Connect with us

તહેવાર

નવસારીવાસીઓ આજે 2.5 કરોડના ફાફડા જલેબી આરોગી ગયા

Published

on

ફાફડા જલેબીની લારી, દુકાનો પર લાંબી કતારો જોવા મળી

નવસારી : અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી. વિજયના આ પર્વને ગુજરાતીઓ ફાફડા અને જલેબી ખાઈને ઉજવે છે. ત્યારે આજે નવસારીવાસીઓએ ફાફડા અને જલેબી લારીઓ, દુકાનો પર લાંબી કતારો લગાવી હતી અને એક અંદાજ મુજબ એક જ દિવસે 2.5 કરોડના ફાફડા અને જલેબી આરોગી ગયા હતા.

ફાફડા 700 રૂપિયે કિલો અને જલેબી 480 રૂપિયે કિલો વેચાઈ

અધર્મ પર ધર્મની જીત ગુજરાતીઓ ધામધૂમથી ઉજવે છે. જેમાં વર્ષોની પરંપરા મુજબ દશેરાની શરૂઆત ગુજરાતીઓ ફાફડા જલેબી ખાઈને કરતા હોય છે. ત્યારે આજે વહેલી સવારથી નવસારી શહેરમાં આવેલી ફાફડા જલેબીની લારીઓ અને દુકાનો પર ગ્રાહકોએ લાંબી કતારો લગાવી હતી. ગરમ ગરમ ફાફડા અને જલેબી મેળવવા લોકો કલાકો ઉભા રહ્યા હતા. જ્યારે બજારમાં ગ્રાહકો ઉમટી પડતાં દુકાનદારોમાં પણ સારા વેપારને લઇને ખુશી જોવા મળી હતી. જોકે તેલ અને અન્ય સામગ્રીના વધેલા ભાવો વચ્ચે ફાફડા 700 રૂપિયે કિલો અને જલેબી 480 રૂપિયે કિલો વેચાઈ હતી. ત્યારે એક અંદાજ મુજબ શહેર અને જિલ્લામાં 25 હજાર કિલો ફાફડા વેચાયા હતા. જ્યારે 12 હજાર કિલો આસપાસ જલેબીનું વેચાણ થયું હતું. જેને જોતા નવસારીવાસીઓ અંદાજે 2.5 કરોડ રૂપિયાના ફાફડા જલેબી આરોગી ગયા હતા.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તહેવાર

ઉર્જા બદલાતી નથી, એનું સ્વરૂપ બદલાય છે, વિજ્ઞાનનો સિદ્ધાંત હજારો વર્ષો પૂર્વે ગીતાએ દર્શાવ્યો

Published

on

By

મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુળમાં ગીતા જયંતીની થઇ ભવ્ય ઉજવણી

નવસારી : ભારતીય સંસ્કૃતિમાં અનેક ધર્મગ્રંથોએ જીવન સરળતાથી જીવવાના મુલ્યો શીખવે છે. જેમાં પણ શ્રીમદ્દ ભગવદ ગીતા હજારો વર્ષો વીતવા છતાં પણ આજે પણ એટલી જ ઉપયોગી છે. ત્યારે નવસારીના સુપા ગામે આવેલ મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુળમાં ભ્રહ્મચારીઓએ ગીતાના શ્લોકોનું પઠન કરી ભવ્ય રીતે ગીતા જયંતીની ઉજવણી કરી હતી. જેમાં યજ્ઞની રુચાઓથી સમગ્ર આશ્રમનું પ્રાંગણ ગુંજી ઉઠ્યુ હતુ.

ગીતા જીવન જીવવાની કળા શીખવે છે : ડો. ચંદ્રગુપ્ત

નવસારી જિલ્લામાં વર્ષોથી વૈદિક કાળની જેમ આશ્રમ પ્રથાથી શિક્ષણ આપતા મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુળ ખાતે આજે હર્ષોલ્લાસ સાથે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂકુળ, જે શતાબ્દી જૂની આર્ય સંસ્કૃતિ અને આધુનિક શિક્ષણનો સમન્વયને આધારે બાળકોને સનાતન ધર્મની પરંપરા સાથે જ આધુનિક શિક્ષણ આપે છે, ત્યારે ગીતા જયંતીના પવિત્ર દિવસે શ્રીમદ્દ ભગવદ ગીતા અને તેના જીવન મુલ્યોએ સૌને પ્રેરિત કર્યા હતા. આ ઉજવણીમાં ગુરૂકુળના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. ચંદ્રગુપ્તે જીવનમાં ગીતા અધ્યાયના પઠનનું મહત્વ સમજાવ્યુ હતુ. સાથે જ તેમણે શાસ્ત્રીય ઉદાહરણ સાથે આધુનિક વિજ્ઞાન અને ગીતાના ઊર્જા-સિદ્ધાંત વચ્ચેના સંબંધોને રેખાંકિત કરતા જણાવ્યુ હતુ કે, ઊર્જા અમર છે અને તેનું માત્ર સ્વરૂપ બદલી શકાય છે. આ વિજ્ઞાનના સિદ્ધાંતો ગીતા દ્વારા હજારો વર્ષ પહેલાં રજૂ કરાયા હતા. જીવનના દરેક તબક્કામાં અને આજના પરિપ્રેક્ષ્યમાં આવતા તમામ કામોમાં ગીતા જીવન જીવવાની કળા શીખવે છે. 

સંસ્કૃત પાઠશાળાના બ્રહ્મચારીઓએ ગીતાના શ્લોકોનું પઠન કરી, સંસ્કૃતિને ઉજાગર કરી

ગુરૂકુળના સહ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ રત્નાણીએ ગીતાને જીવન બદલવાની જડીબુટ્ટી તરીકે વર્ણવી, વિદ્યાર્થીઓને નિયમિત ગીતા પઠન કરવાની સલાહ આપી હતી. જયારે ગુરુકુળના સંસ્કૃત પાઠશાળાના બ્રહ્મચારીઓએ શ્રીમદ્દ ભગવદ ગીતાના શ્લોકોનું પઠન કરી આ દિવસે સનાતન સંસ્કૃતિને ઉજાગર કરી હતી. જેમાં વિધિવત યજ્ઞ-હવન સાથે આ ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. યજ્ઞમાં ગુરુકુળના આચાર્ય દીપેશજી, આચાર્ય વિવેકાનંદજી, આચાર્ય પ્રતીકજી અને શ્રદ્ધાનંદ આશ્રમના ગૃહપતિઓએ પણ ભાગ લીધો.

જિલ્લા શિક્ષણાધિકારીએ સાંસ્કૃતિક ધરોહર અને તેની જાળવણી માટે આપી શુભેચ્છા

ગીતા જયંતીની ઉજવણીમાં ગુજરાત ગુરૂકુળ સભાના પદાધિકારીઓએ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી હતી. સંસ્થાના મંત્રી પંકજસિંહ ઠાકોરે આશ્રમ દ્વારા ઉંચા શિક્ષણ સાથે વધુ તકો પૂરી પાડવામાં આવી રહી હોવાના વખાણ કર્યા કરી, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા  હતા. જયારે નવસારી જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરીએ સંસ્થાની સાંસ્કૃતિક ધરોહર અને તેની જાળવણી માટે શુભેચ્છા આપી હતી.

Continue Reading

તહેવાર

હેલ્લારો : પોલીસ જવાનો મન મુકીને ગરબે ઘૂમ્યા

Published

on

By

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે માં જગદંબાની આરતી કરી, આપી શુભકામનાઓ

નવસારી : તહેવારોમાં સદા લોકોની સુરક્ષામાં પોતાનું મન મારીને પણ ફરજ બજાવતી નવસારી જિલ્લા પોલીસના જવાનો ગત રાતે પોલીસ પરિવાર માટે યોજાયેલા હેલ્લારો ગરબા મહોત્સવમાં મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. ગરબાના પ્રારંભે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ અને સુરત રેંજ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહે આરતી કરી માં જગદંબાના આશિર્વાદ મેળવી, પોલીસ પરિવારને શુભકામનાઓ આપી હતી.

વરસતા વરસાદમાં ગરબાના તાલે પોલીસ જવાનો પરિવાર સાથે ગરબે ઘૂમ્યા

તહેવારોની મોસમ શરૂ થતા જ પોલીસ વિભાગ સતર્ક બને છે અને લોકોની સુરક્ષા માટે રાત દિવસ ફરજ બજાવે છે. નવરાત્રના નવ દિવસોમાં પણ પોલીસકર્મીઓ લોકોની સુરક્ષા માટે અનેક વિસ્તારોમાં ખડે પગે રહ્યા હતા. ખાસ કરીને આ વખતે નવરાત્રમાં મહિલા પોલીસકર્મીઓની અલાયદી ટુકડી બનાવી મહિલાઓની સુરક્ષા માટે તેનાત કરવામાં આવી હતી. પોલીસ જવાનો ફરજ ઉપર હોય ત્યારે તેમના પરિવારજનો પણ તહેવારની મજા માણી શકતા નથી. ત્યારે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા પોલીસ જવાનો પણ તહેવારની મજા માણી શકે અને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી શકે એ માટે આજે એક દિવસીય હેલ્લારો ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતુ. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી તથા નવસારીના સાંસદ સી. આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સાથે મા અંબેની આરતી કરી આશીર્વાદ લીધા હતા. સાથે જ પોલીસકર્મીઓને નવરાત્રી અને દિવાળીની શુભકામના પાઠવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસના અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનો વરસતા વરસાદમાં ગરબાના તાલે મન મૂકીને ઝુમ્યા હતા.

પોલીસ જવાનો અને તેમના પરિવારે ગરબા આયોજન માટે પોલીસ અધિક્ષકનો આભાર માન્યો 

પોલીસ અધિકારીઓ તેમજ તેમના પરિવારે જિલ્લા પોલીસ વડા દ્વારા નવરાત્રી મહોત્સવના આયોજનને લઈ ખુશી વ્યક્ત કરી હતી. તહેવારોમાં અને ખાસ કરીને નવરાત્રમાં સતત બંદોબસમાં હતા, પરંતુ આજે ગરબે ઘૂમીને ખૂબ આનંદ થયો હોવાની ભાવના પણ વ્યક્ત કરી હતી. જ્યારે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહે પણ જિલ્લા પોલીસના ગરબા મહોત્સવના આયોજનને બિરદાવ્યો હતો.

Continue Reading

તહેવાર

નવસારીમાં ભક્તોએ ભારી હૃદયે વિઘ્નહર્તાને આપી વિદાય

Published

on

By

શ્રી ગણેશજીના વિસર્જન દરમિયાન અનેક આંખો ભીની થઈ

નવસારી : નવસારીમાં 10 દિવસ સુધી ભક્તિ ભાવ અને શ્રદ્ધાથી શ્રી ગણેશજીની આરાધના કર્યા બાદ આજે શ્રીજી ભક્તોએ બાપ્પાને અશ્રુભીની આંખે અને ભારે હૃદયે પૂર્ણાના ઓવારેથી વિદાય આપી હતી. વહેલી સવારથી ઘરના અને નાના મંડળોના એકદંતની પ્રતિમાઓનો વિસર્જન શરૂ થયું હતુ. જ્યારે બપોર બાદ મોટી પ્રતિમાઓનું વિસર્જન શરૂ થશે.

નવસારીમાં અત્યાર સુધીમાં 1671 નાની અને 58 મોટી પ્રતિમાઓનું થયું વિસર્જન

નવસારી શહેર અને જિલ્લામાં ગણેશ ભક્તોએ દસ દિવસ સુધી શ્રી વિનાયકની હૃદયના ઉમળકાથી પૂજા અર્ચના કરી હતી. શહેરમાં અનેક ઠેકાણે 10 થી 25 ફૂટ ઊંચી પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતુ. અનેક મંડળોમાં લાખોના ખર્ચે કરેલા ડેકોરેશનને જોવા, સાથે જ શ્રી ગણેશજીના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. દસ દિવસ પૂર્ણ થતા આજે અનંત ચતુર્દશીના પાવન પર્વ પર ભક્તોએ ભારે હૃદયે ભક્તોએ બાપ્પાની વિદાયની તૈયારી કરી હતી. ઢોલ નગારા તેમજ DJ ના તાલે નૃત્ય કરતા ભવ્ય વિસર્જન યાત્રા કાઢી હતી. સવારથી નવસારી વિજલપોર શહેરના વિરાવળ, ધારાગીરી અને જલાલપોર સ્થિત સરસ્વતી માતાજીના મંદિર પાસેના ઓવારા પાસે હજારો ગણેશ ભક્તો નાની અને મોટી પ્રતિમાઓ લઈને પહોંચ્યા હતા. ખાસ કરીને શહેરની અંદાજિત 300 જેટલી વિશાળ પ્રતિમાઓનું વિરાવળ ખાતે પૂર્ણા નદીના ઓવારાથી વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિરાવળ ઓવારા પાસે બે કૃત્રિમ તળાવમાં POP ની પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે. જ્યારે બે મોટી ક્રેન મારફતે મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સવારથી અત્યાર સુધીમાં 1671 નાની અને 58 મોટી પ્રતિમાઓનું વિસર્જન વિરાવળ ગામના તરવૈયાઓ દ્વારા કરાવવામાં આવ્યું છે. હવે શહેરની જાણીતી અને મોટી પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળશે. જેને જોવા લાખોની સંખ્યામાં શ્રીજી ભક્તો નવસારીના રાજમાર્ગો ઉપર ઉમટી પડશે. જ્યારે રાજકીય પક્ષો દ્વારા પણ શ્રી ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન યાત્રા દરમિયાન ફુલહાર અર્પણ કરી સ્વાગત કરવામાં આવશે.

Continue Reading
Advertisement

Trending