Connect with us

કૃષિ

ગણદેવી સુગર ફેકટરીના નિયમમાં કરાયો સુધારો, કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ નિમવાનો ઠરાવ બહુમતીએ પાસ

Published

on

ગણદેવી સુગર ફેકટરીની 66 મી વાર્ષિક સાધારણ સભા મળી

નવસારી : ગુજરાતમાં મોખરે રહેનારી ગણદેવી સુગર ફેકટરીમાં કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવાના નિયમોમાં સુધારો કરીને કરેલા નિર્ણયને આજે મળેલી 66 મી વાર્ષિક સાધારણ સભામાં સભાસદોએ બહુમતીએ બહાલી આપી હતી. સાથે જ સભામાં ચાલુ વર્ષે ગણદેવી સુગર ફેકટરીની પિલાણ, ખાંડ ઉત્પાદન થકી રિકવરી તેમજ અન્ય મૂલ્યવર્ધિત ઉત્પાદનો દ્વારા મેળવેલી સિદ્ધિના લેખા જોખા સભાસદો સામે રજૂ કરાયા હતા.

ગણદેવી સુગર ફેકટરીના નિયમમાં ફેરફાર સાથે એજન્ડાના 7 કામોને અપાઈ બહાલી

ગુજરાતમાં એટલુજ નહીં પણ ભારતમાં ખાંડ ઉદ્યોગમાં ગણદેવી સુગર ફેકટરી ખેડૂતોને અપાતા પ્રતિ ટન શેરડીના ભાવ અને રિકવરીમાં જાણિતી છે. ત્યારે 66 વર્ષોની મજલ કાપનારી ગણદેવી સુગર ફેકટરીની આજે 66 મી વાર્ષિક સાધારણ સભા ફેક્ટરી પ્રાંગણમાં યોજાઈ હતી. જોકે ગણદેવી સુગરના ઇતિહાસમાં પ્રથમવાર પ્રમુખ, ઉપપ્રમુખ અને કાર્યકારી પ્રમુખ વિના વાર્ષિક સાધારણ સભા મળી હતી. જોકે સભા ફેક્ટરીના ડિરેક્ટર રણજીત પટેલની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં વર્ષ 2022-23 ના વાર્ષિક હિસાબ સભાસદો સામે મૂકવામાં આવ્યો હતો. જેની સાથે જ એજન્ડાના 7 કામોને સભા સમક્ષ મુકતા એક કાર્યને છોડીને સર્વાનુમતે મંજૂર કરાયા હતા. ત્રણ કલાક સુધી ચાલેલી ગણદેવી સુગર ફેકટરીની સભામાં ફેક્ટરીના નિયમમાં સુધારો કરી પ્રમુખ ઉપપ્રમુખની વરણી જ્યુડિશ્યલ મેટર હોવાને કારણે ફેકટરીના વહીવટમાં સરળતા રહે અને કોઈ નિર્ણય માટે બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક માટે રાહ જોવા ન પડે, એ માટે નવો નિયમમાં ફેરફાર કરી કામચલાઉ કાર્યકારી પ્રમુખ અને ઉપરપમુખ નિમવા માટે ઠરાવ કરી, બહુમતીએ બહાલી આપવામાં આવી હતી.

વિષેશ સિદ્ધિ મેળવનારા ડિરેક્ટર અને ખેડૂતોને કરાયા સન્માનિત

સભામાં 40 વર્ષોથી ગણદેવી સુગરને ઉંચાઈએ પહોંચાડનારા સહકારી પીઢ આગેવાન અને પથદર્શક જયંતિલાલ બાવજીભાઈ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળી ભારે હૈયે વિદાય લીધી હતી. સભામાં પૂર્વ પ્રભારી કાર્યકારી પ્રમુખ રતિલાલ પટેલને ગાંધીનગર રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ તરફથી લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મળતા, તેમની સિદ્ધિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. સાથે વિશષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા ડિરેક્ટરો અને સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કરનારા ચીખલીના ઘેજ ગામનાં ખેડૂત હિતેશ પટેલ અને શીયાદા ગામના રણછોડ પટેલને તેમજ મુખ્ય આંતરપાક તરીકે શેરડી કરનારા ચીખલીના ઘેજ બીડનાં ખેડૂત જેનિશ પટેલનું સન્માન કરાયું હતું. કેટલાક સભાસદોએ કાર્યકારી પ્રમુખ રણજીત પટેલના રાજીનામાં અંગે સવાલો કરતા સભાપતિ રણજીત પટેલ અને અભિષેક પટેલ યોગ્ય ઉત્તર આપી વિવાદને ઠાળ્યો હતો.

આ વર્ષે ગણદેવી સુગર ફેકટરીએ 11.59 ટકા રિકવરી મેળવી

ગણદેવી સુગર ફેકટરીએ વર્ષ 2022-23 ના વર્ષમાં 10,03,775 મે. ટન શેરડીનું પિલાણ કરી 11,64,050 ક્વિન્ટલ ખાંડ ઉત્પાદન કરી, 11.59 ટકા રીકવરી પ્રાપ્ત કરી હતી. તેમજ ડીસ્ટીલરીક્ષેત્રે 1,41,66,173 લીટર રેકટીફાઇડ સ્પિરીટ અને 92,29970 લીટર ઇથેનોલનું ઉત્પાદન, 26,739 મે. ટન સેન્દ્રીય ખાતર, અને 3905 કોથળી વર્મી કંપોસ્ટ ખાતર તૈયાર કરાયું હતું. ફેકટરી માં કાર્યરત 45 Klpd ઇથેનોલ પ્લાન્ટનું આધુનિકરણ કરી 95 Klpd (કિલો લીટર પર ડે) ક્ષમતાનો કરાયો છે.

ગણદેવી સુગર ફેકટરીની સભા મળી

કૃષિ

નવસારીના વાવાઝોડાના અસરગ્રસ્તોને સરકાર આપશે સહાય

Published

on

By

સાંસદ ધવલ પટેલની રજૂઆતોને પગલે અઠવાડિયામાં જ સહાય મળતા, સાંસદે મુખ્યમંત્રીનો આભાર માન્યો

નવસારી : નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકામાં ગત અઠવાડિયે ત્રાટકેલા તોફાની વાવાઝોડામાં અસરગ્રસ્ત 32 ગામડાઓના લોકોને વલસાડના સંસદ ધવલ પટેલે સ્નવેદના સાથે પ્રથમ દિવસથી જ મદદનો હાથ લંબાવ્યો હતો. પરંતુ કુદરતી આફતનો ભોગ બનેલા લોકોને વહેલામાં વહેલી ગુજરાત સરકાર પણ સહાય આપે એવી માંગ સાથે પત્ર પાઠવ્યો હતો. જેને ધ્યાને લઈ સરકાર દ્વારા ત્વરિત સહાય આપવાનો નિર્ણય કર્યો અને આવતી કાલે અસરગ્રસ્તો સુધી સહાય પહોંચશે. જેને લઈને વલસાડના સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

વાવાઝોડામાં નવસારીના બે તાલુકાના 32 ગામડાઓ થયા હતા અસરગ્રસ્ત

અઠવાડિયા અગાઉ નવસારીમાં ​આવેલા ભયાનક વાવાઝોડાના કારણે નવસારી જિલ્લાના કુલ 32 ગામડાઓને ગંભીર અસર થઈ હતી. જેમાં ચીખલીના તલાવચોરા અને વાંસદાના સીણધઈ ગામે થોડી મિનીટોમાં જ વાવાઝોડાએ તબાહી ફેલાવી હતી. વાવાઝોડામાં બંને ગામો સહિત જિલ્લાના 32 ગામડાઓમાં અંદાજે 3.5 હજાર મકાનોના પતરા ઉડ્યા હતા અને કેટલાક મકાનોની દીવાલો અથવા આખેઆખા મકાન જ ધરાશાયી થતા લોકોને ખુલ્લા આકાશ નીચે રહેવાનો વારો આવ્યો છે.

સાંસદ ધવલ પટેલે પ્રથમ દિવસથી જ ભાજપી કાર્યકરોની સાથે મહેકાવી સેવાની સુવાસ

વાવાઝોડાની ખબર મળતા જ વલસાડના સંસદ ધવલ પટેલ એક્ટિવ થયા હતા અને એમના મત વિસ્તાર વાંસદા વિધાનસભા ક્ષેત્રના ગામોને મદદ પહોંચાડવાનો પ્રયાસ આરંભ્યો હતો. ખાસ કરીને વાંસદાના ભાજપી આગેવાનો અને કાર્યક્રેઓની મદદથી સીણધઈ ગામના વધુ પ્રભાવિત ત્રણ ફળિયાઓમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ તેમજ પતરા ખુદ નાદુરસ્ત તબિયત હોવા છતાં પહોંચાડ્યા હતા. સાથે જ ​સાંસદ ધવલ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને તાત્કાલિક અસરથી અસરગ્રસ્તોને સંપૂર્ણ સર્વે થાય અને ખેતીના નુકશાનનું પણ યોગ્ય સર્વે કરવામાં આવે અને ત્યારબાદ રાજ્ય સરકાર ત્વરિત સહાય પહોંચાડે એવી વિનંતી કરી હતી. સંસદ ધવલ પટેલના પત્રને સરકારે ગંભીરતાથી ધ્યાને લઈ જિલ્લાના વાવાઝોડાના અસરગ્રસ્તોને અઠવાડિયામાં જ સહાય પહોંચાડવાનો નિર્ણય કર્યો અને આવતી કાલે તેમને સહાય પહોંચશે. ત્યારે સરકારના નિર્ણયને સાંસદ ધવલ પટેલે આવકાર્યો અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ સાંસદ ધવલ પટેલે આ વિકટ પરિસ્થિતિમાં ગ્રામજનોને મદદરૂપ થવા બદલ જિલ્લા સંગઠન તેમજ ખાસ કરીને વાંસદાના કાર્યકર્તાઓની મહેનત અને સેવા ભાવનાનો પણ વિશેષ આભાર માન્યો હતો.

સંકટના સમયે સરકારે સહાય પહોંચાડી પ્રજાલક્ષી સરકારનું આપ્યું ઉદાહરણ

વાવાઝોડાને​ કારણે જ્યારે લોકોના ઘર અને રોજી સમાન ખેતીમાં થયેલા નુકશાનની વેદના સાંભળી ગુજરાત સરકારે આટલા ટૂંકા ગાળામાં રાહત અને સહાય પહોંચાડીને સંકટ સમયે પ્રજાની પડખે ઊભા રહેવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

Continue Reading

કૃષિ

નવસારીના સાતેમ ગામેથી અઢી વર્ષનો માદા દીપડો પાંજરે પુરાયો

Published

on

By

દીપડો પાંજરે પુરાતો ગ્રામજનોને થઈ રાહત

નવસારી: છેલ્લા થોડા દિવસોથી નવસારી જિલ્લાના સાતેમ ગામમાં દીપડાના આંટાફેરાની જાણ થતા નવસારી વન વિભાગની ટીમે ગોઠવેલા પાંજરામાં આજે વહેલી સવારે એક અઢી વર્ષનો માદા દીપડો પુરાતા, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સાતેમ ગામના બંધાર ફળિયામાં ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાયો

નવસારી તાલુકાના સાતેમ ગામના બંધાર ફળિયા સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી દીપડાની અવરજવર વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો હતો. રહેણાંક વિસ્તાર સુધી દીપડો આવી જતા ગ્રામજનોએ તાત્કાલિક નવસારી વન વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોની રજૂઆત મળતા જ વન વિભાગની ટીમે સત્વરે કાર્યવાહી કરી ગામના બંધાર ફળિયામાં ચેતનભાઈના ઘરની પાછળના વાડામાં મારણ સાથે એક પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે શિકારની શોધમાં નીકળેલો એક અઢી વર્ષનો માદા દીપડો પાંજરે પુરાયો હતો.

દીપડાને તબીબી સારવાર બાદ જંગલમાં છોડાશે

સાતેમ ગામે દીપડો પાંજરે પુરાયો હોવાની માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાનો કબ્જો લીધો હતો. વન વિભાગની તપાસમાં પકડાયેલો દીપડો માદા અને અઢી વર્ષનો હોવાનું જણાયું હતું. પકડાયેલા માદા દીપડાની તબીબી તપાસ કરાવ્યા બાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની વન વિભાગે કવાયત હાથ ધરી છે.

Continue Reading

કૃષિ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટીંડોળા અને પરવળની ખેતી તાલીમ યોજાઈ

Published

on

By

ઢોલુમ્બર, અંકલાંછ તેમજ રવણીયા ગામના 20 ખેડૂતો જોડાયા

નવસારી : નવસારી જિલ્લામાં બાગાયતી, શાકભાજી અને ધાન્ય પાકોની ખેતી થાય છે. જેમાં પણ વેલાવાળા શાકભાજી બહુવર્ષાયુ હોવાથી ખેડૂતોને સારી આવક રળી આપે છે, ત્યારે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વધુ ઉત્પાદન અને રોગ પ્રતિકાર શક્તિ ધરાવતા ટિંડોળા અને પરવળની જાતો માટે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં ઢોલુમ્બર, અંકલાછ અને રવાણીયા ત્રણ ગામોના 20 ખેડૂતો જોડાયા હતા.

ગુજરાત નવસારી ટિંડોળા 1 અને ગુજરાત નવસારી પરવળ 1 અંગે માહિતી અપાઈ

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતીમાં અનેક વિષયો ઉપર સતત સંશોધનો કરી, ધાન્ય, ફળ અને શાકભાજીની વિવિધ જાતો વિકસાવવામાં આવે છે. જેની સાથે સ્થળ, વાતાવરણ અને સમય પ્રમાણે કઈ જાત ટકાઉ, ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન આપશે તેના પ્રયોગો હાથ ધરી, તેના ઉત્તમ પરિણામ બાદ ખેડૂતોને પણ તાલીમ આપીને માહિતગાર કરવામાં આવે છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી સંશોધન બાદ બહાર પાડવામાં આવેલી ગુજરાત નવસારી ટિંડોળા 1 અને ગુજરાત નવસારી પરવળ 1 જાતની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલના માર્ગદર્શનમાં આયોજિત આ તાલીમ શિબિરમાં જિલ્લાના ઢોલુમ્બર, અંકલાછ અને રવાણીયા એમ ત્રણ ગામોના 20 ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. તાલીમ દરમિયાન ખેડૂતોને બહુવર્ષાયુ ટિંડોળા અને પરવળ પાકોની ઓછી જમીનમાં, રોગ જીવાત સામે પ્રતિકાર ક્ષમતા ધરાવતી, વહેલી પાકતી અને વધુ ઉત્પાદન આપતી જાતો વિશેની વિસ્તૃત વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી હતી. તાલીમમાં બાગાયતી વૈજ્ઞાનિક ડૉ. દિક્ષિતા પ્રજાપતિ દ્વારા ટિંડોળાના રોપાઓનું નિર્દેશન પણ ગોઠવવામાં આવ્યુ હતું. તાલીમ દરમિયાન KVK ના વડા ડૉ. સુમિત સાળુંકે અને સહપ્રધ્યાપક ડૉ. કિંજલ શાહે પણ ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતુ.

 

Continue Reading
Advertisement

Trending