Connect with us

આરોગ્ય

પ્રાણાયામ અને ધારણા યોગ દ્વારા શરીરના પ્રાણ કેન્દ્રોને જાગૃત કરી શકાય – યોગાચાર્ય ભ્રહ્માનંદજી

Published

on

આંતરરાષ્ટ્રિય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં નવસારીના યોગાચાર્યના ક્ષુરિકા ઉપનિષદ પરના સંશોધન પેપરને મળી સ્વિકૃતિ

નવસારી : ક્ષુરિકા ઉપનિષદમાં પ્રાણાયામ અને ધારણા યોગની ક્રિયાઓ દ્વારા મનુષ્ય શરીરના પ્રાણ કેન્દ્રોને જાગૃત કરી, જીવ શિવ બનવાની ક્ષમતા કેળવી શકે છે, જેને થિયરી અને પ્રેક્ટિકલ પ્રયોગો સાથે સંશોધન કરી, નવસારીના યોગાચાર્ય ભ્રહ્માનંદજી અને તેમના આનંદ તપોવન આશ્રમની ડિરેક્ટર વૈશાલી શાહે 7 મી આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં રજૂ કરેલા સંશોધન પેપરને સ્વિકૃતિ મળી છે.

25 શ્લોકોના ક્ષુરિકા ઉપનિષદમાં કુંડલીની જાગૃતિ અંગે વિસ્તૃત માહિતી

નવસારીના બીલીમોરાના વતની અને નિવૃત બેન્કર ડૉ. શંકર પટેલ 40 વર્ષોથી યોગ અભ્યાસ સાથે સાધના કરી રહ્યા છે. પોતાની નોકરી સાથે ભારતના જુદા જુદા વિસ્તારોમાં યોગાભ્યાસ સાથે જ યોગ ઉપર લખાયેલા ઉપનિષદ અને અન્ય શાસ્ત્રીય ગ્રંથોનો પણ અભ્યાસ કરીને આસન, પ્રાણાયામ અને યોગ ધારણા ઉપર નિપુણતા કેળવી છે. ડૉ. શંકર પટેલ દ્વારા ઇન્દોરના યોગાચાર્ય ઓમાનંદ ગુરૂજીના સાનિધ્યમાં યોગ સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે દિક્ષા ગ્રહણ કરી, ભ્રહ્માનંદ નામ અર્જિત કરી, હાલ વાંસદા તાલુકાના નવતાડ ગામે કુદરતી સાનિધ્યમાં શરૂ કરેલા આનંદ તપોવન યોગ આશ્રમ સ્થાપિત કરી લોકોને આધ્યાત્મ અને યોગ થકી તન અને મન બંને તંદુરસ્ત રાખવાની ચાવી શિખવી રહ્યા છે. ત્યારે યોગાચાર્ય ભ્રહ્માનંદજી અને આનંદ તપોવનના ડિરેક્ટર વૈશાલી શાહ બંનેએ સંયુક્ત રીતે માત્ર 25 શ્લોક ધરાવતા ક્ષુરિકા ઉપનિષદ ઉપર યોગના અન્ય શાસ્ત્રીય ગ્રંથોની મદદથી સંશોધન કર્યુ હતુ. જેને ધ્યાનયોગ અને પ્રાણ ધારણા ક્ષુરિકા ઉપનિષદ પ્રમાણે – વિશ્લેષણાત્મક અધ્યયન વિષય અંતર્ગત ગત 2 થી 4 ફેબ્રુઆરી, 2024 દરમિયાન તામીલનાડુના કન્યાકુમારીમાં સ્થિત શ્રી વિવેકાનંદ રોક મેમોરીયલ, સેન્ટ્રલ યુનીવર્સીટી, હિમાચલ પ્રદેશ અને મહાત્મા ગાંધી યુનીવર્સીટી, કેરેલાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી 7 મી આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં 127 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે રજૂ કર્યુ હતું. ડૉ. શંકર પટેલના સંશોધન પેપરને આંતરરાષ્ટ્રિય સ્તરે સ્વિકાર્યતા મળી અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેદિક સાયન્સના માં યોગિની શાંભવી દેવી દ્વારા પંડિત વામદેવ શાસ્ત્રી તથા વિવેકાનંદ કેન્દ્રના ઉપાધ્યાક્ષ હનુમંથા રાવની ઉપસ્થિતિમાં ડો.શંકર પટેલ અને વૈશાલી શાહને સન્માનિત કરવામાં આવ્યા હતા.

યોગ ફક્ત આસન નથી. યોગમાં પ્રાણાયામ અને યમ નિયમ પણ જરૂરી છે. – યોગાચાર્ય

વર્ષોના યોગ અનુભવોનો નીચોડ આજ રોજ નવસારી સર્કીટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં યોગાચાર્ય બ્રહ્માનંદ અને આશ્રમના ડિરેક્ટર વૈશાલી શાહ દ્વારા પત્રકારોના પ્રશ્નોના જવાબમાં આપ્યો હતો. ખાસ યોગ ફક્ત આસન નથી. યોગમાં પ્રાણાયામ અને યમ નિયમ પણ જરૂરી છે. યોગ દ્વારા શરીરના દરેક અંગોનું યોગ્ય સંચાલન સાથે જ માનસિક તંદુરસ્તી પણ મેળવી શકાય છે. જેના માટે યોગ્ય પદ્ધતિથી યોગ કરવા જોઈએ. હાલના તેમના ક્ષુરિકા ઉપનિષદના સંશોધન પ્રમાણે પ્રાણાયામ અને શરીરના પ્રાણ કેન્દ્રો ઉપર કરવામાં આવતી ધારણા થકી તેમને જાગૃત કરી શકાય છે, જેની સાથે જ સમગ્ર શરીરના આધાર કેન્દ્રો એવા ચક્રોને પણ જાગૃત કરીને કુંડલીની શક્તિને ઉર્ધ્વગામી બનાવી જીવ શક્તિ બની શકે છે, એના ઉપર વિસ્તૃત માહિતી આપી હતી.

યોગ થકી ગર્ભસંસ્કાર થાય તો શ્રેષ્ઠ બાળક મેળવવું શક્ય

પ્રત્રકાર પરિષદમાં યોગાચાર્ય બ્રહ્માનંદજી અને યોગીકા વૈશાલી શાહે માનવ જીવનમાં અનેક પ્રસંગે અને સમસ્યામાં મદદરૂપ થતો હોવાની માહિતી આપી હતી. જેમાં યોગ દ્વારા ગર્ભ સંસ્કાર કરવામાં આવે તો, એક શ્રેષ્ઠ બાળક મેળવી શકાય છે. જોકે યોગ સાથે આધ્યાત્મ પણ એટલું જ જરૂરી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. યુવાનોમાં વ્યસન છોડવા માટે પણ યોગ કારગર સાબિત થાય છે. સાથે જ અનેક જટિલ બીમારીઓને નાથવામાં પણ તેમને સફળતા મળી હોવાનો દાવો પણ કર્યો હતો. ખાસ કરીને ઓર્ગન ફેલીયર, કેન્સર, હૃદયરોગ, મગજને લગતી સમસ્યા, ડીપ્રેશન, સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવી અનેક બીમારીઓમાં તેમને સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે.

યુવા પરિવર્તન થકી યુગ પરિવર્તન

યોગાચાર્ય ભ્રહ્માનંદજી અને આશ્રમના ડિરેક્ટર વૈશાલી શાહ દ્વારા યોગ અને પ્રાણાયામના વર્ગો પણ ચલાવવામાં આવે છે. સાથે જ તેઓ ઓનલાઇન પણ યોગ નિર્દશન દ્વારા અનેક લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. તેઓ યુવાનોમાં યોગ દ્વારા પરિવર્તન લાવી, યુગ પરિવર્તનના મહા અભિયાન ઉપર કાર્યકર્ત હોવાનું પણ જણાવ્યું હતુ.

આરોગ્ય

કોઈપણ એલર્જીક બીમારી હોય, હવે વિનામૂલ્યે થશે સારવાર

Published

on

By

સુરત નવી સિવિલ ખાતે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનો થયો પ્રારંભ

સુરત : સતત બદલાતા વાતાવરણ સાથે શહેરમાં ઉડતી ધૂળ એલર્જી વધારી શકે છે, ખાસ કરીને ઔદ્યોગિક વિકાસને કારણે શ્વાસને લગતી એલર્જીના કેસો વધી રહ્યા છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના OPD નં. 11 ખાતે કેન્દ્રિય જળ શક્તિમંત્રી સી. આર. પાટીલના હસ્તે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનો થેરાપી ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એલર્જી ક્લિનિકમાં દર મંગળવાર તથા શુક્રવારે સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી નિદાન સાથે સારવાર કરવામાં આવશે.

બેથી 5 વર્ષ સુધી ચાલતી એલર્જીની સારવારમાં દોઢથી બે લાખનો ખર્ચ : અહીં વિનામૂલ્યે થશે સારવાર

 

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ લોકોની નિરંતર સેવા કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે. એલર્જી ક્લિનિક શરૂ થવાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના દર્દીઓને એલર્જીની સારવાર વિના મૂલ્યે મળી રહેશે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં એલર્જીના નિદાન તેમજ સારવારનો ખર્ચ દોઢથી બે લાખ રૂપિયા સુધી થતો હોય છે. જે સિવિલમાં વિનામૂલ્યે શકય બનશે.

શરદી, કફ સહિત શ્વાસને લગતી અનેક એલર્જીનું સ્ક્રીન પ્રીક ટેસ્ટથી થશે વિનામૂલ્યે નિદાન

નોંધનીય છે કે, એલર્જી ક્લિનિક ખાતે સ્ક્રીન પ્રીક ટેસ્ટથી એલર્જીનું નિદાન કરવામાં આવશે. જેમાં જૂની ઘુળના કીડા, પરગરજ, ફૂગ ખાધ્ય પદાર્થ (મગફળી, દૂધ, ઈંડા તથા પાળતું પ્રાણીઓ જેમા બિલાડી, કુતરાની રૂવાટીના એલજન્સ તથા પ્રાણીઓ અને પક્ષીઓથી થતી એલર્જી) દર્દીઓના લક્ષણ તથા પર્યાવરણમાં રહેલા એલજન્સને ધ્યાનમાં રાખીને હાથ કે બરડાની ચામડી ઉપર એલજન્સના ટીપા મુકીને લેનસેટથી પ્રીક કરવામાં આવશે. અને જે ટેસ્ટના રિપોર્ટના આધારે 10 થી 15 મિનિટમાં એલર્જીનું પરિણામ મળી જશે. શરદી, કફ સહિત શ્વાસને લગતી અનેક એલર્જીનું નિદાન તથા સારવાર હવે નવી સિવિલ હોસ્પિટલના એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઈમ્યુનોથેરાપી ક્લિનિકમાં વિના મુલ્યે થશે. ખાનગી હોસ્પિટલમાં બેથી પાંચ વર્ષ સુધી ચાલતી એલર્જીની સારવારમાં દોઢથી બે લાખ રૂપિયા ખર્ચ થાય છે.

ક્લિનિકના પ્રારંભ પ્રસંગે મહાનુભાવો તેમજ હોસ્પિટલના ડોકટરો રહ્યા ઉપસ્થિત

આ પ્રસંગે પૂર્વ અધિક નિયામક ડો. વિકાસબેન દેસાઈ, મનપાના પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ, તબીબ અધિક્ષક ડો. ધારિત્રી પરમાર, RMO ડો. કેતન નાયક, ચેસ્ટ વિભાગના વડા ડો. પારૂલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, SMCA ના ડો. પરેશ કોઠારી,  IMA ના પ્રમુખ દિકન શાસ્ત્રી, RSS ના દિનેશ પટેલ અને નંદુજી શર્મા તથા તબીબો, વિવિધ વિભાગના વડાઓ, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

આરોગ્ય

નવસારીમાં પૂર્ણાના પાણી ઓસરતા ગંદકીનુ સામ્રાજ્ય

Published

on

By

લોકો ઘર, ઓફિસો અને દુકાનોમાં સફાઇમાં જોડાયા

નવસારી : નવસારી શહેરમાં શુક્રવારે પૂર્ણા નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં 4 થી 8 ફૂટ પુરના પાણી ભરાઇ જતા, લાખો લોકોને મુશ્કેલી વેઠવા પડી હતી. આજે વહેલી સવારથી પુરના પાણી ઓસરતા પુર અસરગ્રસ્ત વિસ્તરોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યુ હતુ. પાલિકા સફાઇકર્મીઓની ફોજ ઉતારી સફાઇ કરાવે, એવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

નિચાણવાળા વિસ્તારોના રસ્તાઓ, મોહલ્લા, સોસાયટીઓમાં કાદવ જ કાદવ

નવસારી તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારી નજીકથી પસારથતી પૂર્ણા નદીની જળસપાટી વધતા પુરની સ્થિતિ બની હતી. સવારથી બપોર સુધીમાં પૂર્ણા 30 ફૂટે પહોંચી જતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં 4 થી 8 ફૂટ પુરના પાણી ભરતા હજારો લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા હતા. પુરના પાણી નિચાણવાળા વિસ્તારના ઘરોમાં ભરાઇ ગયા હતા. પુરના પાણી ગત મોડી રાતે ઉતર્યા હતા, ત્યારબાદ શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં કાદવ કીચડ રહી ગયો હતો. લોકોના ઘરો, દુકાનો, ઓફિસો, કારખાનાઓમાં પણ પુરને કારણે કાદવ થઇ ગયો હતો. જેથી વહેલી સવારથી જ અસરગ્રસ્તો દ્વારા પોતાના ઘર, દુકાનો, ઓફિસો, કારખાનાઓમાં સાફ સફાઇ હાથ ધરી હતી. જેમાં પુરના પાણીમાં પલળી જવાથી ખરાબ થયેલા અનાજ સહિતના સામાનને ફેંકી દેવા પડ્યો હતો. જેને કારણે પુર અસરગ્રસ્ત લોકોને હજારોથી લાખો રૂપિયાનું નુકશાન થવાનો અંદાજો છે.

પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઇ શરૂ ન કરાતા લોકોમાં આક્રોશ

નવસારી શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ગંદકી ફેલાય છે. શહેરના 40 ટકા વિસ્તારમાં રસ્તાઓ, શેરી, મોહલ્લા, સોસાયટીઓમાં કાદવ કીચડ તેમજ પુરમાં તણાઈ આવેલ કચરો જોવા મળ્યો હતો. લોકોએ પોતાના ઘર, ઓફીસ, દુકાનોમાં સફાઇ હાથ ધરી હતી, પણ પાલિકા દ્વારા સફાઇમાં આળસ કરી હોવાની લોકચર્ચા ઉઠી છે. રસ્તાઓ ઉપર પાલિકાના એકલ દોકલ સફાઇકર્મીઓ દેખાતા સ્થાનિકોએ પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઇકર્મીઓની ફોજ ઉતારવામાં આવે તો શહેર સ્વચ્છ થશે, નહીં તો ગંદકીને કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની સંભાવના વ્યક્ત કરી હતી.

Continue Reading

આરોગ્ય

નવસારીના મુનસાડ ગામે ઝાડા ઉલ્ટીનો વાવર, આરોગ્ય વિભાગ દોડતું થયુ

Published

on

By

તમામને ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા, એક નવસારી સિવિલ હોસ્પિટલમાં

નવસારી : ચોમાસુ શરૂ થતા પાણીજન્ય રોગોની સમસ્યા સામે આવતી હોય છે. જેમાં નવસારીના પૂર્વ પટ્ટીના મુનસાડ ગામે બે દિવસમાં 15 લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા જાણતા તેમને નજીકના ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આર્થિક ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એકની તબિયત વધુ બગડતા નવસારી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા નવસારી આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. સાથે જ કોલેરા છે કે કેમ..? એ માટે સેમ્પલ લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે.

ચોમાસુ શરૂ થતા જ પાણીજન્ય રોગોની વધે છે સમસ્યા

ચોમાસુ આવતા જ વરસાદી પાણીથી ખાબોચિયા ભરાવાને કારણે મચ્છર અને માખીનો ઉપદ્રવ વધી જાય છે. જેથી શહેર ગ્રામ્ય વિસ્તારના શ્રમિક વિસ્તારોમાં પાણીજન્ય રોગ થવાની સંભાવના પણ વધી જતી હોય છે. સાથે જ વરસાદમાં પલળવાથી શરદી ખાંસી અને તાવની બીમારી પણ સામાન્ય બનતી હોય છે. ત્યારે નવસારી તાલુકાના બારડોલી રોડ ઉપર આવેલ મુનસાડ ગામના હળપતિવાસમાં બે દિવસથી લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા જણાઈ હતી. જેમાં ગતરોજ 11 લોકોને તબિયત બગડતા નજીકના ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એકની તબિયત વધુ બગડતા તેને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આજે પણ વધુ ચાર લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા થતા, ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. બે દિવસમાં 15 લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા જણાતા નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતુ. સાથે જ ઝાડા ઉલ્ટીની સમસ્યા શાને કારણે છે..? તે ચકાસવા મુનસાડ ગામમાં પાણીના સેમ્પલ લઈ, તેને લેબોરેટરીમાં મોકલી કોલેરા છે કે કેમ..? એની ચકાસણી કરવાના પ્રયાસો પણ આરંભ્યા છે. સાથે જ ગામમાં અસરગ્રસ્ત વિસ્તારમાં ક્લોરિનેશનની પ્રક્રિયા હાથ ધરવા સાથે પીવાના પાણીમાં કોઈ લીકેજ છે કે કેમ..? એની પણ ગ્રામ પંચાયતને તપાસ કરવા સૂચના આપી છે.

ઝાડા ઉલ્ટીનું કારણ ફૂડ પોઈઝનિંગ પણ હોઈ શકે..!!!

ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓના કેટલાક સગાઓએ ગામમાં એક દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે કરેલા નાસ્તા બાદ લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા થઈ હોવાનું જણાવ્યું હતુ. જેથી અસરગ્રસ્તોને ફૂડ પોઈઝનિંગની અસર હોય એવું પણ પ્રાથમિક તબક્કે અનુમાન લગાવાઇ રહ્યું છે. જ્યારે કેટલાક લોકોએ ફળિયામાં પાણી સમસ્યા હોવાનું કહેતા આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે. જોકે રિપોર્ટ બાદ જ ખરી હકીકત સામે આવશે.

Continue Reading
Advertisement

Trending