Connect with us

ગુજરાત

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન વિશાળ ક્રેન સરકી જતા પડી, 2 ઘાયલ

Published

on

ક્રેન અકસ્માતમાં રેલ વ્યવહાર થયો પ્રભાવિત, 25 ટ્રેનો રદ્દ કરાઈ

નવસારી : અમદાવાદના વટવા નજીક રોપડા બ્રિજ પાસે ચાલતી બુલેટ ટ્રેનના પીલરની કામગીરી દરમિયાન એક વિશાળકાય ક્રેન સરકવાને કારણે પડી હતી. ક્રેન અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા. જ્યારે પશ્ચિમ રેલ્વેનો ઓવરહેડ વાયર પણ તૂટી જવાને કારણે 25 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

બુલેટ ટ્રેનના ગર્ડર મુકી, પરત લેતી વખતે વિશાળ ક્રેન સરકી નીચે પડતા સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી ભારતની પહેલી બુલેટ ટ્રેનને લઈ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પણ બુલેટ ગતિએ આગળ વધી રહી છે. ત્યારે ગત રાતે અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ રોપડા રેલ્વે બ્રિજ નજીક બુલેટ ટ્રેનના પીલર ઉપર ગર્ડર મુકવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે મોડી રાતે 11 વાગ્યાના સુમારે સેગમેન્ટલ લોન્ચિંગ ગ્રેન્ટ્રી (વિશાળ ક્રેન) કોન્ક્રીન્ટનું ગર્ડર મુકીને પરત ફરી રહી હતી. દરમિયાન અકસ્માતે વિશાળ ક્રેન તેની જગ્યાએથી સરકી જતા નીચે જમીન ઉપર પડી અને તેનો ઉપરનો ભાગ બુલેટ ટ્રેનના પીલર ઉપર પડ્યો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે હાજર બે લોકો ઘાયલ થતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં પશ્ચિમ રેલ્વે લાઇનનો ઓવરહેડ વાયર પણ તૂટી જતા રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટના સ્થળે પહોંચતા સ્થિતિ યથાયોગ્ય કરવાનો પ્રયાસ આરંભ્યો હતો. જેમાં વિશાળ કાય ક્રેનને ઉંચકવા માટે 3 રોડ ક્રેન્સ મોડી રાતે જ બોલાવી લેવામાં આવી હતી. પરંતુ સવાર સુધીમાં પણ ક્રેન સીધી થઈ શકી ન હતી.

વટવામાં ક્રેન અકસ્માતે તૂટી પડતા, 25 ટ્રેનો રદ્દ, 11 ટ્રેનોને ડાયવર્ટ અથવા રિશિડયુલ કરાઈ

વટવામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પડેલી વિશાળ ક્રેનને કારણે પશ્ચિમ રેલ્વેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. પશ્ચિમ રેલ્વેનો ઓવર હેડ વાયર તૂટી જતા મોડી રાતથી અમદાવાદ, વડોદરા, વલસાડ સુધીની અનેક ટ્રેનો પ્રભાવિત થઈ છે. જેમાં 25 ટ્રેન આજે રદ્દ કરી દેવામાં આવી છે. જ્યારે 5 ટ્રેનના રૂટને બદલી નવા રૂટથી ચલાવવામાં આવી રહી છે તેમજ 6 ટ્રેનોના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. અમદાવાદથી મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર અવરોધિત થતા આજે સવારથી અનેક મુસાફરો અટવાયા હતા. ખાસ કરીને રોજિંદા અપ ડાઉન કરતા નોકરિયાતોને ST બસ કે ખાનગી વાહનોનો સહારો લેવા પડ્યો હતો.

અપરાધ

વાંસદાના ચાપલધરા ગામેથી હાઈબ્રિડ ગાંજા અને ઝોમ્બી ઈ સિગારેટ સાથે બે ઝડપાયા

Published

on

By

ઝોમ્બી ઈ સિગારેટ પકડવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો

નવસારી : નવસારીના ચાપલધરા ગામે હાઈબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમે ગત રોજ છાપો મારી બેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 28.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

SMC પોલીસે વાપીના આતિફને વોન્ટેડ જાહેર કર્યો

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતો મિલન ધનગર હાઈબ્રિડ ગાંજાનું વેચાણ કરે છે. જેને આધારે ગત રોજ SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમે ચાપલધરા ગામના વચલા ફળિયા, અંબા માતાજી મંદિર પાછળ રહેતા મિલન ધનગરના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસને મિલન પાસેથી 8 લાખ રૂપિયાનો 80 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે જ ગાંજાના સક્રિય ઘટકની હાજરીવાળી (THC) 20 લાખ રૂપિયાની 20 ઈ સિગારેટ પણ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મિલન સાથે તેના સાથીદાર તન્મયકુમાર પટેલની ધરપકડ કરી હતી. આરોપી મિલનની પૂછપરછમાં હાઈબ્રિડ ગાંજો તેને વાપીના આતિફે પહોંચાડી હતી. જેથી પોલીસે આતિફને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઝોમ્બી ઈ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી હાઈબ્રિડ ગાંજો, ઈ સિગારેટ અને મોબાઈલ ફોન મળી કુલ 28.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે SMC પોલીસ મથકે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (NDPS) અને ધી પ્રોહીબિશન એક્ટ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, ગાંજાના સક્રિય ઘટક ધરાવતી ઝોમ્બી ઈ સિગારેટ પકડાયાનો આ ગુજરાતનો પ્રથમ ગુનો છે.

Continue Reading

ગુજરાત

ED સામેના કોંગ્રેસના વિરોધને ભાજપે વખોડી, સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ

Published

on

By

નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં રાહુલ – સોનિયા ગાંધી સામે ED એ ચાર્જશીટમાં લગાવ્યા આરોપ

નવસારી : નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં ED દ્વારા ચાર્જશીટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ઉપર આરોપ મઢતા, કોંગ્રેસે ષડયંત્રના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે કરેલા વિરોધને ભાજપે વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. નવસારી જિલ્લા ભાજપ યુવા મોર્ચાએ પણ શહેરના જુનાથાણા સર્કલ પાસે કોંગ્રેસના વિરોધને ખોટો ગણાવી, તેની સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહયોગ કરવો જોઈએ – ભાજપ

નેશનલ હેરાલ્ડ કૌભાંડ પ્રકરણમાં ED દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે આરોપ મઢેલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે આગામી 25 એપ્રિલે સુનવણી આપી છે. ED એ સોનિયા અને રાહુલ ગાંધી સામે આરોપ મઢતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ બની છે, કોંગ્રેસે ઉગ્રતાથી સમગ્ર પ્રકરણમાં બદલાની ભાવનાથી કાર્યવાહી થતી હોવાના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેની સામે ભાજપે પણ ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખો સૂર સાથે કોંગ્રેસના વિરોધને વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં નવસારી જિલ્લા યુવા મોર્ચાએ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની આગેવાનીમાં નવસારી શહેરના જુનાથાણા સર્કલ પાસે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી, વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહકાર આપવો જોઈએની વાત કરી કોંગ્રેસના વિરોધને વખોડી કાઢ્યો હતો.

 

Continue Reading

ગુજરાત

બીલીમોરાના વાલ્મિકી વાસમાં DGVCL ના સ્માર્ટ મીટરનો વિરોધ

Published

on

By

DGVCL દ્વારા જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવવામાં આવતા હોવાના આક્ષેપો

નવસારી : દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નવસારી જિલ્લાના ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ ગ્રાહકોની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. નવસારીના ઘેલખડીમાં વિરોધ થયા બાદ બીલીમોરા શહેરના વાલ્મિકી વાસમાં પણ જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવતા વીજ કંપનીના કર્મચારીઓનો સ્થાનિકોએ વિરોધ કરી કામગીરી અટકાવી હતી.

બીલીમોરા શહેરમાં અંદાજે 1500 સ્માર્ટ મીટર લાગી ગયા

ડિજીટલ યુગમાં દરેક વસ્તુઓ સ્માર્ટ થઈ રહી છે. જેમાં સરકારો પણ સ્માર્ટ થવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે ગુજરાત સરકાર હસ્તકની વીજ કંપનીઓ દ્વારા બીલની ઝંઝટમાંથી બહાર નીકળવા અને વીજ વપરાશ ઘટાડવા માટે ડીજીટલ એટલે કે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. જેમાં સ્માર્ટ મીટરમાં વધારે યુનિટ ફરી જતા ગ્રાહકોને બે મહિનાના બીલના રૂપિયા થોડા દિવસોમાં જ વપરાય જતા હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન છેલ્લા થોડા દિવસોથી નવસારી જિલ્લામાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. જેમાં ગત રોજ નવસારી શહેરના ઘેલખડી વિસ્તારમાં આવેલ ચોકલેટ હાઉસિંગ સોસાયટીમાં જબરદસ્તી લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર દૂર કરવાની સ્થાનિકોએ માંગ કરી હતી. ત્યારે આજે બીલીમોરા શહેરના વાલ્મિકી વાસમાં પણ DGVCL ના અધિકારીઓ કર્મચારીઓએ કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના જબરદસ્તીથી ગ્રાહકોના જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટર લગાવી દીધાના આક્ષેપો સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં DGVCL ના અધિકારીઓ અને કર્મીઓ સાથે સ્થાનિકોની ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને લોકોએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને અટકાવી દીધી હતી. સાથે જ વાલ્મિકી વાસના જે 15 થી 20 ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા એને પણ કાઢી લેવાની માંગ કરી હતી. જોકે DGVCL ના અધિકારીએ તેમની પાસે સ્માર્ટ મીટર લગાવવા ભારત સરકારનો રાજપત્ર હોવાની વાત કરી, દરેક ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર લગાવવા તૈયારી દર્શાવી હતી. જયારે બીલીમોરા શહેરમાં અત્યાર સુધીમાં અંદાજે 1500 ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા હોવાની માહિતી આપી હતી. પરંતુ લોકોના વિરોધને પગલે હાલ વીજ કંપનીના અધિકારીઓ કર્મચારીઓએ પણ કામગીરી રોકવાની ફરજ પડી હતી.

 

Continue Reading
Advertisement

Trending