Connect with us

ગુજરાત

નવસારી જિલ્લાના 237 ગામડાઓમાં 3055 આવાસોનું પ્રધાનમંત્રીએ કર્યું ઈ-લોકાર્પણ

Published

on

નવસારીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 6 વર્ષોમાં 18 હજારથી વધુ આવાસો ફાળવાયા

નવસારી : લોકસભા ચુંટણીનું વર્ષ છે અને સરકાર દ્વારા ચુંટણી પૂર્વે અવનવા પ્રોજેક્ટના ખાતમુર્હત અને લોકાર્પણના કાર્યક્રમ યોજવામાં આવે છે, ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એકી સાથે 1.31 લાખથી વધુ આવાસોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યુ હતું. જેમાં નવસારી જિલ્લામાં પણ જિલ્લાની 4 વિધાનસભામાં 3055 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસાથી વર્ચ્યુઅલિ જોડાયા

કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને છેવાડાના માનવીઓ માટે વિવિધ આવાસ યોજના અમલી બનાવી છે. જેમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેર અને ગામડાઓમાં આવાસ ફાળવવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને આવાસ સાથે શૌચાલય, બાથરૂમ અને મજૂરીની સહાય અલગથી ચુકવવામાં આવતી હોય છે. જેથી આર્થિક સંકડામણમાં પણ માણસ પોતાનાં સપનાનું ઘર બનાવી એમાં હસી ખુશી રહી શકે. ત્યારે ગુજરાતમાં આજે ઐતિહાસિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાતની 182 વિધાનસભા બેઠકોના તમામ તાલુકાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા આવાસો તેમજ મંજૂરી મળેલ આવાસોનું ઈ-લોકાર્પણ સાથે ઈ-ખાતમુર્હત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલિ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતુ. નવસારી જિલ્લામાં આવતી 4 વિધાનસભા બેઠકો પર પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 237 ગામડાઓમાં 305 આવાસોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈએ આવાસ લોકાર્પણ અને ખાતમુર્હત કાર્યક્રમને ગુજરાત માટે ઐતિહાસિક ઠરાવ્યો હતો. કારણ એક સાથે 2,993 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર રાજ્યમાં 1.31 લાખથી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમુર્હત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ડીજીટલી કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાભાર્થી સાથે વાત પણ કરી હતી. આ વર્ષના બજેટમાં ગરીબ સ્વાભિમાનથી રહી શકે એ હેતૂથી આવાસ યોજનામાં 87 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવા માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

વાંસદા વિધાનસભામાં સૌથી વધુ 1856 આવાસનું લોકાર્પણ, જયારે જયારે 6 વર્ષોમાં 11,843 આવાસ ફાળવાયા

નવસારી જિલ્લાની 4 વિધાનસભા અંતર્ગત 6 તાલુકાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 3055 આવાસોનું આજે ઈ-લોકાર્પણ અને ભૂમિપૂજન થયુ હતુ. જેમાં જલાલપોર વિધાનસભામાં કુલ 350 આવાસ, નવસારી વિધાનસભામાં કુલ 246 આવાસ, ગણદેવી વિધાનસભામાં 603 આવાસ અને સૌથી વધુ વાંસદા વિધાનસભામાં 1856 આવાસોનું ઈ-લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જયારે છેલ્લા 6 વર્ષોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવસારી જિલ્લાની જલાલપોર વિધાનસભામાં 2010 આવાસો, નવસારી વિધાનસભામાં 1400 આવાસ, ગણદેવી વિધાનસભામાં 3582 આવાસો અને સૌથી વધુ 11,843 આવાસો વાંસદા વિધાનસભામાં ફાળવવામાં આવ્યા હતા.

ગુજરાત

‘ખજૂરભાઈ’ નીતિન જાની 2027માં ચૂંટણી લડશે!

Published

on

By

રાજુલાના ખાનગી કાર્યક્રમમાં યુવાનોને રાજકારણમાં ઉતરવાની કરી હાંકલ

બારડોલી : સોશ્યલ મીડિયામાં ખજૂર – જીગલીના કૉમેડી વીડિયો થકી લોકપ્રિય અને ગરીબોના ઘરો બનાવનાર સામાજિક કાર્યકર નીતિન જાની ઉર્ફે ‘ખજૂરભાઈ’ એ સક્રિય રાજકારણમાં ઝંપલાવવાનો વિચાર કરી, આગામી વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.

કયા પક્ષ સાથે જોડાશે એ નક્કી નહીં, પણ ચૂંટણી લડવા મક્કમ!

સોશ્યલ મીડિયામાં કૉમેડી વીડિયો થકી નામના મેળવનાર મૂળ બારડોલીના નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ એ રાજુલાના ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાજકારણથી દૂર રહેવાને બદલે સક્રિય રીતે જોડાઈ, તેને નવી દિશા આપવા માટે હાંકલ કરી છે. જ્યાં યુવાનોના સવાલના જવાબમાં પોતે પણ 2027 ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં ‘ખજૂરભાઈ’ ના રાજકારણમાં પ્રવેશની વાત ચર્ચાએ ચઢી છે. જોકે, નીતિન જાનીએ હાલમાં કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ 2027 ની ચૂંટણી લડવા માટે તેઓ મક્કમ છે.

પાવર વિના 374 ઘર બનાવ્યા, સત્તા મળશે તો સંખ્યા વધશે

નીતિન જાનીએ અત્યાર સુધીમાં પોતાના કૉમેડી વીડિયો અને સામાજિક કાર્ય થકી કોઈ પણ સરકારી પાવર વિના 374 જેટલા જરૂરિયાતમંદ પરિવારો માટે પાકાં ઘરો બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે, જો તેઓ ચૂંટણી લડીને સત્તામાં આવશે તો લોકો માટે ધાબાવાળા પાકાં ઘરો બનાવવાની સંખ્યામાં વધારો કરી શકશે. એટલું જ નહીં, તેમની ઈચ્છા ગુજરાતની ગૌશાળાઓને પણ ધાબાવાળી બનાવવાની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આઈડિયોલોજીથી પ્રભાવિત છે ખજૂરભાઈ

હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈનો જન્મ સુરતમાં થયો અને હાલ તેઓ સરદાર પટેલની ભૂમિ બારડોલીમાં રહે છે. જેથી જન્મથી જ સરદાર પટેલ તેમના હીરો રહ્યા છે. જોકે વર્તમાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપધ્ધતિથી તેઓ પ્રભાવિત છે અને વર્ષોથી તેમને પોતાના આઇડલ માને છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ તેમના સમાજસેવાના કાર્યની સરાહના પણ કરી હતી. ત્યારે આગામી સમયમાં તેઓ કયા પક્ષ સાથે જોડાઈને રાજકીય સફર શરૂ કરે છે, એ જોવું રહ્યું.

Continue Reading

ગુજરાત

વાંસદા વાવાઝોડુ : સાંસદ ધવલ પટેલની રજૂઆત ફળી!

Published

on

By

સીણધઈના અસરગ્રસ્તોને એક અઠવાડિયામાં 30.86 લાખ રૂપિયાની સહાય સીધી બેન્ક ખાતામાં ચૂકવાઈ

નવસારી : ​નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ગત 27 સપ્ટેમ્બરની રાત્રે ત્રાટકેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. ખાસ કરીને સીણધઈ ગામના ત્રણ ફળિયામાં 160 થી વધુ મકાનોને મોટું નુકસાન થતાં અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે સાંસદ ધવલ પટેલની રજૂઆતોને ધ્યાને લઈ ગુજરાત સરકારે અઠવાડિયામાં જ કુલ 30.86 લાખ રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં જમા થતા લોકોએ સરકારનો આભાર માન્યો હતો.

​તાત્કાલિક પગલાં અને સહાયનો ધોધ

વાંસદા તાલુકાના સીણધઈ ગામમ કુદરતી આફતની જાણ થતાં જ ભાજપના આગેવાનો, કાર્યકરો, અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો તુરંત સીણધઈ ગામે પહોંચી હતી. જેમના દ્વારા રસ્તા પર પડેલા ઝાડવાઓ અને વીજ થાંભલાઓને તાત્કાલિક ધોરણે ખુલ્લા કરવા અને અસરગ્રસ્તોને પ્રાથમિક રાહત આપવાના પ્રયાસો શરૂ કરાયા હતા. વલસાડના સાંસદ ધવલ પટેલે પોતે સ્થળ પર પહોંચી 700 પતરાં અને જીવન જરૂરિયાતની કીટ અસરગ્રસ્તોને પહોંચાડી હતી. આ સાથે તેમણે નુકસાનીનું તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તે માટે ગુજરાત સરકાર સમક્ષ મકાનો, કૃષિ અને પશુપાલન મુદ્દે રજૂઆત કરી હતી. જેને ગુજરાત સરકારે ​ધ્યાને લઈ ગુજરાત સરકારે ઝડપી કાર્યવાહી કરી, વાવાઝોડાના એક જ અઠવાડિયામાં વાંસદાના સીણધઈ ગામના અસરગ્રસ્તોને કુલ 30.86 લાખ રૂપિયાની માતબર સહાયની રકમ સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ ઝડપી અને સીધી સહાય બદલ અસરગ્રસ્તોએ સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. ​આ ઉપરાંત, કૃષિ અને પશુધનને થયેલા નુકસાનનો સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, જેની સહાય પણ ટૂંક સમયમાં ચૂકવાશે.

​આપત્તિમાં રાજકારણ?

​બીજી તરફ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ મુદ્દે કરાયેલા આંદોલનને ભાજપના આગેવાનોએ વખોડી કાઢ્યું છે. તેમણે કહ્યું કે કુદરતી આફતના સમયે રાજકીય અવસર શોધવાને બદલે વિપક્ષે આદિવાસી સમાજની પડખે ઊભા રહેવું જોઈએ અને સાંસદ ધવલ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર બંધ કરવું જોઈએ. ​સમગ્ર ઘટનાક્રમમાં, સરકારી તંત્ર અને સાંસદ ધવલ પટેલના ત્વરિત પગલાંથી વાંસદાના અસરગ્રસ્તોને સમયસર મોટી રાહત મળી છે.

Continue Reading

ગુજરાત

નવસારીના વાંસદામાં વાવાઝોડાના અસરગ્રસ્તોને સહાય માટે કોંગ્રેસ મેદાને

Published

on

By

કોંગી ધારાસભ્યની આગેવાનીમાં રેલી કાઢી 5 લાખની સહાયની માંગ સાથે TDO કચેરીએ ધરણાં કર્યા

નવસારી : નવસારી જિલ્લામાં એક અઠવાડિયા પહેલા આવેલા ભયાનક વાવાઝોડાના કારણે વાંસદા તાલુકાના સીણધઈ ગામ સહિત અન્ય ગામોમાં ઘણા ઘરોને નુકશાન થયું હતું. પરંતુ અઠવાડિયું વિતવા છતાં સરકાર અસરગ્રસ્તોને હજી સુધી સહાય આપવામાં આવી નથી. જેને કારણે કોંગ્રેસે સરકાર સામે રોષ સાથે આજે વાંસદાના વાવાઝોડાથી અસરગ્રસ્તોમાં ઘર ગુમાવનારાઓને 5 લાખની સહાયની માંગ સાથે રેલી કાઢી તાલુકા સેવા સદન બહાર ધરણા પ્રદર્શન કર્યુ હતુ.

કોંગ્રેસે સહાય આપવાના સરકારી નિયમો પર ઉઠાવ્યા સવાલ

નવસારીમાં તોફાની વાવાઝોડામાં વાંસદા તાલુકાના સીણધઈ ગામના ત્રણ ફળિયાઓ અને અન્ય અસરગ્રસ્ત ગામોના અસરગ્રસ્તોની વિકટ સ્થિતિ બની છે. પ્રારંભિક તબક્કે લોકોને સેવાભાવી સંસ્થાઓએ સહાય કીટ પહોંચાડી, પરંતુ હજુ સુધી સરકારે સહાય આપી નથી. જેમાં પણ સરકારને સ્થાનિક તંત્રએ સર્વે કરી ફક્ત 30 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર હોવાનો રિપોર્ટ કર્યો હતો. જેમાં સરકારી નિયમો સામે જ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ નિયમોમાં ‘નવથી ઓછા પતરાં હોય તો સહાય નહીં’ અને ‘સરકારી આવાસને સહાય નહીં મળે’ જેવા નિયંત્રણો છે, જે ગરીબ આદિવાસી અસરગ્રસ્તોને સહાયથી વંચિત રાખશે. જેથી વાંસદા કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ દરેક નુકસાનગ્રસ્ત ઘરને 5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે. જેમાં પણ તાલુકા વિકાસ અધિકારી કચેરીએ નહીં મળતા કોંગ્રેસીઓએ કચેરીના પ્રાંગણમાં ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો.

ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી અને ધરણાં

સરકારના આ નિયમોનો વિરોધ કરવા માટે આજે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને લોકોએ વાંસદા સર્કિટ હાઉસથી રેલી કાઢી તાલુકા સેવાસદન ખાતે પહોંચ્યા હતા. જોકે, તાલુકા સેવાસદન ખાતે તાલુકા વિકાસ અધિકારી (TDO) હાજર ન મળતા, ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં તમામ આગેવાનો અને અસરગ્રસ્તો ધરણાં પર બેસી ગયા હતા. જ્યાં કોંગ્રેસ દ્વારા સરકાર દરેક નુકસાનગ્રસ્ત ઘરને 5 લાખની સહાય ચૂકવે તેવી દૃઢ માંગણી કરવામાં આવી રહી છે.

સહાય જમા થવાના દાવા સામે કોંગી ધારાસભ્યના સવાલો

બીજી તરફ, વલસાડના સાંસદ ધવલ પટેલે જાહેરાત કરી છે કે સરકાર દ્વારા સહાયની રકમ આજે જ લોકોના ખાતામાં પહોંચી જશે. સાંસદના આ દાવા સામે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી દરેક અસરગ્રસ્તને પૂરતી અને યોગ્ય સહાય નહીં મળે, ત્યાં સુધી તેઓ આ મામલે લડત ચાલુ રાખશે.

Continue Reading
Advertisement

Trending