Connect with us

ડાંગ

શામગહાનની જનતા હાઈસ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો

Published

on

ડાંગ જિલ્લા રોજગાર કચેરી દ્વરા 92 વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન

ડાંગ : ડાંગના આદિવસી વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12 બાદ ક્યા ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી અને તેમના લક્ષ્યને પામવા શું કરવું જોઈએ એ માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા શામગહાનની જનતા હાઈસ્કૂલના 92 વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ડાંગ રોજગાર કેન્દ્રના મોડલ કેરિયર સેન્ટરના કરીયર કાઉન્સિલર ધરતી ગામીત અને કચેરીના યંગ પ્રોફેશનલ જેડ. એફ. રાજ દ્વારા શાળાના ધોરણ 11 અને 12 ના કુલ 92 વિદ્યાર્થીઓને ધોરણ 12 પછીના વિવિધ કેરીયર કોર્ષ અંગેના વિકલ્પો, લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમ યોજના, વોકેશનલ ગાઇડન્સ અને કેરિયર કોર્નર યોજના, સરકારની અનુબંધમ/એન.સી.એસ.  રોજગારલક્ષી પોર્ટલમા નામ નોધણી અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. સાથે જ શાળાના શિક્ષક કૃણાલ સોલંકી દ્વારા રોજગાર અને કારકિર્દીલક્ષી ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા રોજગાર કચેરીના કર્મચારી દ્વ્રારા જિલ્લાના છેવાડાના ગામની શાળાના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવા બદલ શાળાના આચાર્યા મનુ ગાવિતે આભાર વ્યક્ત કર્યો હતો.

ચુંટણી

નવસારીની વસુધારા ડેરીમાં ચેરમેનનો તાજ રાજાભાઈ પટેલના માથે  

Published

on

એક કલાકથી વધુની મથામણ બાદ થયેલી ચુંટણીમાં રાજાભાઈ 10 મતોથી વિજેતા

નવસારી : નવસારીનાં આલીપોર સ્થિત અને દક્ષિણ ગુજરાતની જાણિતી વસુધારા ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ડેરીના 14 ડીરેક્ટરોએ કરેલા મતદાનમાં ભાજપી કિશોર પટેલને રાજાભાઈ પટેલે 10 મતોથી પછડાટ આપી જીત પોતાને નામે કરી હતી. જયારે વાઈસ ચેરમેન પદ પર સીતાબેન જાધવે બાજી મારી હતી.

પ્રાંત અધિકારીએ ચુંટણી પ્રક્રિયા શરૂ કરતા જ થયો હતો વિવાદ

નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે આર્થિક સદ્ધરતાનું પર્યાય બનેલી નવસારીનાં આલીપોર સ્થિત વસુધારા ડેરી ડીરેક્ટરોની ચુંટણી બાદ 5 જાન્યુઆરી, સોમવારે બપોરે 12:૩૦ વાગ્યે ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. વસુધારા ડેરીનું સુકાન ભાજપી કિશોર પટેલને મળે એનો તખ્તો ગોઠવાયો હતો. પરંતુ સામે ગણદેવીની સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ડેરીનાં ડીરેક્ટર રાજેશ ઉર્ફે રાજાભાઈ પટેલ પણ ચેરમેનની ચુંટણી લડવા મેદાને હતા. ચીખલી પ્રાંત આધિકારી ચુંટણી પ્રક્રિયા માટે પહોંચ્યા, તો ભાજપી કિશોર પટેલની ચેરમેન પદની દાવેદારી સામે રાજાભાઈએ પણ ઉમેદવારી કરતા થોડી મિનીટ માટે વાતાવરણમાં ગરમાટો આવી ગયો હતો. પ્રાંત અધિકારીએ મતદાનની શરૂઆત કરાવતા જ બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેથી પ્રાંત અધિકારીએ બંને પક્ષોને થોડો સમય આપ્યો અને લગભગ 1 થી સવા કલાક બાદ ચુંટણી શરૂ કરવામાં આવી હતી. જેમાં ડેરીના 14 ડીરેક્ટરોએ કરેલા મતદાનમાં ભાજપી કિશોર પટેલને ફક્ત 4 મતો મળ્યા હતા. જયારે રાજેશ ઉર્ફે રાજાભાઈ પટેલને 10 મતો મળતા, તેમનો ભવ્ય વિજય થયો હતો. એજ રીતે વાઈસ ચેરમેન પદ માટે ભાજપના કલ્પના ભીંસરાને સીતા જાધવે 9 મતોથી પછડાટ આપી જીત પોતાના નામે કરી હતી.

Continue Reading

અપરાધ

પ્રાણીઓના સંરક્ષણ માટે બનાવાયેલ વાંસદા નેશનલ પાર્કમાં જ વન્ય પ્રાણીઓ સુરક્ષિત નથી..!!

Published

on

By

વાંસદા નેશનલ પાર્કમાં ચૌશીંગાનો શિકાર કરનારા પાંચ શિકારી ઝડપાયા

નવસારી : વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે નવસારી અને ડાંગ જિલ્લાની સરહદ ઉપર નિર્માણ પામે વાંસદા નેશનલ પાર્કમાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત ન હોવાની ઘટના સામે આવી છે. બે દિવસ અગાઉ વઘઈના પાંચ શિકારીઓએ વાંસદા નેશનલ પાર્કમાં પ્રવેશ કરીને ચૌશિંગા હરણનો બ્રીડિંગ સેન્ટરમાંથી શિકાર કર્યો હતો. આરોપીઓ સીસીટીવી કેમેરા ઝડપાઈ જતા ડાંગ દક્ષિણ વન વિભાગે પાંચેય શિકારીઓની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે.

બ્રીડિંગ સેન્ટરના સીસીટીવીમાં શિકારીઓ ઝડપાતા વન વિભાગે કરી કાર્યવાહી

મળતી માહિતી અનુસાર, નવસારીનું વાંસદા તેમજ તેને અડીને આવેલો ડાંગ જિલ્લો પર્વતીય વિસ્તાર હોવા સાથે જંગલથી ભરેલો છે. અહીં વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હોવાથી તેમના રક્ષણ માટે વન વિભાગ સતત પ્રયત્નશીલ રહે છે. સરકાર દ્વારા નવસારીના વાંસદાના નવતાડથી ડાંગના વઘઈ સુધીના વિસ્તારમાં વાંસદા નેશનલ પાર્ક બનાવ્યું છે. જેમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓ તેમજ ચૌશિંગા અને ટપકાવાળા હરણો સહિત અન્ય વન્ય પ્રાણીઓને સંરક્ષણ મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ હરણ માટેનું બ્રિડીંગ સેન્ટર પર સ્થાપવામાં આવ્યું છે. પરંતુ આ નેશનલ પાર્ક વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત ન હોય એવી ઘટના ગત 5, ઓગસ્ટ 2024 ના રોજ નેશનલ પાર્કના હરણના બ્રિડીંગ સેન્ટરનો ગેટ તોડી કેટલાક શિકારીઓએ હરણનો શિકાર કર્યો હતો. બીજા દિવસે વન વિભાગના કર્મચારીઓને બ્રિંડીંગ સેન્ટરનો ગેટ તૂટેલો જોઈ કંઈક અજુગતું બન્યું હોવાની આશંકા થઈ હતી. જેથી વન વિભાગે તપાસ આરંભી અને બ્રિડીંગ સેન્ટરમાં મુકેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસતા તેમાં કેટલાક લોકો હરણના બચ્ચાનો શિકાર કરી લઈ જતા જણાયા હતા. શિકારીઓનું પગેરૂ શોધતા વન વિભાગ, ડાંગના વઘઈ તાલુકાના ડુંગરડા ગામના 5 શિકારીઓ વિક્રમ નગીન ચૌધરી, દિલીપ જુલિયા ચૌધરી, રેવજી માધુ ચૌધરી, જમના જનતા ચૌધરી અને મહેન્દ્ર બચુ ચૌધરી સુધી પહોંચ્યું હતુ. વન વિભાગે પાંચેય શિકારીઓની ધરપકડ કરી, તપાસને વેગ આપતા હજુ અન્ય ઈસમો પણ શિકારની ઘટનામાં સામેલ હોવાનું ખુલ્યું છે. જોકે વન વિભાગે પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર થતા પોલીસે પૂછપરછ સાથે તપાસને વેગ આપ્યો છે. જ્યારે બે આરોપીઓને જયુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

Continue Reading

આરોગ્ય

ડાંગના પિંપરી અને જામલાપાડા ગામે 1.64 કરોડના ખર્ચે બનશે પશુ ઉત્પાદન કેન્દ્ર

Published

on

By

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે થયુ ભૂમિપૂજન

ડાંગ : આદિવાસી બાહુલ્ય અને કુદરતી સંપદાઓથી ભરપુર એવા ડાંગ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે, ત્યારે ડાંગના આહવાના ગામડાઓમાં પશુઓની સારવારની ચિંતા ન રહે એ હેતૂથી તાલુકાના પિંપરી અને જામલાપાડા ગામે કુલ 1.64 કરોડના ખર્ચે બનનારા પશુ ઉત્પાદન કેન્દ્ર (પશુ દવાખાના) નું ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ.

પિંપરીમાં 88.31 લાખ અને જામલાપાડામાં 76.15 લાખના ખર્ચે બનશે પશુ દવાખાનું

ડાંગ જિલ્લામાં મોટાભાગના લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે. પરંતુ પશુઓને કોઈ બીમારી અથવા રોગ લાગુ પડે તો ગરીબ આદિવાસીઓને દૂરના ગામડાઓમાં પશુને સારવાર અર્થે લઇ જવા પડે છે. પરંતુ સરકાર દ્વારા આદિવાસીઓની આ સમસ્યાને ઓળખી ગામમાં કે નજીકના ગામમાં જ પશુઓને સારવાર મળી રહે એ માટે પશુ દવાખાના બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ડાંગના આહવા તાલુકાના પિંપરી ગામે 88.31 લાખ રૂપિયા અને જામલાપાડા ગામે 76.15 લાખ રૂપિયાના ખર્ચે બે પશુ ઉત્પાદન કેન્દ્ર (પશુ દવાખાના) બનાવામાં આવશે. જેનું આજે ડાંગના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે તેમજ ડાંગના ભાજપી આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.

ગુજરાતમાં બે દાયકામાં આદિજાતી સમાજના ઉત્કર્ષ માટે ચાર ગણા બજેટની ફાળવણી – વિજય પટેલ

આ પ્રસંગે ધારાસભ્ય વિજય પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૫૩ તાલુકાઓ આદિજાતિ જનસંખ્યા ધરાવે છે. વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની કુલ 6 કરોડની વસ્તી સામે, રાજ્યના આદિજાતિ સમાજની વસ્તી 14.75 ટકા એટલે કે 87.17 લાખ થવા જાય છે. ત્યારે શરૂઆતથી જ ભાજપા સરકારે આદિવાસીઓની ચિંતા કરી છે, જેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ છેવાડાના માનવીની વેદના સમજીને, તેમની જરૂરિયાતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. જેના ફળ સ્વરૂપ આજ દિન સુધીના બે દાયકામાં, આદિજાતિ સમાજના ઉત્કર્ષ માટે ચાર ગણા ઉપરાંત બજેટ ફાળવણી સાથે, આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસના ભાગીરથ પ્રયાસો હાથ ધરાયા છે.

Continue Reading
Advertisement

Trending