Connect with us

મારું ગામ

પંચાયત ઘર એ ગામનું હૃદય છે – રમણલાલ પાટકર

Published

on

માલખેત ગામે ગ્રામ પંચાયતના નવા મકાનનુ થયુ ભૂમિપૂજન

વલસાડ : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માલખેત ગામે રૂા. ૧૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા ગ્રામ પંચાયતના નવા મકાનનું ભૂમિપૂજન વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્‍તે કરાયું હતું.

??? ??????????????? ????????????????????? ???????????????

આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, પંચાયત ઘર એ ગામનું હૃદય છે, જેનું મકાન સારું ગુણવત્તાયુક્‍ત બને અને તેની યોગ્‍ય જાળવણી કરવાની જવાબદારી ગ્રામજનોની છે. ગ્રામ પંચાયતનું નવું મકાન બનતાં ગ્રામજનોને મળતી સુવિધાઓમાં પણ વધારો થશે. ખતલવાડાથી માલખેત જતો રસ્‍તો એક કરોડના ખર્ચે નવો બનશે, આ ઉપરાંત અન્‍ય સાંકડા રસ્‍તાઓને પહોળા બનાવવાનું આયોજન પણ કરાયું છે. આ કામગીરીમાં ગ્રામજનોના સહકારને અપેક્ષા તેમણે વ્‍યક્‍ત કરી હતી. ખેડૂતો માટે રાજ્‍ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેનો સંબંધિતોને લાભ લેવા જણાવી અતિવૃષ્‍ટિથી પ્રભાવિત ખેડૂતો લાભ લેવા માટે ૧૪મી જાન્‍યુઆરી સુધીમાં અરજી કરવા જણાવ્‍યું હતું. વિધવા પેન્‍શન વૃદ્ધ પેન્‍શન સહિત જરૂરિયાતમંદ લોકોને સ્‍પર્શતી દરેક યોજનાઓનો લાભ અપાવવા ગ્રામ અગ્રણી તેમજ સરપંચને પૂરતો સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

માલખેત સરપંચ મહેશ બસીયાએ ગામમાં થયેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપી ગામના વિકાસમાં સહભાગી સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. માલખેત પ્રાથામિક શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્‍વાગત ગીત રજૂ કર્યાં હતાં.

આ અવસરે એફ. સી. આઇ. ના સભ્‍ય હિતેશ સુરતી, તાલુકા પંચાયત સભ્‍ય વૈશાલીબેન, અગ્રણી પપ્‍પુ  તિવારી, મુકેશ પટેલ, કનુ સોનપાલ, પંચાયત સભ્‍યો તથા ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત

નવસારીના વાંસદામાં વાવાઝોડાના અસરગ્રસ્તોને સહાય માટે કોંગ્રેસ મેદાને

Published

on

By

કોંગી ધારાસભ્યની આગેવાનીમાં રેલી કાઢી 5 લાખની સહાયની માંગ સાથે TDO કચેરીએ ધરણાં કર્યા

નવસારી : નવસારી જિલ્લામાં એક અઠવાડિયા પહેલા આવેલા ભયાનક વાવાઝોડાના કારણે વાંસદા તાલુકાના સીણધઈ ગામ સહિત અન્ય ગામોમાં ઘણા ઘરોને નુકશાન થયું હતું. પરંતુ અઠવાડિયું વિતવા છતાં સરકાર અસરગ્રસ્તોને હજી સુધી સહાય આપવામાં આવી નથી. જેને કારણે કોંગ્રેસે સરકાર સામે રોષ સાથે આજે વાંસદાના વાવાઝોડાથી અસરગ્રસ્તોમાં ઘર ગુમાવનારાઓને 5 લાખની સહાયની માંગ સાથે રેલી કાઢી તાલુકા સેવા સદન બહાર ધરણા પ્રદર્શન કર્યુ હતુ.

કોંગ્રેસે સહાય આપવાના સરકારી નિયમો પર ઉઠાવ્યા સવાલ

નવસારીમાં તોફાની વાવાઝોડામાં વાંસદા તાલુકાના સીણધઈ ગામના ત્રણ ફળિયાઓ અને અન્ય અસરગ્રસ્ત ગામોના અસરગ્રસ્તોની વિકટ સ્થિતિ બની છે. પ્રારંભિક તબક્કે લોકોને સેવાભાવી સંસ્થાઓએ સહાય કીટ પહોંચાડી, પરંતુ હજુ સુધી સરકારે સહાય આપી નથી. જેમાં પણ સરકારને સ્થાનિક તંત્રએ સર્વે કરી ફક્ત 30 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર હોવાનો રિપોર્ટ કર્યો હતો. જેમાં સરકારી નિયમો સામે જ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ નિયમોમાં ‘નવથી ઓછા પતરાં હોય તો સહાય નહીં’ અને ‘સરકારી આવાસને સહાય નહીં મળે’ જેવા નિયંત્રણો છે, જે ગરીબ આદિવાસી અસરગ્રસ્તોને સહાયથી વંચિત રાખશે. જેથી વાંસદા કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ દરેક નુકસાનગ્રસ્ત ઘરને 5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે. જેમાં પણ તાલુકા વિકાસ અધિકારી કચેરીએ નહીં મળતા કોંગ્રેસીઓએ કચેરીના પ્રાંગણમાં ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો.

ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી અને ધરણાં

સરકારના આ નિયમોનો વિરોધ કરવા માટે આજે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને લોકોએ વાંસદા સર્કિટ હાઉસથી રેલી કાઢી તાલુકા સેવાસદન ખાતે પહોંચ્યા હતા. જોકે, તાલુકા સેવાસદન ખાતે તાલુકા વિકાસ અધિકારી (TDO) હાજર ન મળતા, ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં તમામ આગેવાનો અને અસરગ્રસ્તો ધરણાં પર બેસી ગયા હતા. જ્યાં કોંગ્રેસ દ્વારા સરકાર દરેક નુકસાનગ્રસ્ત ઘરને 5 લાખની સહાય ચૂકવે તેવી દૃઢ માંગણી કરવામાં આવી રહી છે.

સહાય જમા થવાના દાવા સામે કોંગી ધારાસભ્યના સવાલો

બીજી તરફ, વલસાડના સાંસદ ધવલ પટેલે જાહેરાત કરી છે કે સરકાર દ્વારા સહાયની રકમ આજે જ લોકોના ખાતામાં પહોંચી જશે. સાંસદના આ દાવા સામે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી દરેક અસરગ્રસ્તને પૂરતી અને યોગ્ય સહાય નહીં મળે, ત્યાં સુધી તેઓ આ મામલે લડત ચાલુ રાખશે.

Continue Reading

કૃષિ

નવસારીના વાવાઝોડાના અસરગ્રસ્તોને સરકાર આપશે સહાય

Published

on

By

સાંસદ ધવલ પટેલની રજૂઆતોને પગલે અઠવાડિયામાં જ સહાય મળતા, સાંસદે મુખ્યમંત્રીનો આભાર માન્યો

નવસારી : નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકામાં ગત અઠવાડિયે ત્રાટકેલા તોફાની વાવાઝોડામાં અસરગ્રસ્ત 32 ગામડાઓના લોકોને વલસાડના સંસદ ધવલ પટેલે સ્નવેદના સાથે પ્રથમ દિવસથી જ મદદનો હાથ લંબાવ્યો હતો. પરંતુ કુદરતી આફતનો ભોગ બનેલા લોકોને વહેલામાં વહેલી ગુજરાત સરકાર પણ સહાય આપે એવી માંગ સાથે પત્ર પાઠવ્યો હતો. જેને ધ્યાને લઈ સરકાર દ્વારા ત્વરિત સહાય આપવાનો નિર્ણય કર્યો અને આવતી કાલે અસરગ્રસ્તો સુધી સહાય પહોંચશે. જેને લઈને વલસાડના સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

વાવાઝોડામાં નવસારીના બે તાલુકાના 32 ગામડાઓ થયા હતા અસરગ્રસ્ત

અઠવાડિયા અગાઉ નવસારીમાં ​આવેલા ભયાનક વાવાઝોડાના કારણે નવસારી જિલ્લાના કુલ 32 ગામડાઓને ગંભીર અસર થઈ હતી. જેમાં ચીખલીના તલાવચોરા અને વાંસદાના સીણધઈ ગામે થોડી મિનીટોમાં જ વાવાઝોડાએ તબાહી ફેલાવી હતી. વાવાઝોડામાં બંને ગામો સહિત જિલ્લાના 32 ગામડાઓમાં અંદાજે 3.5 હજાર મકાનોના પતરા ઉડ્યા હતા અને કેટલાક મકાનોની દીવાલો અથવા આખેઆખા મકાન જ ધરાશાયી થતા લોકોને ખુલ્લા આકાશ નીચે રહેવાનો વારો આવ્યો છે.

સાંસદ ધવલ પટેલે પ્રથમ દિવસથી જ ભાજપી કાર્યકરોની સાથે મહેકાવી સેવાની સુવાસ

વાવાઝોડાની ખબર મળતા જ વલસાડના સંસદ ધવલ પટેલ એક્ટિવ થયા હતા અને એમના મત વિસ્તાર વાંસદા વિધાનસભા ક્ષેત્રના ગામોને મદદ પહોંચાડવાનો પ્રયાસ આરંભ્યો હતો. ખાસ કરીને વાંસદાના ભાજપી આગેવાનો અને કાર્યક્રેઓની મદદથી સીણધઈ ગામના વધુ પ્રભાવિત ત્રણ ફળિયાઓમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ તેમજ પતરા ખુદ નાદુરસ્ત તબિયત હોવા છતાં પહોંચાડ્યા હતા. સાથે જ ​સાંસદ ધવલ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને તાત્કાલિક અસરથી અસરગ્રસ્તોને સંપૂર્ણ સર્વે થાય અને ખેતીના નુકશાનનું પણ યોગ્ય સર્વે કરવામાં આવે અને ત્યારબાદ રાજ્ય સરકાર ત્વરિત સહાય પહોંચાડે એવી વિનંતી કરી હતી. સંસદ ધવલ પટેલના પત્રને સરકારે ગંભીરતાથી ધ્યાને લઈ જિલ્લાના વાવાઝોડાના અસરગ્રસ્તોને અઠવાડિયામાં જ સહાય પહોંચાડવાનો નિર્ણય કર્યો અને આવતી કાલે તેમને સહાય પહોંચશે. ત્યારે સરકારના નિર્ણયને સાંસદ ધવલ પટેલે આવકાર્યો અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ સાંસદ ધવલ પટેલે આ વિકટ પરિસ્થિતિમાં ગ્રામજનોને મદદરૂપ થવા બદલ જિલ્લા સંગઠન તેમજ ખાસ કરીને વાંસદાના કાર્યકર્તાઓની મહેનત અને સેવા ભાવનાનો પણ વિશેષ આભાર માન્યો હતો.

સંકટના સમયે સરકારે સહાય પહોંચાડી પ્રજાલક્ષી સરકારનું આપ્યું ઉદાહરણ

વાવાઝોડાને​ કારણે જ્યારે લોકોના ઘર અને રોજી સમાન ખેતીમાં થયેલા નુકશાનની વેદના સાંભળી ગુજરાત સરકારે આટલા ટૂંકા ગાળામાં રાહત અને સહાય પહોંચાડીને સંકટ સમયે પ્રજાની પડખે ઊભા રહેવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

Continue Reading

કૃષિ

નવસારીના સાતેમ ગામેથી અઢી વર્ષનો માદા દીપડો પાંજરે પુરાયો

Published

on

By

દીપડો પાંજરે પુરાતો ગ્રામજનોને થઈ રાહત

નવસારી: છેલ્લા થોડા દિવસોથી નવસારી જિલ્લાના સાતેમ ગામમાં દીપડાના આંટાફેરાની જાણ થતા નવસારી વન વિભાગની ટીમે ગોઠવેલા પાંજરામાં આજે વહેલી સવારે એક અઢી વર્ષનો માદા દીપડો પુરાતા, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સાતેમ ગામના બંધાર ફળિયામાં ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાયો

નવસારી તાલુકાના સાતેમ ગામના બંધાર ફળિયા સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી દીપડાની અવરજવર વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો હતો. રહેણાંક વિસ્તાર સુધી દીપડો આવી જતા ગ્રામજનોએ તાત્કાલિક નવસારી વન વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોની રજૂઆત મળતા જ વન વિભાગની ટીમે સત્વરે કાર્યવાહી કરી ગામના બંધાર ફળિયામાં ચેતનભાઈના ઘરની પાછળના વાડામાં મારણ સાથે એક પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે શિકારની શોધમાં નીકળેલો એક અઢી વર્ષનો માદા દીપડો પાંજરે પુરાયો હતો.

દીપડાને તબીબી સારવાર બાદ જંગલમાં છોડાશે

સાતેમ ગામે દીપડો પાંજરે પુરાયો હોવાની માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાનો કબ્જો લીધો હતો. વન વિભાગની તપાસમાં પકડાયેલો દીપડો માદા અને અઢી વર્ષનો હોવાનું જણાયું હતું. પકડાયેલા માદા દીપડાની તબીબી તપાસ કરાવ્યા બાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની વન વિભાગે કવાયત હાથ ધરી છે.

Continue Reading
Advertisement

Trending