Connect with us

ગુજરાત

નવસારી જળબંબાકાર : શહેર આખામાં વરસાદી પાણી ભરાયા, જન જીવન ઠપ્પ

Published

on

મેઘ તાંડવને કારણે રસ્તાઓ પર વરસાદી પાણીના ભરાવાથી વાહન વ્યવહાર અવરોધાયો

નવસારી : નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી પડી રહેલા મુશળાધાર વરસાદે જન જીવનને પ્રભાવિત કર્યું છે, પ્રથમ વહેલી સવારે ખેરગામમાં ધમડાટી મચાવ્યા બાદ મેઘાએ ગણદેવી તાલુકામાં અનરાધાર પ્રેમ વરસાવ્યા બાદ સવારે 10 થી 12 વાગ્યા સુધીના બે કલાકમાં જ શહેરમાં આભ ફાટ્યું હોય એમ 9.37 ઇંચ વરસાદ પડતા શહેર આખું જળબંબાકાર થયુ છે અને શેહર આખામાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને શહેરના તમામ રસ્તાઓ પર ઘૂંટણથી કેળ સમા પાણી હરાતા વાહન વ્યવાહર અવરોધાયો છે, જેને કારણે જાણે જન જીવન થપ્પ થયું હોય એવી સ્થિતિ બની છે.

શહેરમાં આસમાની આફતથી પુરની સ્થિતિ, ઘરો અને દુકાનોમાં ભરાયા પાણી

નવસારી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને અનરાધાર વરસી રહ્યા છે. જેમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકમાં ખેરગામ તાલુકામાં 5 ઇંચ, ત્યારબાદના બે કલાકમાં ગણદેવી તાલુંકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. પરંતુ ગણદેવી બાદ નવસારીમાં સવારે 10 થી 12 વાગ્યા સુધીના બે કલાકમાં જ આભ ફાટ્યું અને શહેરમાં 9.37 ઇંચ વરસાદ વરસતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ બની હતી. શહેર આખામાં વરસાદી પાણી ભરાતા, લોકોના ઘર અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘુસી ગયા હતા. જયારે રસ્તાઓ પણ ડ્રેનેજમાં પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા, લગભગ શહેરના દરેક રસ્તા પર ઘૂંટણથી કેળ સમા પાણી ભરાયા હતા. જેમાં શહેરના પ્રજાપતિ આશ્રમથી કુંભારવાડ, ગોલવાડ, શાંતાદેવી રોડ, સેન્ટ્રલ બેંક, મધુમતી, મોટા બજાર, શાકભાજી માર્કેટ, શહીદ ચોકથી પાલિકા કચેરી સુધીનો વિસ્તાર, જુનાથાણા, ભારતી ટોકીઝ, ગ્રીડ અહિંસા દ્વાર, હાઈવેના સર્વિસ રોડથી બારડોલી તરફ જતા રસ્તાનાં પ્રારંભે, સિંધી કેમ્પ, મંકોડીયા, વિજલપોર શિવાજી ચોક, ચંદનવન સોસાયટી, ધીરૂદાજીની વાડી, વિઠ્ઠલ મંદિર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી હતી. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

વરસાદને પગલે અનેક વાહનો પાણીમાં, વિદ્યાર્થીઓ ફસાયા

નવસારીમાં 6 કલાકમાં પડેલા 13 ઇંચ વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર કેળ સુધીના વરસાદી પાણી ભરાયા હતા. 6 કલાક દરમિયાન રસ્તા પર પાણીના ભરાવાને કારણે હજારો લોકો અટવાયા હતા. સાથે જ વાહનો પાણીમાંથી લેવા જતા ઘણા ટૂ વ્હીલર, કાર, રીક્ષા બંધ પડ્યા હતા. જેથી વાહન ચાલકે તેને ધક્કો મારીને પાણી બહાર કાઢવા પડી હતી. જયારે કેટલાક ચાલકો પોતાના વાહનોને શિફત પૂર્વક પાણીમાંથી બહાર કાઢવામાં સફળ પણ રહ્યા હતા. રસ્તા પર વરસાદી પાણીના ભરાવાને કારણે શહેરની અનેક શાળાના વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમને ટ્રેક્ટરની મદદથી એક છેડેથી બીજા છેડે મુકવામાં આવ્યા હતા. જેમાં કોન્વેન્ટ શાળાની શિક્ષિકાએ ભારે વરસાદને પગલે ઘરે જવાનું મુશ્કેલ જણાતા, તેમના પતિને ફોન કરી જાણ કરી હતી, જેથી ઘરે કાર અને બાઈક હોવા છતાં પતિ ભારે વરસાદ અને પુરની સ્થિતિને જોતા ટ્રેક્ટર લઇ શિક્ષિકા પત્નીને લેવા પહોંચ્યો હતો. જેમાં પત્ની સાથે વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષિકાને પણ કેળ સમા પાણીમાંથી પસાર થવા ન પડે, એટલે ટ્રેક્ટર બેસાડી બહાર કાઢ્યા હતા.

અપરાધ

વાંસદાના ચાપલધરા ગામેથી હાઈબ્રિડ ગાંજા અને ઝોમ્બી ઈ સિગારેટ સાથે બે ઝડપાયા

Published

on

By

ઝોમ્બી ઈ સિગારેટ પકડવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો

નવસારી : નવસારીના ચાપલધરા ગામે હાઈબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમે ગત રોજ છાપો મારી બેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 28.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

SMC પોલીસે વાપીના આતિફને વોન્ટેડ જાહેર કર્યો

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતો મિલન ધનગર હાઈબ્રિડ ગાંજાનું વેચાણ કરે છે. જેને આધારે ગત રોજ SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમે ચાપલધરા ગામના વચલા ફળિયા, અંબા માતાજી મંદિર પાછળ રહેતા મિલન ધનગરના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસને મિલન પાસેથી 8 લાખ રૂપિયાનો 80 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે જ ગાંજાના સક્રિય ઘટકની હાજરીવાળી (THC) 20 લાખ રૂપિયાની 20 ઈ સિગારેટ પણ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મિલન સાથે તેના સાથીદાર તન્મયકુમાર પટેલની ધરપકડ કરી હતી. આરોપી મિલનની પૂછપરછમાં હાઈબ્રિડ ગાંજો તેને વાપીના આતિફે પહોંચાડી હતી. જેથી પોલીસે આતિફને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઝોમ્બી ઈ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી હાઈબ્રિડ ગાંજો, ઈ સિગારેટ અને મોબાઈલ ફોન મળી કુલ 28.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે SMC પોલીસ મથકે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (NDPS) અને ધી પ્રોહીબિશન એક્ટ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, ગાંજાના સક્રિય ઘટક ધરાવતી ઝોમ્બી ઈ સિગારેટ પકડાયાનો આ ગુજરાતનો પ્રથમ ગુનો છે.

Continue Reading

ગુજરાત

ED સામેના કોંગ્રેસના વિરોધને ભાજપે વખોડી, સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ

Published

on

By

નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં રાહુલ – સોનિયા ગાંધી સામે ED એ ચાર્જશીટમાં લગાવ્યા આરોપ

નવસારી : નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં ED દ્વારા ચાર્જશીટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ઉપર આરોપ મઢતા, કોંગ્રેસે ષડયંત્રના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે કરેલા વિરોધને ભાજપે વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. નવસારી જિલ્લા ભાજપ યુવા મોર્ચાએ પણ શહેરના જુનાથાણા સર્કલ પાસે કોંગ્રેસના વિરોધને ખોટો ગણાવી, તેની સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહયોગ કરવો જોઈએ – ભાજપ

નેશનલ હેરાલ્ડ કૌભાંડ પ્રકરણમાં ED દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે આરોપ મઢેલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે આગામી 25 એપ્રિલે સુનવણી આપી છે. ED એ સોનિયા અને રાહુલ ગાંધી સામે આરોપ મઢતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ બની છે, કોંગ્રેસે ઉગ્રતાથી સમગ્ર પ્રકરણમાં બદલાની ભાવનાથી કાર્યવાહી થતી હોવાના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેની સામે ભાજપે પણ ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખો સૂર સાથે કોંગ્રેસના વિરોધને વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં નવસારી જિલ્લા યુવા મોર્ચાએ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની આગેવાનીમાં નવસારી શહેરના જુનાથાણા સર્કલ પાસે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી, વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહકાર આપવો જોઈએની વાત કરી કોંગ્રેસના વિરોધને વખોડી કાઢ્યો હતો.

 

Continue Reading

ગુજરાત

બીલીમોરાના વાલ્મિકી વાસમાં DGVCL ના સ્માર્ટ મીટરનો વિરોધ

Published

on

By

DGVCL દ્વારા જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવવામાં આવતા હોવાના આક્ષેપો

નવસારી : દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નવસારી જિલ્લાના ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ ગ્રાહકોની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. નવસારીના ઘેલખડીમાં વિરોધ થયા બાદ બીલીમોરા શહેરના વાલ્મિકી વાસમાં પણ જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવતા વીજ કંપનીના કર્મચારીઓનો સ્થાનિકોએ વિરોધ કરી કામગીરી અટકાવી હતી.

બીલીમોરા શહેરમાં અંદાજે 1500 સ્માર્ટ મીટર લાગી ગયા

ડિજીટલ યુગમાં દરેક વસ્તુઓ સ્માર્ટ થઈ રહી છે. જેમાં સરકારો પણ સ્માર્ટ થવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે ગુજરાત સરકાર હસ્તકની વીજ કંપનીઓ દ્વારા બીલની ઝંઝટમાંથી બહાર નીકળવા અને વીજ વપરાશ ઘટાડવા માટે ડીજીટલ એટલે કે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. જેમાં સ્માર્ટ મીટરમાં વધારે યુનિટ ફરી જતા ગ્રાહકોને બે મહિનાના બીલના રૂપિયા થોડા દિવસોમાં જ વપરાય જતા હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન છેલ્લા થોડા દિવસોથી નવસારી જિલ્લામાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. જેમાં ગત રોજ નવસારી શહેરના ઘેલખડી વિસ્તારમાં આવેલ ચોકલેટ હાઉસિંગ સોસાયટીમાં જબરદસ્તી લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર દૂર કરવાની સ્થાનિકોએ માંગ કરી હતી. ત્યારે આજે બીલીમોરા શહેરના વાલ્મિકી વાસમાં પણ DGVCL ના અધિકારીઓ કર્મચારીઓએ કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના જબરદસ્તીથી ગ્રાહકોના જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટર લગાવી દીધાના આક્ષેપો સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં DGVCL ના અધિકારીઓ અને કર્મીઓ સાથે સ્થાનિકોની ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને લોકોએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને અટકાવી દીધી હતી. સાથે જ વાલ્મિકી વાસના જે 15 થી 20 ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા એને પણ કાઢી લેવાની માંગ કરી હતી. જોકે DGVCL ના અધિકારીએ તેમની પાસે સ્માર્ટ મીટર લગાવવા ભારત સરકારનો રાજપત્ર હોવાની વાત કરી, દરેક ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર લગાવવા તૈયારી દર્શાવી હતી. જયારે બીલીમોરા શહેરમાં અત્યાર સુધીમાં અંદાજે 1500 ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા હોવાની માહિતી આપી હતી. પરંતુ લોકોના વિરોધને પગલે હાલ વીજ કંપનીના અધિકારીઓ કર્મચારીઓએ પણ કામગીરી રોકવાની ફરજ પડી હતી.

 

Continue Reading
Advertisement

Trending