Connect with us

મારું ગામ

પંચાયત ઘર એ ગામનું હૃદય છે – રમણલાલ પાટકર

Published

on

માલખેત ગામે ગ્રામ પંચાયતના નવા મકાનનુ થયુ ભૂમિપૂજન

વલસાડ : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માલખેત ગામે રૂા. ૧૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા ગ્રામ પંચાયતના નવા મકાનનું ભૂમિપૂજન વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્‍તે કરાયું હતું.

??? ??????????????? ????????????????????? ???????????????

આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, પંચાયત ઘર એ ગામનું હૃદય છે, જેનું મકાન સારું ગુણવત્તાયુક્‍ત બને અને તેની યોગ્‍ય જાળવણી કરવાની જવાબદારી ગ્રામજનોની છે. ગ્રામ પંચાયતનું નવું મકાન બનતાં ગ્રામજનોને મળતી સુવિધાઓમાં પણ વધારો થશે. ખતલવાડાથી માલખેત જતો રસ્‍તો એક કરોડના ખર્ચે નવો બનશે, આ ઉપરાંત અન્‍ય સાંકડા રસ્‍તાઓને પહોળા બનાવવાનું આયોજન પણ કરાયું છે. આ કામગીરીમાં ગ્રામજનોના સહકારને અપેક્ષા તેમણે વ્‍યક્‍ત કરી હતી. ખેડૂતો માટે રાજ્‍ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેનો સંબંધિતોને લાભ લેવા જણાવી અતિવૃષ્‍ટિથી પ્રભાવિત ખેડૂતો લાભ લેવા માટે ૧૪મી જાન્‍યુઆરી સુધીમાં અરજી કરવા જણાવ્‍યું હતું. વિધવા પેન્‍શન વૃદ્ધ પેન્‍શન સહિત જરૂરિયાતમંદ લોકોને સ્‍પર્શતી દરેક યોજનાઓનો લાભ અપાવવા ગ્રામ અગ્રણી તેમજ સરપંચને પૂરતો સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

માલખેત સરપંચ મહેશ બસીયાએ ગામમાં થયેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપી ગામના વિકાસમાં સહભાગી સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. માલખેત પ્રાથામિક શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્‍વાગત ગીત રજૂ કર્યાં હતાં.

આ અવસરે એફ. સી. આઇ. ના સભ્‍ય હિતેશ સુરતી, તાલુકા પંચાયત સભ્‍ય વૈશાલીબેન, અગ્રણી પપ્‍પુ  તિવારી, મુકેશ પટેલ, કનુ સોનપાલ, પંચાયત સભ્‍યો તથા ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ

નવસારીના નાગધરા ગામેથી કદ્દાવર દીપડો પાંજરે પુરાયો

Published

on

By

નાગધરા ગામે થોડા સમયમાં મરઘાનું મારણ કરતા દીપડાથી ગ્રામજનોમાં હતો ભય

નવસારી : નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો છે. જેમાં નાગધરા ગામે છેલ્લાં થોડા સમયમાં દીપડો મરઘા સાથે પાલતુ પ્રાણીઓને શિકાર બનાવતા ગામમાં ભયનો માહોલ હતો. દરમિયાન વન વિભાગે ગોઠવેલા પાંજરામાં સોમવારે મળસ્કે એક કદ્દાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

નવસારી વન વિભાગે દીપડાનો કબ્જો લઈ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી

નવસારી તાલુકાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં લાંબા સમયથી દીપડાના આંટાફેરા વધ્યા હતા. જેમાં પણ શેરડીના ખેતરોમાં કાપણી થતા દિપડાઓ ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં લટાર મારતા દેખાયા હતા. જેમાં પણ પાલતુ પ્રાણીઓ શ્વાન, ઢોર કે મરઘાનો શિકાર કરી, દિપડાઓ નદીઓની કોતર વિસ્તારમાં રહેતા થયા છે. ત્યારે નવસારીના નાગધરા ગામે પણ છેલ્લા થોડા દિવસોમાં મરઘાના મારણ કરતા દીપડાથી ગ્રામજનોમાં દહેશતનો માહોલ હતો. જેથી ગ્રામજનોએ સરપંચને જાણ કરતા, સરપંચે નવસારી સામાજિક વનીકરણ વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગ દ્વારા નાગધરાના કાતું પટેલના વાડામાં મરઘાના મારણ સાથે પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં સોમવારે મળસ્કે સાડા ત્રણ વર્ષનો એક કદ્દાવાર દીપડો શિકારની લાલચમાં પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળીને ગ્રામજનો ભેગા થયા હતા અને વન વિભાગને દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ નાગધરા ગામે પહોંચી, દીપડાનો કબ્જો લઈ, તેની આરોગ્ય તપાસ કરાવી, ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.

Continue Reading

ગુજરાત

ચીખલીના હરણ ગામના ઉપસરપંચે 100 કાર્યકરો સાથે કોંગ્રેસનો હાથ ઝાલ્યો

Published

on

By

ચુંટણી આવતા જ જોડતોડની રાજનીતિ શરૂ

નવસારી : ચુંટણી આવતા જ રાજકીય પક્ષો જોડતોડની રાજનીતિમાં પણ સક્રિય થઈને પોતાની બાજુ મજબૂત કરવાનો પ્રયાસ કરે છે. જેમાં કોંગ્રેસે ચીખલીના હરણ ગામના ભાજપી ઉપસરપંચને 100 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડવાનો દાવો કર્યો છે, જેની સાથે જ ઉપસરપંચના પત્નીને રાનકુવા બેઠકના ઉમેદવાર બનાવ્યાની ચર્ચાઓ પણ ઉઠી છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને કોંગી ધારાસભ્ય અનંત પટેલે ભાજપીઓને આવકાર્યા..!!

નવસારી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોની ચુંટણીઓ જાહેર થઈ છે અને રાજકીય પક્ષો ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકો કરી મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે શુક્રવારે રાતે કોંગ્રેસ દ્વારા ચીખલી તાલુકાના હરણ ગામે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં રાત્રિ સભા યોજી હતી. જેમાં હરણ ગામના ભાજપ સમર્પિત ઉપસરપંચ તેમના 100 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. ઉપસરપંચ અને તેમના સમર્થકોને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને ધારાસભ્ય અનંત પટેલે કોંગી ખેસ પહેરાવી આવકાર્યા હતા. ઉપસરપંચે કોંગ્રેસનો હાથ ઝાલતા જ તેમના પત્નીને કોંગ્રેસે રાનકુવા બેઠક પરથી ચુંટણી જંગમાં ઉતારવાની તૈયારી કરી છે. ત્યારે ચીખલી તાલુકામાં સત્તા મેળવવા માટે કોંગ્રેસ મજબૂત થવાનો પ્રયાસ કરી રહી છે, જોકે ચુંટણીમાં મતદારો કોના ઉપર પસંદગી ઉતારશે એ જોવું રહ્યું…

Continue Reading

ચુંટણી

નવસારીની વસુધારા ડેરીમાં ચેરમેનનો તાજ રાજાભાઈ પટેલના માથે  

Published

on

એક કલાકથી વધુની મથામણ બાદ થયેલી ચુંટણીમાં રાજાભાઈ 10 મતોથી વિજેતા

નવસારી : નવસારીનાં આલીપોર સ્થિત અને દક્ષિણ ગુજરાતની જાણિતી વસુધારા ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ડેરીના 14 ડીરેક્ટરોએ કરેલા મતદાનમાં ભાજપી કિશોર પટેલને રાજાભાઈ પટેલે 10 મતોથી પછડાટ આપી જીત પોતાને નામે કરી હતી. જયારે વાઈસ ચેરમેન પદ પર સીતાબેન જાધવે બાજી મારી હતી.

પ્રાંત અધિકારીએ ચુંટણી પ્રક્રિયા શરૂ કરતા જ થયો હતો વિવાદ

નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે આર્થિક સદ્ધરતાનું પર્યાય બનેલી નવસારીનાં આલીપોર સ્થિત વસુધારા ડેરી ડીરેક્ટરોની ચુંટણી બાદ 5 જાન્યુઆરી, સોમવારે બપોરે 12:૩૦ વાગ્યે ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. વસુધારા ડેરીનું સુકાન ભાજપી કિશોર પટેલને મળે એનો તખ્તો ગોઠવાયો હતો. પરંતુ સામે ગણદેવીની સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ડેરીનાં ડીરેક્ટર રાજેશ ઉર્ફે રાજાભાઈ પટેલ પણ ચેરમેનની ચુંટણી લડવા મેદાને હતા. ચીખલી પ્રાંત આધિકારી ચુંટણી પ્રક્રિયા માટે પહોંચ્યા, તો ભાજપી કિશોર પટેલની ચેરમેન પદની દાવેદારી સામે રાજાભાઈએ પણ ઉમેદવારી કરતા થોડી મિનીટ માટે વાતાવરણમાં ગરમાટો આવી ગયો હતો. પ્રાંત અધિકારીએ મતદાનની શરૂઆત કરાવતા જ બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેથી પ્રાંત અધિકારીએ બંને પક્ષોને થોડો સમય આપ્યો અને લગભગ 1 થી સવા કલાક બાદ ચુંટણી શરૂ કરવામાં આવી હતી. જેમાં ડેરીના 14 ડીરેક્ટરોએ કરેલા મતદાનમાં ભાજપી કિશોર પટેલને ફક્ત 4 મતો મળ્યા હતા. જયારે રાજેશ ઉર્ફે રાજાભાઈ પટેલને 10 મતો મળતા, તેમનો ભવ્ય વિજય થયો હતો. એજ રીતે વાઈસ ચેરમેન પદ માટે ભાજપના કલ્પના ભીંસરાને સીતા જાધવે 9 મતોથી પછડાટ આપી જીત પોતાના નામે કરી હતી.

Continue Reading
Advertisement

Trending