્રેસના કિશન પટેલ સામે મણી ચૌધરી 44,486 મતોની લીડથી હાર્યા હતા. પરંતુ પાંચ વર્ષો બાદ મતદારોનો મિજાજ થોડો બદલાયો, જેમાં 2009 માં કોંગ્રેસના કિશન પટેલ સામે ભાજપના ડૉ. ડી. સી. પટેલ ફક્ત 7,169 મતોથી જ હાર્યા હતા. જેથી ભાજપ 2009 માં જ ફરી મજબૂત થઇ હતી, ત્યારબાદ વર્ષ 2014 માં ભાજપના ડૉ. કે. સી. પટેલે કોંગ્રેસના કિશન પટેલને 2,08,004 મતોની લીડથી માત આપી હતી. જેમાં વર્ષ 2019 ની લોકસભા ચુંટણીમાં અંદાજે 75 ટકાનો વધારો થયો અને ભાજપના ડૉ. કે. સી. પટેલે કોંગ્રેસના જીતુ ચૌધરીને 3,54,132 મતોની લીડથી હરાવ્યા હતા. જેથી ગત લોકસભા ચુંટણીઓના આંકડાઓ પ્રમાણે 1998 માં ભાજપની મતોની ટકાવારી 47.20 ટકા હતી, જે 21 વર્ષોમાં એટલે 2019 માં 14.05 ટકા વધીને 61.25 ટકા થઇ હતી. જેથી કોંગ્રેસના અનંત પટેલ માટે ભાજપની 61 ટકાથી વધુની લોકચાહના તોડવી લોઢાના ચણા ચાવવા બરાબર છે. બીજી તરફ અનંત પટેલની લોકચાહના સામે ભાજપની સંગઠનાત્મક રણનીતિ અને નરેન્દ્ર મોદી પ્રત્યેની લોકોમાં લાગણી જોતા ભાજપના ધવલ પટેલની 3 લાખથી વધુ મતોથી જીતવાની સંભાવના વધી જાય છે.

Continue Reading

ગુજરાત

નવસારી જિલ્લાની 4 વિધાનસભામાં 494 વૃદ્ધો અને દિવ્યાંગોને ઘરેથી કરાવ્યુ મતદાન

Published

on

By

ચુંટણી તંત્ર દ્વારા દરેક વિધાનસભામાં ટીમ બનાવી ઘરે ઘરે જઈને કરાવાયુ મતદાન

નવસારી : લોકસભા ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જે પૂર્વે ચુંટણી પંચ દ્વારા આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા મતદારોનું બેલેટ પેપરથી મતદાન કરવાની વ્યવસ્થા ગોઠવી છે. પરંતુ એની સાથે જ જિલ્લામાં વૃદ્ધો અને દિવ્યાંગો તેમના ઘરેથી જ તેમનો પવિત્ર મત આપી શકે એવી પ્રથમવાર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં નવસારી જિલ્લામાં કુલ 494 વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ પોતાનો મત ઘર બેઠા આપ્યો હતો.

પ્રથમવાર વૃદ્ધો અને દિવ્યાંગ મતદારો માટે ઘર બેઠા મતદાન કરવાની ગોઠવાઈ વ્યવસ્થા

ભારતીય ચુંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એના માટેના સતત પ્રયાસો કરવા સાથે જ મતદારો માટે અવનવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવતી હોય છે. ગત ચુંટણીઓમાં મતદાન સમયે અતિવૃદ્ધ અને દિવ્યાંગ વ્યક્તિઓમાં મોટાભાગના મતદાનથી દૂર રહેતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જેને ધ્યાને રાખીને લોકસભા ચુંટણી 2024 માં ભારતિય ચુંટણી પંચ દ્વારા 85 વર્ષથી ઉપરના વૃદ્ધો અને તેમની સાથે 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને માટે ચુંટણીના ઈતિહાસમાં પ્રથમવાર બેલેટ પેપરથી અને ઘર બેઠા મતદાન કરી શકાય એવી વ્યવસ્થા ગોઠવી હતી. જેને આધારે નવસારી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા જિલ્લાની 4 વિધાનસભામાં સર્વે કરી, વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોની યાદી બનાવી હતી. જેને આધારે નવસારી લોકસભા અંતર્ગત 174 જલાલપોર વિધાનસભામાં ગત 26 એપ્રિલના રોજ 59 વૃદ્ધો અને 55 દિવ્યાંગ મળી કુલ 114 મતદારોનાં ઘરે પહોંચી મતદાન કરાવડાવ્યુ હતુ. જયારે ગત રોજ 176 ગણદેવી વિધાનસભામાં 64 વૃદ્ધો અને 53 દિવ્યાંગ મળી કુલ 117 મતદારોને તેમના ઘરે પહોંચી મતાધિકારનો અધિકાર આપ્યો હતો. 175 નવસારી વિધાનસભામાં આજે 99 વૃદ્ધો અને 25 દિવ્યાંગ મતદારો મળી કુલ 124 મતદારોનાં ઘરે જઈને તેમને મતદાન કરાવડાવ્યુ હતુ. જયારે વલસાડ લોકસભા અંતર્ગત જિલ્લાની 177 વાંસદા વિધાનસભામાં નોંધાયેલા 100 વૃદ્ધ અને 39 દિવ્યાંગ મતદારોને ઘરેથી મતદાન કરાવડાવ્યુ હતુ.

ઘરેથી મતદાન માટે વિશેષ ટીમ બનાવી, ચુંટણીના સાધનો સાથે ઘર સુધી પહોંચાડ્યા

જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા 85 વર્ષથી ઉપરના વૃદ્ધ અને 40 ટકાથી વધુ દિવ્યાંગ મતદારો માટે ઘરેથી મતદાન માટેની કરેલી અલાયદી વ્યવસ્થા માટે વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યુ હતુ. જે ટીમોને મત કુટીર, મત પેટી, બેલેટ પેપર સહિતની સામગ્રી સાથે સુરક્ષા સાથે મતદારોના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી હતી, જ્યાં પોલીંગ ઓફિસરની હાજરીમાં ટીમ દ્વારા વૃદ્ધ કે દિવ્યાંગ ગુપ્તતા સાથે પોતાનો કિંમતી મત આપી શકે એવી વ્યવસ્થા ઉભી કરી હતી અને અંતે મતદાર પાસેથી મતદાન કરાવ્યુ હતુ. ચુંટણી પંચ દ્વારા વૃદ્ધો અને દિવ્યાંગો માટે કરેલી વિશેષ વ્યવસ્થાની તેમના પરિવારજનો દ્વારા સરાહના પણ કરવામાં આવી હતી.

Continue Reading
Advertisement

Trending