ફિલ્મી દુનિયા ઘણીવાર લોકો માટે પ્રેરણાદાયી સાબિત થાય છે, પણ એની અવળી બાજુ પણ ત્યાં જોવા મળે છે. રીલ લાઈફમાં આત્મહત્યા ન કરવાની સમજણ આપનારા બોલીવુડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતે રીયલ લાઈફમાં રવિવારે પોતાના ઘરે ફાંસી લગાવી આત્મહત્યા કરી લેતા બોલીવુડ સહિત તેના ચાહકોમાં સોપો પડી ગયો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
ટેલીવિઝનની દુનિયામાંથી મોટા પર્દે પાતાના અભિનયનો જાદુ બતાવનાર કાબિલ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે રવિવારે પોતાના મુંબઈના બાંદ્રા સ્થિત ઘરે, ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જેના સમાચાર સુશાંતને ત્યાં કામ કરનારા નોકરે જણાવ્યા હોવાનું સામે આવ્યુ છે. ટીવી સીરીયલથી લોકોના દિલોમાં વસી જનારા સુશાંત સિંહે નાની ઉમંરે બોલીવુડમાં પણ પોતાના અભિનયનો પરચો આપ્યો હતો. કાયપો છે, પી. કે., કેદારનાથ, એમ. એસ. ધોની જેવી સફળ ફિલ્મોથી ચાહકોના દિલો પર કબ્જો જમાવી રહેલા સુશાંત સિંહે રવિવારે અચાનક અંતિમ પગલું ભરી લેતા સમગ્ર ફિલ્મ જગત સ્તબ્ધ થઇ ગયુ છે. જોકે મુંબઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી અભિનેતાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે, જોકે પ્રાથમિક તબક્કે કંઈપણ શંકા ઉપજાવે એવું જણાઈ આવ્યુ નથી. પરંતુ સુશાંત ડીપ્રેશન અને હાઈપર ટેન્શનથી પીડાતો હોવાનું પણ સામે આવ્યું છે.
સુશાંતસિંહના મોતથી સ્તબ્ધ બોલીવુડ સહિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ અન્ય રાજનેતાઓએ પણ ટવીટ કરી તેને શ્રદ્ધાંજલિ આપી હતી.
Sushant Singh Rajput…a bright young actor gone too soon. He excelled on TV and in films. His rise in the world of entertainment inspired many and he leaves behind several memorable performances. Shocked by his passing away. My thoughts are with his family and fans. Om Shanti.
Deeply Saddened by this news . A Good actor who’s work I really admired. Condolences to his Family , near n dear ones . Very deeply disturbed . RIP #SushantSinghRajputpic.twitter.com/aKE9qiB1Ah
Today we lost a friend, a colleague & this loss is irreparable.I request my friends from the media not to sensationalise this,I request everyone not to share images.A boy who came to this city with dreams in his eyes and achieved so much has left us forever.Let him go in peace?