Connect with us

નવસારી

નવસારીની મિશ્ર શાળા નં. ૭ નાં ધાબા પર વિદ્યાર્થીનીઓનો કપડા ધોતો વિડીયો વાયરલ

Published

on

શાસનાધિકારીએ ઘટનાને ગંભીર ગણાવી શાળા સામે પગલા લેવાની કરી તીયારી

નવસારી શહેરની મિશ્ર શાળા નં. ૭ નાં ધાબા પર કપડા ધોતી વિદ્યાર્થીનીઓનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયારલ થતા શિક્ષણ જગત લાજવાયું હતું. શાળાએ વિદ્યાર્થીનીઓ જાતે જ ખુરશીઓની ગાદીના કવર ધોવા ગઈ હોવાનો હાસ્યાસ્પદ બચાવ કર્યો હતો. જોકે સમગ્ર મુદ્દે નવસારી શાસનાધિકારી દ્વારા શાળા સામે પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.

નવસારી નગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અને શહેરનાં આશાનગર વિસ્તારમાં કૃષ્ણનગર સોસાયટીમાં આવેલી મિશ્રશાળા નંબર ૭ ( તબેલા સ્કૂલ ) નાં ધાબા પર ચાર વિદ્યાર્થીનીઓનો કપડા ધોતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો, જેની ખરાઈ પણ કરવામાં આવી છે. જેમાં શાળાના શિક્ષિકા દ્વારા શાળાની ખુરશીઓ પર મુકવામાં આવેલી ગાદીઓનાં કવર ધોવડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પરંતુ સમગ્ર મામલે વિદ્યાર્થીનીઓ જાતે જ ખુરશીના કવરો ધોવા ધાબે પહોંચી હોવાની મુખ્ય શિક્ષિકાએ કેફિયત રજૂ કરી હતી. ઉલ્લેખનિય છે કે, સરકારી પ્રાથમિક શાળામાં શહેરના શ્રમિક વિસ્તારમાંથી આવતી ગરીબ અને મધ્યમ વર્ગની બાળકો અભ્યાસ અર્થે આવતા હોય છે. પરંતુ શિક્ષકો તેમની પાસે સર્વાંગીણ વિકાસના નામે સફાઈ સહીત અન્ય કામો પણ કરાવી લેતા હોય છે. ઘણીવાર શિક્ષકો શાળાના નહિ પણ પોતાના અંગત કામો કરાવાતા પણ ખચકાતા નથી હોતા. ત્યારે શહેરની સરકારી શાળામાં ઉજ્વળ ભવિષ્યને કંડારવા ગયેલી માસુમ બાળાઓ પાસે કપડા ધોવડાવતા શિક્ષકોની કાર્ય પ્રણાલી ઉપર સવાલો ઉભા થયા છે. અહીં સરકારનું સ્વપ્ન પણ રોળાઈ ગયું હોય એમ અભ્યાસ કરવાની ઉંમરે શાળાનું મજૂરી કામ વિદ્યાર્થીનીઓ પાસે કરાવવામાં આવી રહ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર વાત નગરપાલિકાના શાસનાધિકારી પાસે પહોંચતા તેમણે શાળાનાં આચાર્યની પૃચ્છા કરી શાળાને નોટીસ આપી ખુલાસો માંગવાની કાર્યવાહી આરંભી હતી.

ટેરેસ પર વિદ્યાર્થીનીઓ પાસે કપડા ધોવડાવતો વિડીયો મારા પણ ધ્યાને આવ્યો છે. આ ઘણી ગંભીર બાબત છે, શિક્ષકોને તો સફાઈ પણ બાળકો પાસે ન કરાવવાનું કીધું છે, કારણ એની પણ ગ્રાન્ટ સરકારમાથી આવે છે. શાળાના મુખ્ય શિક્ષિકા રીટાબેન પારેખને પૂછ્યું તો વિદ્યાર્થીનીઓ તેમની જાતે જ ખુરશીની ગાદીઓના કવરો ધોવા ધાબે ગઈ હોવાની માહિતી મળી છે. પરંતુ સાચું શું છે એ જાણવા તપાસ કરાવીશું અને શિક્ષિકાને નોટીસ આપીને ખુલાસો પણ માંગીશ.

ભૂમિકા પટેલ, શાસનાધિકારી, ન. પ્રા. શિક્ષણ સમિતિ, નવસારી

દક્ષિણ-ગુજરાત

નવસારીમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

નવસારી તાલુકામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો, રસ્તા થયા પાણી પાણી

નવસારી : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આજે નવસારીમાં બપોર બાદ ધોધમાર કમોસમી વરસાદ શરૂ થતા જન જીવન પ્રભાવિત થયું હતુ. નવસારી તાલુકામાં જ 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસેલા માવઠાથી ડાંગર અને ચીકુના ખેડૂતોને માથે હાથ મુકી રોવાનો વારો આવ્યો છે.

ભારે વરસાદથી ગણદેવી બજારમાં ‘નદી’ ના દ્રશ્યો

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે સવારથી નવસારી જિલ્લામાં કાળાંડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં બફારા સાથે ઉકળાટ પણ અનુભવાતો હતો. બપોર બાદ સાંજે 4 વાગ્યાથી નવસારી અને જલાલપોર તાલુકામાં શરૂ થયેલા કમોસમી ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યુ હતું. નવસારી શહેરના ગ્રીડ, કબીલપોર, જુનાથાણા, લુંસીકુઈ, ઇટાળવા અને સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, ગણદેવી નગરના મુખ્ય બજારમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જાણે બજારમાંથી કોઈ નદી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

કમોસમી વરસાદને કારણે ડાંગર અને ચીકુના પાકને મોટું નુકસાન

કમોસમી વરસાદને કારણે નવસારીના ડાંગર અને ચીકુના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. કારણ ખેતરોમાં હાલ ડાંગરની કાપણી થઈ રહી છે, જ્યારે કપાયેલી ડાંગર ખેતરમાં સુકવવા મુકી હતી એ ઘણી જગ્યાએ પલળી ગઈ હતી. જેને કારણે ખેડૂતોને મોટા આર્થિક નુકશાનની સંભાવના વધી છે. ચીકુના પાકમાં પણ વરસાદ મોટી નુકશાની આપશે, કારણ ચીકુની પ્રથમ સીઝન લાભ પાંચમથી શરૂ થતી હોય છે, પણ કમોસમી વરસાદને કારણે ચીકુની સાઈઝ અને ઉત્પાદન ઉપર પણ અસર પાડી છે, જેથી ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવા પડશે.

સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં નવસારી તાલુકામાં 4 ઈંચ વરસાદ

નવસારીમાં આખો દિવસ ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો ભારે વરસાદે જન જીવનને પ્રભાવિત કર્યું હતું. જેમાં નવસારી તાલુકામાં સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં 106 મિમી એટલે કે 4.41 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જલાલપોર તાલુકામાં 46 મિમી (1.91 ઈંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે આન્યા તાલુકાઓમાં ખેરગામ તાલુકામાં 28 મિમી (1.16 ઈંચ), ચીખલી તાલુકામાં 23 મિમી (0.95 ઈંચ) અને ગણદેવીમાં 9 મિમી તથા વાંસદા તાલુકામાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.

Continue Reading

અપરાધ

નવસારીમાં મોડી રાત્રે ગેંગવોર : રેમ્બો ચપ્પુના ઘા ઝીંકાતા ૩ ગંભીર રીતે ઘાયલ

Published

on

By

આસિફ, ઇમરાન અને સિદ્ધુ સિવિલમાં ખસેડાયા, ગ્રામ્ય પોલીસની તપાસ શરૂ

નવસારી : નવસારી શહેરમાં ફરી એકવાર ગેંગવોર જોવા મળી હતી. ગત રાત્રે 12 વાગ્યા આસપાસ વિરાવળ જતા રસ્તા પર, બોસ્ટન ટી સામે બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી. જેમાં ત્રણ યુવાનો ગંભીર રીતે ઘવાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી એકને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રીઢા ગુનેગાર સિદ્ધુ થોરાટની ટોળકી અને અન્ય ગેંગ વચ્ચે થઈ હતી મારામારી

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં ગત રાતે રીઢા ગુનેગારો વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. શહેરના વિરાવળ નજીક બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલી માથાકૂટમાં બંને જૂથોએ રેમ્બો છરો સાથે ધારદાર હથિયારોથી એકબીજા ઉપર પ્રાણઘાતક વાર કરી મારામારી કરી હતી. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મારામારીમાં પંકાયેલો સિદ્ધુ થોરાટ, ઈમરાન શેખ અને આસિફને ઘાયલાવસ્થામાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી આસિફની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

જૂની અદાવત અથવા વર્ચસ્વ માટે ખૂની ખેલ ખેલાયો હોવાનું પ્રાથમિક તારણ

વિવાવળના બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલ આ ખૂની મારમારી જૂની અદાવત અથવા વર્ચસ્વની લડાઈમાં થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસે મારામારી મુદ્દે કાયદેસરની તપાસ શરૂ કરી છે. જ્યારે મોડી રાત્રે થયેલી આ મારામારીને કારણે વિસ્તારમાં તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે પોલીસ ચોપડે હજી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સાંજ સુધીમાં ફરિયાદ નોંધાય અને પોલીસ ફરાર થયેલા આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરે એવી સંભાવના જોવાઈ રહી છે.

સિદ્ધુ થોરાટ અને તેની ટોળકીનું અગાઉ પોલીસે કાઢ્યું હતું સરઘસ

ઘાયલ થયેલો આરોપી સિદ્ધુ થોરાટ વિજલપોર વિસ્તારમાં રીઢો ગુનેગાર છે અને અગાઉ અનેકવાર મારમારી સહિતના વિવિધ ગુનાઓમાં પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. જેમાં મારામારીની અન્ય ઘટનામાં પોલીસે સિદ્ધુ અને તેના બે સાથીઓનો ગુનાના રિકંસ્ટ્રક્ષન કરવા સાથે કાયદાનું ભાન કરાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

Continue Reading

દક્ષિણ-ગુજરાત

નેશનલ હાઈવે 48 પર BMW S1 કારમાં ભીષણ આગ

Published

on

By

લક્ઝરી કાર બળીને ખાક, જાનહાની ટળી

નવસારી : નેશનલ હાઈવે નંબર 48 ઉપર ચીખલી સર્વિસ રોડ નજીક એક લક્ઝરી BMW S1 કારમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. જોકે, સમયસૂચકતાના કારણે કારચાલકનો આબાદ બચાવ થયો હતો.

BMW માં આગની ઘટના મુદ્દે હજી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી

મળતી માહિતી અનુસાર, નેશનલ હાઈવે 48 પર ચીખલી સર્વિસ રોડ ઉપરથી પસાર થતી એક BMW S1 લક્ઝરી કારમાંના આગળના બોનેટમાંથી અચાનક ધુમાડો ઉઠતા કારચાલક તરત જ સતર્ક થયો હતો અને કારને સાઈડમાં ઊભી રાખી, પોતે નીચે ઉતરી ગયો હતો. કારમાંથી ધુમાડો નીકળ્યાની ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને કરી જોતજોતામાં આખી લક્ઝરી કાર બળીને ખાક થઈ ગઈ હતી. કારમાં આગ લાગતા હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. સદ્નસીબે, કારચાલક સમયસર નીચે ઉતરી ગયો હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. ઘટનાની જાણ થતા ચીખલી પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગનું ચોક્કસ કારણ હજી જાણવા નથી મળ્યું, પણ શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. સમગ્ર મુદ્દે હાલ ચીખલી પોલીસ મથકમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

Continue Reading
Advertisement

Trending